SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૨૪૫ તે ત્રણેના ઉપર અકસ્માત વિજળી પડવાથી તે ત્રણે એકી વખતે મરણ પામ્યા. તેમાં ક્ષેમંકરને જીવ તું અમરદત્ત થયે, સત્યશ્રીને જીવ તારી પટ્ટરાણી થયો, તારો ચાકર ચંદ્રસેન તે મિત્રાનંદ થયો. તે ચાકરે જે મુસાફરને શીંગે લેતાં બાંધવાનું કહ્યું હતું, તેજ મરીને પેલા વટ વૃક્ષ ઉપર વ્યંતર થયો. તે મિત્રાનંદને જોઈને પોતાના પૂર્વ જન્મનું વૈર યાદ આવવાથી શબદ્વારા બે હતે.” આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળીને રાજા તથા રાણીને જાતિસ્મરણ થયું. ગુરુનું વચન સત્ય માનીને ઘેર આવ્યા. પછી અનુક્રમે રાણીને પુત્ર થયે. તે યુવાવસ્થા પામ્યો. ત્યારે તેને રાજ્ય સંપીને તે દંપતીએ દીક્ષા ગ્રહણ કરી, અને ક્રમે કરીને તેઓ મોક્ષે ગયા. આ દષ્ટાંતનું તાત્પર્ય એ છે કે-જેમ પાછલા ભવે કરેલા ક્રોધના ફલરૂપે અમરદત્ત બહુજ દુઃખી થયે, તેમ છેડે પણ ક્રોધ મોટા દુઃખનું કારણ થાય છે. માટે ભવ્ય જીએ ક્રોધના અભાવ રૂપ ક્ષમા ગુણને ધારણ કરીને જ શ્રીજિનધર્મને આરાધવો જોઈએ. કારણકે શ્રીજિનધર્મની સાત્ત્વિકી આરાધના કરવામાં ક્ષમાગુણની મુખ્યતા છે. વળી શ્રીચારૂગણધરે જણાવ્યું કે-ઉપશમ ગુણને ધારણ કરવાથી શ્રીજિનધર્મને પામી શકાય છે. તેથી તે ઉપશમ ગુણનું સ્વરૂપ દષ્ટાંત સાથે ટૂંકામાં આ રીતે જાણવું– ' ઉપશમ ગુણ વિષે. વિકલ્પવિષાક્તર્ણ, સ્વભાવાલંબન સદા ! જ્ઞાનસ્ય પરિપાકો ય, ઉપશમઃ પરિકીર્તિત છે ૧ છે અર્થ_“સંકલ્પ વિકલ્પ (ચિત્તવિભ્રમ)ના વિષયથી (વિસ્તારથી) નિવતેલ અને સમ્યગૂ રત્નત્રય સ્વરુપ જે આત્માને સ્વભાવ તેનું (ગુણ પર્યાયનું) નિરંતર આલંબન કરનાર એ આત્માના ઉપગ લક્ષણવાળા જ્ઞાનને જે પરિપાક તે ઉપશમ કહેલો છે.” ઉપશમના ચાર નિક્ષેપો આ પ્રમાણે–નામ ઉપશમ અને સ્થાપના ઉપશમ તો પૂર્વની પેઠે જાણવા. આગમથી દ્રવ્ય ઉપશમ તે ઉપશમના સ્વરુપને જાણનાર જ્ઞાની જે તેના ઉપગમાં વર્તતા ન હોય તે. નેઆગમથી દ્રવ્ય ઉપશમ તે માયાએ કરીને લબ્ધિની સિદ્ધિને માટે અથવા દેવગતિની પ્રાપ્તિ વિગેરે માટે ઉપકાર અપકારના વિપાકને શમન કરવાના હેતુથી ક્રોધાદિકનો ઉપશમ કરે છે અને ભાવ ઉપશમ તે આત્મસ્વરુપમાં ઉપયોગવાળા. તેમાં આગમથી મિથ્યાત્વને તજીને યથાર્થ વસ્તુના ભાસન પૂર્વક ચારિત્રમોહનીય કર્મના ઉદયને અભાવ હોવાથી ક્ષમાદિક ગુણની જે પરિણતિ તે ઉપશમ કહેવાય છે. તે ઉપશમ પણ લૌકિક અને લોકેત્તર ભેદે કરીને બે પ્રકારનું છે. તેમાં વેદાંત મતવાળાનો જે ઉપશમ ગુણ છે તે લૌકિક છે, અને જેના પ્રવચનને અનુસરનાર ભવ્ય જીવમાં જે ઉપશમ હોય છે તે લેટેત્તર છે. તે લોકેન્નર ગુણ જે ખરેખર શુદ્ધ છે, આ ઉપશમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy