SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ રિયo [ વિજ્યપદ્વરિતઅર્થ–“જેઓ ચારિત્ર યોગને વિષે પ્રમાદી થઈને પણ શ્રીજિનવાણીના પ્રતાપે ફરીથી અપ્રમાદી થાય છે, તેઓ પણ સેલક સૂરિના સાધુઓની જેમ ધન્ય પ્રશંસા કરવા લાયક છે.” તે બીના આ પ્રમાણે જાણવી નવ જન વિસ્તારવાળી અને બાર એજન લાંબી દ્વારકા નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા, તે વખતે સેળ હજાર રાજાએ તેમની આજ્ઞા મસ્તક પર ચડાવતા હતા. તેમને પ્રદ્યુમ્ર વિગેરે સાડા ત્રણ કોડ પુત્રો હતા. તેમાં શાંબ વિગેરે પુત્રો કેઈથી દમન (વશ) કરાય તેવા નહોતા. તે નગરીમાં એક થાવચ્ચપુત્ર નામે ગૃહસ્થ કુમાર હતો. તેને તેના માબાપે એક દિવસે બત્રીશ કન્યાઓ પરણાવી હતી. તેમની સાથે તે પંચેંદ્રિય સંબંધી વિષય સુખ ભગવતે હતો. એક દિવસ દશ ધનુષની ઉંચી કાયાવાળા શ્રીનેમિનાથ તીર્થકર અઢાર હજાર સાધુના પરિવાર સહિત સમવસર્યા. તે સમાચાર વનપાળના મુખથી સાંભળીને કૌમુદિકી નામની ભેરીથી ઉઘેષણ કરાવી ચતુરંગ સેના સહિત શ્રીકૃષ્ણ પ્રભુને વાંદવા ગયા. સર્વ પીરજને સાથે થાવગ્ગાપુત્ર પણ વાંદવા ગયો. ત્યાં પ્રભુએ કહેલી ધર્મદેશના સાંભળીને બેધ પામેલા થાવચ્ચપુત્રે ઘેર આવી પિતાની માતાને કહ્યું કે “મને દીક્ષા અપાવે.” માતાએ સંસારના સુખને ઘણે લોભ લગાડે, પણ તે લેભાયે નહી. ત્યારે તેની માતાએ કૃષ્ણ પાસે જઈ ભટણું મૂકીને વિનંતિ કરી કે “હે રાજન દીક્ષા લેવાને ઈચ્છતા મારા પુત્રને તમે શીખામણ આપે, જે મારે એકને એક પુત્ર દીક્ષા લેશે તે હું નિરાધાર શી રીતે જીવીશ?કૃષ્ણ તેણીને ધીરજ આપીને સેના સહિત તેને ઘેર ગયા, અને થાવસ્ત્રાપુત્રને કહ્યું કે-“હે વત્સ! તું સંસારના વિલાસને આનંદથી ભગવ. અમારી છાયામાં રહેવાથી તારું કાંઈ પણ અહિત થશે નહી.” તે સાંભળીને થાવગ્ગાપુત્ર હસીને બે કે-“હે રાજન્ ! એક મૃત્યુએજ મને અનંતી વાર હેરાન કર્યો છે, તે મારા અહિતને તમે નિવારણ કરે તે તમે મારા ખરા હિતવાછક છે એમ હું માનું.” કૃષ્ણ કહ્યું કે-“તે તે મોક્ષની પ્રાપ્તિ થાય ત્યારેજ થાય તેમ છે,” ત્યારે થાવચ્ચપુત્ર બે કે-“એટલા માટે જ મૃત્યુએ કરેલા અહિતનું નિવારણ કરવા સારુ શ્રીનેમિનાથના ચરણકમળને સેવવા હું ઈચ્છું છું. આ પ્રમાણે તેની સ્થિરતા જોઈને હર્ષ પામેલા કૃષ્ણ નગરમાં ઉદ્દઘોષણા કરાવી કે-“આ થાવચ્ચપુત્રની સાથે જે કોઈ દીક્ષા લેશે તેના કુટુંબનું ભરણપોષણ તથા દીક્ષાને ઉત્સવ કૃષ્ણ જાતે કરશે.” આવી ઉષણ થવાથી એક હજાર માણસો દીક્ષા લેવા તૈયાર થયા. તે બધાની સાથે થાવાચ્ચા પુત્રને દીક્ષા મહોત્સવ શ્રીકૃષ્ણ કર્યો. હજાર પુરુષથી વહન થઈ શકે એવી શિબિકામાં બેસીને હજાર દીક્ષાભિલાષી માણસે સહિત થાવસ્થા પુત્ર શ્રીનેમિ જિનેશ્વર પાસે આવ્યું, તે વખતે તેની માતાએ પ્રભુને કહ્યું કે-“આ શિષ્યરૂપી ભિક્ષા ગ્રહણ કરે, અને તેને બંને પ્રકારની શિક્ષા (શિખામણ) આપો.” પછી તેણીએ આંખમાં અશુ લાવીને પુત્રને કહ્યું કે-“હે પુત્ર! આ ચારિત્ર પાળવામાં લગાર પણ પ્રમાદ Jain Education International For Personal & Private Use Only www.Jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy