SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણ]. ૨૪૧ ત્રિશલની આકૃતિ કરી, પછી ત્યાંથી નીકળી અકાને ઘેર ગયો. રાજકુમારી તેના ગુણેથી ખેંચાઈને વિચારવા લાગી કે-“ખરેખર તે સામાન્ય પુરુષ નહોતે, માટે મેં તેની સાથે સંભાષણ પણ કર્યું નહી તે સારું કર્યું નહી.” વગેરે વિચાર કરતાં તે પાછલી રાતે નિદ્રાવશ થઈ. (ઉંઘી ગઈ) હવે પ્રાતઃકાળે મિત્રાનંદે રાજા પાસે જઈને ફરીયાદ કરી કે-“ હે રાજા ! અખંડિત આજ્ઞાવાળા આપ રાજ્ય કરતાં છતાં અમુક શ્રેણી મારું માગણું ( લેણું ) ધન આપતે નથી. આપ તો લોકપાળ છે, તેથી તેવા દુષ્ટને નિગ્રહ કરે જોઈએ.” તે સાંભળીને રાજાએ પિતાના સીપાઈઓ એકલી તે શ્રેષ્ઠીને બોલાવ્યો. શ્રેષ્ઠીએ બધે વ્યતિકર જાણે, એટલે રાજસભામાં આવતાં જ પ્રથમ મિત્રાનંદને તેનું બાકી રહેલું દ્રવ્ય આપીને પ્રણામપૂર્વક રાજાને કહ્યું કે-“ પિતાની પાછળના લોકાચારમાં ગુંથાવાથી તથા પિતાના વિરહના શેકથી ધન આપવામાં વિલંબ થયો હતે.” રાજાએ તેની વાત સત્ય માનીને તેને રજા આપી. પછી રાજાએ મિત્રાનંદને પૂછયું કે તે રાત્રે મૃતકનું રક્ષણ શી રીતે કર્યું?” તે બોલ્યો કે-“ રાજા ! તે રાત્રિએ ભૂત, વેતાળ, રાક્ષસ, શાકિની, વ્યંતર વિગેરે અનેક પ્રકારના શસ્ત્રો સહિત આવ્યા હતા, તેઓની સાથે મેં રાત્રીના ત્રણ પહોર સુધી ઘણું યુદ્ધ કર્યું. છેવટે તે સર્વ ગુરુએ આપેલા મંત્રના બળથી નાસી ગયા. પછી એથે પહેરે કોઈ એક અપ્સરા જેવી સ્ત્રી મારી પાસે આવી. તેણે દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા હતાં, વિવિધ પ્રકારનાં આભૂષણથી ભિત હતી, કેશ છૂટા મુકેલા હોવાથી ભયંકર લાગતી હતી. મુખમાંથી અગ્નિની જવાળા કાઢતી હતી અને હાથમાં કત્રીકા (માટી કાતર, છરી ) રાખેલી હતી. તે સ્ત્રીએ મને કહ્યું કે “ હે દુષ્ટ ! આજે તને જ ખાઈ જઈશ.” મેં તેને જોઈને વિચાર્યું કે-“લોક કહેતા હતા તે મારી ખરેખર આજ છે.” તેથી હું તેની સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યો અને ચમત્કારથી તેને હાથ મરડીને તેના હાથમાંથી સુવર્ણનું કંકણ કાઢી લીધું. છેવટે તે નાસવા લાગી એટલે મેં તેની જમણી જંઘામાં છરીવડે ત્રિશુળનું ચિન્હ કર્યું. આ પ્રમાણે સાંભળવાથી રાજા આશ્ચર્ય પામીને બે કે–“ તેં મારીના હાથમાંથી ખેંચી લીધેલું કડું બતાવ.” મિત્રાનંદે તે કડું બતાવ્યું, એટલે રાજા પિતાનું નામાંકિત કડું જોઈને વિચાર કરવા લાગ્યું કે-“ અહે! શું મારી જ કન્યા મરકી ઠરી? કેમકે આ ભૂષણ તેનું છે.” એમ વિચારીને તેની ખાત્રી કરવા માટે શૌચનું મિષ કરીને રાજા મહેલમાં ગયે. જઈને જુએ છે તો કન્યા સુતેલી હતી, તેના હાથમાં કંકણ નહોતું, અને અંધાપર કરેલાં ચિન્હ ઉપર લૂગડાને પાટો બાંધેલ હતે. તે જોઈને રાજા જાણે વજથી હણાયો હોય તે થયો, અને બોલ્યો કે-“અહો ! આ પુત્રીએ મારા વંશમાં કલંક લગાડયું.” પછી રાજાએ સભામાં જઈને ગુપ્ત રીતે મિત્રાનંદને કહ્યું કે-“હે ભદ્ર! મારી પુત્રીજ મરકી કરે છે, તેમાં કાંઈ સંદેહ નથી, તેથી તેને નિગ્રહ કર” (તેને હરાવી દે, તે બે કે-હે રાજા ! આપના કુળમાં એવું હોય નહી.” રાજાએ કહ્યું કે-“ નહી, હું સત્યજ કહું છું. માટે તે સર્વ પ્રજાને મારી ન નાંખે, તેટ ૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy