SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ રંપર [ શ્રી વિજયપધરિકૃતિ શુક–હે ભગવન્! તમને અવ્યાબાધા શી રીતે છે? સૂરિ–હે શુક! વિવિધ પ્રકારની વ્યાધિઓ અમને પીડા કરતી નથી, તે અવ્યાબાધા છે. શુક–હે આચાર્ય! તમારે પ્રાસુક વિહાર શી રીતે છે? સૂરિ–સ્ત્રી, પશુ અને નપુંસક રહિત વસતિમાં, જીવ રહિત સ્થાને, પાટ પાટલા, વિગેરેને યાચનાવિધિથી ગ્રહણ કરીને અમે વિચરીએ છીએ-રહીએ છીએ, તે અમારે પ્રાસુક વિહાર છે. પછી શુક આચાર્યો “સરિસવયા ભક્ષણ કરવા લાયક છે કે અભય છે?” ઈત્યાદિ છઠ્ઠા અંગમાં વર્ણવેલા પ્રશ્નો પૂછયા; તેના યંગ્ય ઉત્તર સાંભળીને સુલભાધિ હેવાથી તે પ્રતિબંધ પામ્યા. એટલે હજાર શિષ્યો સહિત તેમણે જેની દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે સૂરિપદ પામ્યા. પછી થાવસ્થાપત્ર આચાર્ય પોતાને નિર્વાણ સમય નજીક જાણી હજાર મુનિઓ સહિત શ્રી શત્રુંજય ગિરિએ પધાર્યા. ત્યાં એક માસનું અનશન ગ્રહણ કરી પ્રાંતે કેવલી થઈને મુક્તિપદને પામ્યા. ત્યાર પછી ચૌદ પૂર્વેને જાણનાર શુક આચાર્ય વિહાર કરતાં અન્યદા સેલકપુરના ઉદ્યાનમાં સમવસર્યા. તે વાત જાણીને સેલક રાજા પાંચ મંત્રી સહિત તેમને વાંદવા ગયે. ગુરુને નમી ધર્મોપદેશ સાંભળીને સેલક રાજા વૈરાગ્ય પામી પોતાને ઘેર ગયો. ત્યાં પોતાની રાણી સાથે બેસીને પાંચસે મંત્રીને તેણે કહ્યું કે “ હે પ્રધાને ! હું સમસ્ત પાપના નાશને કરનારી પ્રવજ્યા લેવાને છું, તમે શું કરશે?” તેઓ બોલ્યા–“ હે સ્વામિન્ ! અમે પણ સંયમમાં સુખની ઈચ્છાવાળા છીએ, તેથી તમારી સાથે વ્રત ગ્રહણ કરીશું.” ત્યારે રાજાએ કહ્યું કે-“ જે એમ જ છે તે તમે પોતપોતાને ઘેર જઈ પોતપોતાના પુત્રને ગૃહને કારભાર સેંપીને હજાર પુરૂષથી વહન થાય તેવી શિબિકા ઉપર આરૂઢ થઈ અહીં જલદીથી આવો.” તેઓને એ પ્રમાણે કહીને રાજાએ પોતાના મંડુકકુમારને રાજ્યભિષેક કર્યો. પછી મેડક રાજાએ જેને નિષ્ક્રમણોત્સવ કર્યો છે એવા રાજાએ પાંચસો મંત્રી સહિત શક આચાર્યની પાસે આવીને ત્રિવિધ ત્રિવિધે સર્વ સાવદ્ય વેગનું પ્રત્યાખ્યાન કર્યું. અનુક્રમે સેલક મુનિને બાર અંગને ધારણ કરનાર થયેલા જાણીને શુક સૂરિએ તેમને સૂરિપદ ઉપર સ્થાપન કર્યા. પછી શુકસૂરિ ચિરકાળ વિહાર કરીને હજાર મુનિઓ સહિત શ્રી શત્રુંજય ગિરિપર ગયા. ત્યાં એક માસનું અનશન કરીને મોક્ષપદને પામ્યા. શ્રી સેલકાચાર્યનું શરીર લૂખું, સુકું, તુચ્છ અને કાળાતિકાંત ભોજન કરવાથી કંડુ (ખરજ), દાહ તથા પીત જવરના વ્યાધિથી વ્યાપ્ત થયું. તેઓ વિહાર કરતાં કરતાં સેલકપુરે ગયા. ત્યાં તેમને પુત્ર મંડુક રાજા તેમને વાંદવા આવ્યો. ધર્મદેશના સાંભળીને તેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી આચાર્યને દેહ શુષ્ક તથા વ્યાધિગ્રસ્ત જાણીને ૧ બહુ વખત જવાથી અત્યંત હરી ગયેલું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy