SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ દશના ચિંતામણિ ] પણ તે પુતળી વિના રહેવાને અશક્ત હોવાથી રેવા લાગ્યો. તેવામાં તે પ્રાસાદ કરાવનાર શ્રેષ્ઠી ત્યાં આવી ચડયો. તેણે બન્નેને રેતાં જોઈને પૂછયું કે-“હે ભાઈ! તમે બન્ને કેમ રડે છે ?” ત્યારે મિત્રાનંદે સર્વ વૃત્તાંત કહી બતાવીને પૂછ્યું કે-“હે પિતા ! આ સંકટમાં હવે શું ઉપાય કરે ?” શ્રેણી બેલ્યો કે-“આ પુતળી બનાવનાર કારીગર એપાર. કપુરમાં રહે છે તેને પૂછે, તે મમ બતાવશે.” મિત્રાનંદ બોલ્યા કે “હે પિતા! જે તમે આ મારા મિત્રની સંભાળ રાખે તે હું પારકપુરે જઈને તે કારીગરને પૂછું કે“આ પુતળી તેણે સ્વભાવથી જ ઘડી છે કે કોઈ વર્તમાન સ્ત્રીનું રૂપ જોઈને ઘડી છે? જે કદાચ આવી કઈ પણ કન્યા હશે, તો હું મારા મિત્રને મનોરથ પૂર્ણ કરીશ.” તે સાંભળી શ્રેષ્ઠીએ અમરદત્તની સંભાળ રાખવાનું અંગીકાર કર્યું. ત્યારે અમરદત્ત બેલ્યો કે- હે મિત્ર! તું જાય છે, પણ જે હું તને આપત્તિ પ્રાપ્ત થયાનું સાંભળીશ તે મારા પ્રાણ નાશ પામશે.” મિત્રાનંદ બોલ્યો કે-“જે હું બે માસમાં પાછો ન આવું તે મિત્ર નથી એમ જાણજે.” આ પ્રમાણે તેને ધૈર્ય આપીને મિત્રાનંદ પારકપુરે પહેર્યો અને ઉત્તમ વેષ ધારણ કરીને તે કારીગરને ઘેર ગયો. કારીગરે તેને સત્કાર કરી આવવાનું કારણ પૂછયું, ત્યારે મિત્રાનંદે કહ્યું કે-“મારે એક દેવળ બંધાવવાની ઈચ્છા છે પરંતુ કઈ પણ ઠેકાણે તમારું બાંધેલું દેવળ હોય તો દેખાડો.” કારીગર બોલ્યો કે “પાટલીપુરમાં મેં મારા હાથથી એક પ્રાસાદ કર્યો છે, તે તમે જોયો છે?” મિત્રાનંદે કહ્યું કે-“હા જે છે, પણ તે પ્રાસાદમાં એક પુતળી છે, તેનું રુપ તમે તમારી બુદ્ધિકલ્પનાથી કયું છે? કે એવું રુપ સાક્ષાત્ કઈ ઠેકાણે જોઈને કયું છે ?” કારીગરે કહ્યું કે-“અવ ન્તી નગરીના રાજાની પુત્રી રત્નમંજરીનું સ્વરુપ જોઈને તે પુતળી મેં કરી છે.” ત્યારે મિત્રાનંદે તેને કહ્યું કે-“ઠીક ત્યારે હું સારું મુહૂર્ત જોઈને તમારી પાસે આવીશ, તમે તૈયાર થઈને રહેજે,” એમ કહીને તે અવન્તી નગરીએ ગયો અને ગામના દરવાજા પાસે એક દેવાલય હતું તેમાં તેણે નિવાસ કર્યો. તેવામાં તેણે કઈ એક ગૃહસ્થ કરાવેલી ઉદ્યોષણા સાંભળી કે-“રાત્રિના ચાર પહેર સુધી આ મડદાનું જે રક્ષણ કરે તેને એક હજાર સેનામહોર હું આપીશ.” આ પ્રમાણે સાંભળીને મિત્રાનંદે શબને સાચવવાનું અંગીકાર કર્યું. તે વખતે તેને લોકેએ શીખામણ આપી કે-“આ નગરમાં મોડી રાતે ગામના દરવાજા બંધ થઈ ગયા પછી જે કઈ મરી જાય તેના મૃતકને મારી ખાઈ જાય છે, માટે તારામાં તેનાથી રક્ષણ કરવાનું સામર્થ્ય હોય તે આ કાર્ય અંગીકાર કરજે.” મિત્રાનંદે કહ્યું કે-“વીર પુરુષને આમાં મોટું કાર્ય શું છે?” પછી તે ગૃહસ્થ ઠરાવના અર્ધા રુપીઆ તથા શબ સોપ્યું, અને બાકીના રુપીઆ પ્રાતઃકાળે આપીશ, એમ કહીને તે પોતાને ઘેર ગયો. અહીં મિત્રાનંદ શબનું રક્ષણ કરવા રહ્યો છે, ત્યાં મધ્યરાત્રિએ ભૂત, પ્રેત વિગેરેના ઉપસર્ગો થવા લાગ્યા, પણ તેણે તે ધૈર્યથી દૂર કર્યા, અને આખી રાત્રિ શબનું રક્ષણ કર્યું. પ્રાતઃકાળે તે શબને લઈ જઈને તેના સ્વજનેએ અગ્નિદાહ કર્યો. ૧ મરકી અથવા કોઈ દેવી વિશેષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy