SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શિનાચિંતામણિ ] પ્રાસુક અને એષણય આપવા લાગી. પછી મનના ઉલ્લાસ પૂર્વક શુભ પરિણામે કરીને તે ધનીએ ચારિત્ર ગ્રહણ કર્યું, અને અતિચાર રહિત ચારિત્રની આરાધના કરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી અવીને આ તારી વિપુલમતિ નામે સ્ત્રી થઈ છે. ગુરૂની ભક્તિ કરવાથી તેની આવી નિમળ બુદ્ધિ થઈ છે, અને ભેળસંપત્તિ પણ આ પ્રમાણે પિતાના પૂર્વભવનું વૃત્તાંત ગુરૂમુખથી સાંભળીને તે વિપુલમતિને જાતિસ્મરણ થયું, તેથી સંશય રહિત થઈને હર્ષથી તેણે ગુરૂને પૂછયું કે “હે સ્વામી! વૈયાવૃત્યના કેટલા પ્રકાર છે?” ગુરૂ બાલ્યા કે “હે ભાવિક સ્ત્રી ! વૈયાવૃત્યના દશ પ્રકાર છે– આયરિય ઉવક્ઝાએ, ઘેર તવસ્સી ગિલાણ સેહે આ સાહસ્મિય કુલ ગણ, સંધસંગમં તમિહ કાયવ્ર ૧ અર્થ–“આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન (રેગી), નવદીક્ષિત શિષ્ય, સાધર્મિક, કુળ, ગણ અને સંઘ એ દશનું જે વૈયાવચ્ચ કરવું તે જ દશ ભેદે વૈયાવચ્ચના સમજવા. આ પ્રમાણે સાંભળીને વિપુલમતિ નિરંતર વૈયાવૃત્ય કરવામાં તત્પર થઈ. અનુક્રમે મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ. ત્યાંથી એવી થડા કાળમાં સિદ્ધિના સુખને પામશે. “આ વૈયાવૃત્યરૂપ અત્યંતર તપનું નિરંતર આરાધન કરનાર ભવ્ય જી આહાર કરતાં છતાં પણ તપનું ફળ પામે છે. આ તપનું ફળ પ્રત્યક્ષ જોઈને વિપુલમતિએ તે ત૫ સ્વીકાર્યો અને તેથી ધ્રુવ (મક્ષ ) પદને પામી.” શ્રીજિન ધર્મનું મૂલ-વિનય ગુણ છે. આ બીના જણાવીને શ્રીગણધરે દેશના દેતાં કહ્યું કે જેમાં ક્ષમા ગુણની પ્રધાનતા છે, તે આ શ્રી જિનધર્મ છે. કેધનાં કડવાં ફલે કેને ભેગવવા નથી પડયા? વગેરે બીના સમજીને ક્રોધને ત્યાગ કરવાથી ક્ષમા ગુણને પામી શકાય છે. આ હકીક્ત દષ્ટાંત સાથે ટૂંકામાં આ પ્રમાણે જાણવી– બદ્ધ યદ્યન ક્રોધેન, વસા પૂર્વજન્મનિ રૂદભિઘતેવયં, તત્કહ શરીરિભિઃ છે ૧છે અર્થ–સંસારી જીવોએ પૂર્વ જન્મમાં વચન વડે કરીને કોધથી જે કર્મ બાંધ્યું - હોય તે કર્મ આ જન્મમાં તે જીવેને રેતાં રેતાં પણ અવશ્ય જોગવવું પડે છે.” આ હકીકતને યથાર્થ સમજાવનારી અમરદત્ત ને મિત્રાનંદની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી. અમરપુર નગરમાં મકરધ્વજ નામે રાજા રાજ્ય કરતું હતું. તેને મદનસેના નામની ( ૧ વૃહમુનિ. ૨. એક સરિને પરિવાર. ૩. ઘણા આચાર્યોને પરિવાર, Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy