SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણી ] રપ૧ કરીશ નહી.” પછી થાવગ્ગાપુત્રે હજાર માણસે સહિત પ્રભુ પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. અનુક્રમે સામાયિકથી આરંભીને ચૌદ પૂર્વેને અભ્યાસ કરી એક હજાર શિષ્યના આચાર્ય થયા. એકદા જિનેશ્વરની આજ્ઞા લઈને વિહાર કરતાં કરતાં થાવગ્નાપુત્ર આચાર્ય સેલકપુરે સમવસર્યા. તે પુરમાં પંથક વિગેરે પાંચસે મંત્રીને સ્વામી સેલક નામે રાજા રાજય કરતા હતા. તેણે આચાર્ય પાસે મોટા ઉત્સવ પૂર્વક આવીને ધર્મદેશના સાંભળી. પછી પાંચસે અમાત્ય સહિત તેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. હવે સૌગધિક નામના નગરમાં એક સુદર્શન નામે શ્રેણી રહેતો હતો. એક વખત ચાર વેદને જાણનાર તથા શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ તથા દેવનું ધ્યાન ઈત્યાદિ ધર્મના નિયમવાળો અને ગેરુએ રંગેલા વસ્ત્રને ધારણ કરનાર શુક નામને પરિવ્રાજક એક હજાર શિખે ( તાપસ ) સહિત ત્યાં આવ્યો. તેને શૌચમૂલક સાંખ્ય ધર્મ સાંભળીને સુદર્શને તે ગ્રહણ કર્યો. એક વખત વિહાર કરતાં કરતાં થાવસ્થાપુત્ર આચાર્ય તે નગરમાં પધાર્યા. તે વાત સાંભળી સુદશને તેમની પરીક્ષા કરવા માટે તેની પાસે આવીને પૂછયું કે-“તમારે શૌચમૂલક ધર્મ છે કે બીજો ધર્મ છે?” સૂરિએ કહ્યું કે-“હે શ્રેષ્ઠી ! અમારે વિનયમૂલક ધર્મ છે. તે પણ સાધુ શ્રાવક ભેદે કરીને બે પ્રકાર છે, અને બીજા તેના ક્ષાત્યાદિ દશ પ્રકાર છે.” વગેરે વાકયથી પ્રતિબધ પામીને સુદર્શને શ્રાવકધર્મ ગ્રહણ કર્યો અને જીવાદિ તત્ત્વનું સ્વરુપ જાણુને અસ્થિમજજાએ જૈનધર્મ ઉપર પ્રેમવાળો થયે. અન્યદા તેને પૂર્વગુરુ શુક પરિવ્રાજક હજાર શિષ્યો સહિત તે નગરમાં આવ્યું. ત્યાં સુદર્શનને અન્ય ધર્મમાં આસક્ત થયેલો જોઈને “ અરે રે! કયા પાખંડીથી તું છેતરા?” એમ તેણે પૂછયું, એટલે કેછી બે કે- મારા ગુરુ ચાર જ્ઞાનને ધારણ કરનારા થાવચ્ચા પુત્ર નામના આચાર્યું છે તે અહીં જ છે; તેમણે મને વિનયમૂલક ધર્મ પમાડે છે.” પછી હજાર શિષ્યોને સાથે લઈને શક પરિવ્રાજક તે શ્રેણીની સાથે સૂરિ પાસે જઈને પ્રશ્નો પૂછવા લાગ્યા. શુક–હે ભગવન્! તમારે યાત્રા, યા પનિકા, અવ્યાબાધા અને પ્રાસુક વિહાર છે? સૂરિ–હે શુક! તે સર્વ અમારે છે. શુક–હે ભગવન્! તમારે કઈ યાત્રા છે! સૂરિ–હે શુક! સાધુઓને જ્ઞાનાદિક ત્રણ રત્ન મેળવવામાં યત્ન કરે, તે યાત્રા હોય છે. શુક–હે ભગવન્! તમારે થાપના શી છે? સૂરિ– હે શુક! યાપના બે પ્રકારની હોય છે. ઈદ્રિય યાપના અને ઇન્દ્રિય થાપના. તેમાં શુભ અને પ્રશસ્ત માર્ગને અનુસરવાથી પાંચ ઈંદ્રિય સંબંધી યાપના અમારે શુભ છે, અને ક્રોધાદિ રહિત અંતઃકરણ હોવાથી નઇદ્રિય યાપના પણ અમારે પ્રશસ્ત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy