SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૮ - | શ્રી વિજયપઘસરિકત પટ્ટરાણી હતી. એકદા તેણે રાજાના મસ્તક પર ઉગેલો એક પળી (ધૂળે વાળ ) કાઢીને રાજાને દેખાડ્યો. તે જોઈને રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો, તેથી રાણી સહિત તેણે તાપસી દીક્ષા ગ્રહણ કરી. અન્યદા ગુપ્ત ગર્ભવાળી રાણી તાપસીએ પુત્ર પ્રસ. પરંતુ અમેગ્ય આહારના પ્રભાવથી તે મૂછગત થઈને મરણ પામી. તે જોઈને તે તાપસ ચિંતાતુર થયે. પછી તેણે પિતાના કોઈ રાગી શ્રેષ્ઠીને તે પુત્રને પાળવા આપે. શ્રેષ્ઠીએ પિતાની સ્ત્રીને આપ્યું. તે પુત્રનું નામ અમદત્ત રાખ્યું. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો. તેને મિત્રાનંદ નામે એક મિત્ર થયો. એકદા તે બન્ને મિત્રો શિપ્રા નદીને કાંઠે આવેલા એક વડની પાસે માઈ દાંડીએ રમતા હતા. તે વખતે અમરદ દંડ વડે માઈ ઉછાળી. તે વડ વૃક્ષે બાંધેલા કેઈ ચારના મૃતકના મુખમાં પડી. તે જોઈને હસતાં હસતાં મિત્રાનંદે મિત્રને કહ્યું કે-“ આ અદ્દભુત બનાવ તે જુઓ !” ત્યારે તે ચરનું શબ બોલ્યું કે“અરે તું કેમ હસે છે? તારી પણ આવી જ દશા થશે, અને આજ પ્રમાણે તારા મુખમાં પણ મોઈ પડશે.” તે સાંભળીને મિત્રાનંદ ભય પામે, અને કોઈ પણ ઠેકાણે રતિ પામ્યું નહીં. તેને શાંત કરવા માટે અમરદત્ત શિખામણ દેવા લાગે કે-“હે મિત્ર ! મૃતકમાં પ્રવેશ કરેલા બંતરના વચનથી કેમ ભય પામે છે? તેણે તો તને મશ્કરીમાં કહ્યું હશે, તો પણ તું ઉદ્યમ કર. કહ્યું છે કે – આપત્નિમિત્તદષ્ટાપિ, જીવિતાંતવિધાયિની શાંતા પુરૂષકારેણ, જ્ઞાનગર્ભસ્ય મંત્રિણ છે ૧છે અર્થ–“જ્ઞાન” નામના મંત્રીની પ્રાણુને નાશ કરનારી આપત્તિ નિમિત્ત વડે જાયા છતાં પણ પુરૂષાર્થ વડે શાંત થઈ.” “માટે આપણે આ સ્થાન છોડીને બીજે ઠેકાણે જઈએ.” પછી તુલ્ય સુખ દુઃખવાળા તે બન્ને મિત્રો ત્યાંથી નીકળીને પાટલીપુરની નજીક જઈ પહોંચ્યા. ત્યાં વૃક્ષ વિગેરેથી સુશોભિત એક બગીચામાં ઉંચા મહેલને જોઈને બાગની શોભા જોતાં જોતાં મહેલમાં ગયા. ત્યાં સાક્ષાત્ બ્રહ્માએ બનાવી હોય તેવી એક રૂપવતી જુવાન સ્ત્રીની પુતળી જેવામાં આવી. તેનાં રૂપ તથા લાવણ્યને જોઈને અમરદત્ત મોહ પામી ગયા. તેથી તે ત્યાંથી આઘે પાછો પણ જાય નહી, ત્યાં જ સ્થિર થઈ ગયો. મિત્રાનંદ તેને વારંવાર ગામમાં જવાનું કહેતાં થાકી ગયે, છેવટ તે બેલ્યો કે-“હે મિત્ર અમરદત્ત ! આ પથ્થરની પુતળી ઉપર પ્રીતિ બાંધીને શું ઉભે છે? કેમકે આકાશને મંથન કરવાની જેમ તારી ઈચ્છા નિષ્ફળ છે.” અમરદત્તે કહ્યું કે “હે મિત્ર! જે હું અહીંથી ચાલીશ તે જરુર મારું મૃત્યુ થશે.” તે સાંભળીને મિત્રાનંદ અત્યંત રેવા લાગ્યો, એટલે અમરદત્ત ૧ જે ગર્ભ દેખાવ ન જણાય તે ગૂઢગર્ભ કહેવાય છે. રાણુને પ્રથમ સંસારીપણામાં ગર્ભ રહેલો તે જાણવામાં ન આવવાથી તે તાપસી થઈ હતી. નહી તે ગર્ભિણી સ્ત્રીને તાપસી દીક્ષા પણ અપાય નહી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy