SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ રાનાચિંતામણિ ] ૨૪૯ આવા પ્રકારના ધર્મનું આરાધન કરવાથી ચાલુ ભવમાં પણ આપત્તિઓને નાશ થાય છે અને ઉત્તમ પ્રકારની સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ૧૯ બે ચાર ભેદે તેહની આરાધના નિજ શક્તિને, અનુસાર કરેજે હોંશથી એથી જ લેશે મુક્તિને નિયમ આઠે ધારજે તે જાણવા ઈમ અનુક્રમે, આત્મતત્ત્વ સ્વરૂપ કેરી ચિંતના કરજો તમે. ૧૯૪ સ્પદાર્થ–વળી હે ભવ્ય જી ! તમે શ્રી જૈન ધર્મની આરાધના બે પ્રકારે અથવા ચાર પ્રકારે પિતાની શક્તિ પ્રમાણે કરજે. દેશવિરતિ (શ્રાવકનાં બાર વત) અથવા સર્વ વિરતિ (પાંચ મહાવ્રતનું પાલન) એમ બે પ્રકારે આ ધર્મની આરાધના થાય છે. દાન, શીયલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે પણ ધર્મની આરાધના થાય છે. એ પ્રમાણે શક્તિ અને ભાવ પ્રમાણે હોંશથી શ્રી જિન ધર્મની આરાધના કરજે. આ પ્રમાણે આરાધના કરવાથી તમે અંતે મોક્ષના સુખને જરૂર મેળવશે. વળી આઠ પ્રવચન માતાની આરાધના કરવા રૂપ આઠ પ્રકારના નિયમને ધારણ કરજે. અને આત્મ તત્ત્વના સ્વરૂપની ચિંતવના હંમેશાં કરજે. ૧૯૪ ન પ્રમાદ તો કદી વિશ્વાસ કરશે ચેતતા, મૈત્રી પ્રમુખ ચઉ ભાવનાને ભાવજે રાજી થતા; વાણી જિનેશ્વર દેવની સુણજે જેહથી, આત્મ નિર્મલતાદિ લાભ વિશેષ હવે નિયમથી. ૧૫ સ્પષ્ટાથ–હે ભવ્ય છે ! તમે ક્ષણે ક્ષણે ચેતતા રહીને ભયંકર દુઃખને દેનાર પ્રમાદ રૂપી અંતરંગ કટ્ટા શત્રુને લગાર પણ વિશ્વાસ કરશે નહી. અને મનમાં રાજી થઈને નિરંતર (૧) મૈત્રી ભાવના, (૨) પ્રમોદ ભાવના, (૩) કારૂણ્ય ભાવના, (૪) માધ્યચ્ચ ભાવના, આ ચાર ભાવનાઓને ભાવજે. તથા જે જિનવાણીને સાંભળવાથી કમ મેલથી મલિન બનેલા આત્માઓ પણ નિર્મલ બનીને શુદ્ધ આત્મગુણ રમણતામય મોક્ષને પામે છે અને જેથી નિર્ભય શાંતિમય જીવન પણ પામી શકાય છે, તથા જેનાથી નિશ્ચયે પરોપકારાદિ ઘણાં લાભ પણ મેળવી શકાય છે. આવી તે મહાપ્રભાવશાલી શ્રી જિનેશ્વર દેવની વાણીને હંમેશાં સાંભળો. આ લેકમાં પ્રમાદને વિશ્વાસ ન કરે, એમ શ્રી ગણધર દેવે કહેલ હિત શિક્ષાનું યથાર્થ રહસ્ય સમજાવવાને માટે તેઓશ્રીએ નહિ કહેલું છતાં ભવ્ય જીને અપ્રમાદ ભાવના અપૂર્વ બોધને દેનારૂં શ્રી સેલક સૂરિના સાધુઓનું દષ્ટાંત બહુજ ઉપયોગી છે તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું– પ્રમત્તા સંયમે વેગે, ભૂત્વા વાણ્યા પ્રમાદિનઃ. ભવતિ તેડપિ ધન્યા , Wથા સેલ સાધવઃ ૧ Jain Education international For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy