SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજ્યપઘરિકૃત પ્રમાણે બલીને તે જાતે પિતાના નાના ભાઈને ખમાવવા ચાલ્યો. વાલિખિલ્લ પણ મોટા ભાઈને સન્મુખ આવતા જોઈને પિતેજ તેની સામે ગયે, અને તેના પગમાં પડે, એટલે દ્રાવિડે તેને ઉભું કરી સ્નેહપૂર્વક આલિંગન કર્યું. વાલિખિલ્લ બે -“હે ભાઈ! તમે મારા ચેષ્ઠ બંધુ છે, માટે મારું રાજ્ય ગ્રહણ કરે.” દ્રાવિડ પણ ગદગદ કંઠે બોલ્યો-“હે ભાઈ! રાજ્યથી શું? આ સંસારના કામગ અનિત્ય છે, દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધર્મ વિના બીજું કાંઈ પણ શરણભૂત નથી, માટે મારે તે વ્રત અંગીકાર કરવું છે, તેથી તને ખમાવવા આવ્યો છું.” ના ભાઈ બેલ્ય-“હે ભાઈ! જે તમે સર્વ પ્રકારે કલ્યાણ કરનાર વ્રતને આદરવા ઈચ્છે છે, તો મારે પણ તેજ અંગીકાર કરવું છે ” એમ કહી બન્ને જણાએ પોતપોતાના પુત્રને રાજ્ય સેંપી પોતપોતાના મંત્રીઓ સહિત દશ કોડ પુરૂષ સાથે તેજ તાપસ પાસે જઈ તાપસવ્રત ગ્રહણ કર્યું. તે બધા કંદમૂળને આહાર કરતા, ગંગાજળમાં સ્નાન કરતા, અને અ૫ કષાય તથા અલ્પ નિદ્રાવાળા થઈને જપમાળાવડે શ્રી યુગાદીશ પ્રભુનું સ્મરણ કરતા તથા પરસ્પર ધમકથા કરતા હતા. એ પ્રમાણે તેમણે એક લાખ વર્ષ ત્યાંજ નિગમન ( પસાર ) કર્યા. એકદા નમિ વિનમિ નામના વિદ્યાધર રાજર્ષિના બે પ્રશિષ્ય આકાશ માર્ગે ત્યાં આવ્યા. તેમને તે સર્વે તાપસોએ વાંદીને પૂછયું કે-“તમે કયાં જાઓ છો?” ત્યારે તે બન્ને મુનિએ તેમને ધર્મલાભની આશીષ આપીને બેલ્યા કે—“ અમે પુડરકગિરિની યાત્રા કરવા જઈએ છીએ.” તાપસેએ પૂછયું કે-“તે ગિરિનું માહાસ્ય (મહિમા) કેવું છે?” મુનિએ જવાબ આપે કે – અનંતા મુક્તિમાસેપુરત્ર તીર્થપ્રભાવતા સંસ્થતિ બહવોચ્ચત્ર, શુદ્ધચારિત્રભૂષિતાઃ ૧. અર્થ–“અહીં (સિદ્ધાચળ ઉપર) તીર્થના પ્રભાવથી શુદ્ધ ચારિત્રથી શોભતા એવા અનંત છ મુક્તિમાં ગયા છે, અને હજુ પણ ઘણું છે અહીં સિદ્ધિપદને પામશે.” આ પ્રમાણે લાખ વર્ષ સુધી કહીએ તે પણ તે તીર્થના મહિમાનો પાર આવે તેમ નથી. તે તીર્થમાં નમિ વિનમિ નામના મુનીંદ્ર બે કોડ મુનિઓ સહિત પુંડરીક ગણધરની જેમ ફાગુન સુદી દશમીને દિવસે મેક્ષે ગયા છે. પૂર્વે શ્રીમાન અનંત જ્ઞાનગુણના ભંડાર શ્રી ઋષભદેવના ગણધર વિગેરે કેવળીનાં વચનથી અમે સાંભળ્યું છે કે “આગામી કાળે આ તીર્થે ઘણા ઉત્તમ પુરુષે સિદ્ધિપદને પામશે. શ્રી રામચંદ્ર રાજર્ષિ ત્રણ કોડ મુનિ સહિત સિદ્ધિને પામશે, અને એકાણું લાખ મુનિઓ સહિત નારદજી મુક્તિ પામશે, સાડા આઠ કોડ મુનિઓ સહિત શાંબ અને પ્ર સ્ર સિદ્ધિને પામશે, વીશ કોડ મુનિ સહિત પાંડે સિદ્ધિ પામશે, થાવગ્ગાપુત્ર તથા શુક આચાર્ય વિગેરે હજાર હજાર સાધુઓ સહિત ૧ શિષ્યના શિષ્ય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy