SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ [ શ્રી વિજયપધચરિકૃતલામાં તું કઈ પણ ઉપાયથી તેને નિગ્રહ કર.” મિત્રાનંદે કહ્યું કે-“ પ્રથમ મને જેવા દે, કે તે મારાથી સાધ્ય છે કે નહી?” રાજાએ કહ્યું કે-“સ્વઈચ્છાથી જઇને જે.” એટલે મિત્રાનંદ રાજકન્યા પાસે ગયે. તેણુએ તેને ઓળખે અને તેને બેસવા માટે આસન આપ્યું. પછી મિત્રાનંદ બે કે “હે સુw! તને કલંક આપ્યું છે માટે હવે તારે અહીં રહેવું યોગ્ય નથી. પરંતુ તું ચિંતા કરીશ નહીં, તને સાથે સ્થાને લઈ જઈશ.” તે સાંભળીને તેના ગુણથી આધીન થયેલી રાજકન્યા બોલી કે-“આ મારા પ્રાણ પણ તમારે આધીન છે.” કહ્યું છે કે અંધે નરપતશ્ચિત્ત, વ્યાખ્યાન મહિલા જલમાં ચૈતાનિ હિ ગચ્છતિ, નીયતે યત્ર શિક્ષકે ૧ ભાવાર્થ–“આંધળે, રાજાનું ચિત્ત, વ્યાખ્યાન ( કથા ), સ્ત્રી અને જળ એ પાંચ પદાર્થોને જ્યાં લઈ જઈએ ત્યાં તેઓ જાય છે. ” અર્થાત્ આંધળાને જેટલી પૃથ્વી ને જે બાજુ ચલાવે તેટલું ચાલે છે, રાજાનું ચિત્ત જે બાજુ વાળે તે બાજુ વળે છે, કથાને પ્રવાહ જે બાજુ વહેવા તે બાજુ વહે છે, અને જ્યાં લઈ જાઓ કે મોકલો ત્યાં જાય છે અને જળ જે બાજુ નીક કરી આપે તે તરફ વહે છે.” મિત્રાનંદે કહ્યું કે-“રાજાની સમક્ષ તારા ઉપર હું સર્ષવના દાણા નાંખું ત્યારે તાર કૂત્કાર કરવા.” તે વાત રત્નમંજરીએ કબૂલ કરી. એટલે તેણે રાજા પાસે જઈને કહ્યું કે --“હે રવામી ! આપે કહ્યું તે સત્ય છે. પણ એક સાંઢ તૈયાર કરે, આજ રાત્રે મંત્રના બળથી તેને સાંઢ ઉપર બેસાડીને આપના દેશ બહાર હું લઈ જઈશ. પછી માર્ગમાં જ્યાં સૂર્યોદય થશે ત્યાં તે મારી રહેશે.” તે સાંભળીને ભય પામેલા રાજાએ એક વાયુના સરખી વેગવાળી સાંઢ મંગાવી તેને આપી. સંધ્યા સમયે તે રાજકુમારીના કેશ પકડી મિત્રાનંદે તેના ઉપર સર્ષવના દાણા છાંટયા, એટલે તે ફંફાડા મારવા લાગી. પછી તેને સાંઢ ઉપર બેસાડીને તે ચાલતો થયો. રાજા ગામના દરવાજા બંધ કરાવીને પોતાના મહેલમાં ગયે. મિત્રાનંદ પણ મિત્રની પત્ની હોવાથી માતા પ્રમાણે તેની ભક્તિ કરવા લાગે. અહીં અમરદત્ત મિત્રને બે માસને અવાધ (મર્યાદા નક્કી કરેલો ટાઈમ) પૂર્ણ થવાથી ચિતા કરીને તેમાં પ્રવેશ કરવાની તૈયારી કરતે હતો, તેવામાં કાકાલીય ન્યાયની જેમ મિત્રાનંદ અને રત્નમંજરી આવીને તેને મળ્યા. તે જ વખતે ચિતાના અગ્નિની તથા પુરના લોકેની સાક્ષીએ તેની સાથે પાણિગ્રહણ કર્યું. નગરના લકે તે સ્ત્રીના સ્વરુપની, મિત્રાનંદના પૈર્યની અને અમરદત્તના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. હવે તેજ સમયે તે નગરને રાજા અપુત્રીઓ મરણ પામે, તેથી બીજે રાજા મુકરર કરવા માટે પ્રધાનેએ મળીને પંચ દિવ્ય કર્યો. તેમણે ફરતાં ફરતાં નગર બહાર ૧ પુત્ર વિનાને, વાંઝીયે. ૨ હાથી, ઘોડે, કળશ છત્ર અને ચામર એ પાંચ દિવ્ય કરવામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy