SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપધસરિત ઉપર પડયું. તે અતિ સુગંધી છે એમ જાણીને તેં ફરીથી તે પુષ્પ પ્રભુપર ચડાવ્યું. અવિધિએ સ્નાન કર્યા વિના એ પ્રમાણે કરવાથી તે માલિન્યપણાનું પાપકર્મ અજિત કર્યું, (બાંધ્યું) તે પાપની આચના કર્યા વિના મરણ પામી માતંગ કુલમાં તું ઉત્પન્ન થયો અને વિધિપૂર્વક પૂજા કરવાના પુણ્યથી તું રાજ્ય પામ્યો.” આ પ્રમાણે સાંભળીને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તરતજ તેણે રાજ્ય તજી દઈને દીક્ષા લીધી. અંતે સમગ્ર દુષ્કર્મ આલોચી પ્રતિક્રમીને સ્વર્ગે ગયો. આ હકીકતને લક્ષ્યમાં રાખીને હે ભવ્ય જ! “સિદ્ધાન્ત, સંઘ અને પ્રતિમાની અર્ચના વિગેરેમાં અવિવેકને લીધે જે આશાતના થઈ હોય તેની સદ્ગુરુ પાસે તત્કાળ આલોચના લઈ યોગ્ય તપ તપીને જરૂર આત્મશુદ્ધિ કરવી જોઈએ.” છે પાંચ અણુવ્રતના પ્રાયશ્ચિત્તનું વર્ણન ટૂંકામાં આ રીતે જાણવું છે પંચાણુવ્રતસંબધ્ધતિચારશુદ્ધિહેતા પ્રાયશ્ચિત્તતપ કાર્ય, ગીતાર્થગુરૂદિતમ્ . ૧ અર્થ–પાંચ અણુવ્રત સંબંધી અતિચારની શુદ્ધિને માટે ગીતાર્થ ગુરુએ કહેલું પ્રાયશ્ચિત્ત તપ કરવું.” પાંચ અણુવ્રત માંહેલા (૧) પહેલા વ્રતની આલોચના આ પ્રમાણે છે-શ્રાવકને પૃથ્વીકાયાદિક એકેન્દ્રિય જીવની વિરાધના ઘણું કરીને સામાયિક પૌષધ ઉપધાનાદિના અવસરે અથવા અભિગ્રહનું ઉલ્લંઘન કરતાં જાણવી. તેમાં પાંચે સ્થાવરને કારણ વિના સંઘટ્ટ કરવાથી એક પુરિમઠું, તેને થોડી પીડા કરી હોય તે એકાસણું, ગાઢ પીડા કરી હોય તે નવી અને ઉપદ્રવ કર્યો હોય તે આંબિલ કરવું, (૨) અનન્તકાય ને વિકસેન્દ્રિયને સંઘટ્ટ કરવાથી પુરિમદ્ર, એ૯૫ પીડા કરી હોય તો એકાસણું, અધિક પીડા કરી હોય તે આંબિલ અને ઉપદ્રવ કર્યો હોય તો ઉપવાસ, (૩) અહંકારથી પંચેન્દ્રિયને વધ કર્યો હોય તે દશ ઉપવાસ, (૪) ઘણા એકેન્દ્રિય જીને વધ કર્યો હોય તે દશ ઉપવાસ, (૫) ગન્યા વિનાનું જળ એક વાર પીધું હોય તો બે ઉપવાસ, (૬) જળ ગળ્યા પછી તેને સંખારે છેડે ઢેળા હોય તે બે ઉપવાસ, (૭) વારંવાર સંખારે ઢેળા હોય તે દશ ઉપવાસ, સંખારો સૂકાઈ ગયા હોય તો દશ ઉપવાસ, (૮) ખારે અને મીઠ ( ખારા ને મીઠા પાણીને ) સંખારે એકત્ર કરવામાં આવ્યો હોય તો ત્રણ ઉપવાસ, (૯) ગળ્યા વિનાના જળથી સ્નાન કર્યું હોય અથવા તેને ઉનું કર્યું હોય તે ત્રણ ઉપવાસ, (૧૦) લીલ ફૂલને સંઘટ્ટ કર્યો હોય તો એક ઉપવાસ, લીલા ઘાસ ઉપર બેસવા કે ચાલવાથી એક ઉપવાસ, (૧૧) ગર્ભપાતે ૧૦૮ ઉપવાસ, (૧૨) કરેળીયાનાં પડ ઉખેડવાથી દશ ઉપવાસ, (૧૩) ઉધઈનાં ઘર નષ્ટ કરવાથી દશ ઉપવાસ, (૧૪) ખાળકૂવામાં, Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy