SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ | વિજયાદસૂરિકૃતળનું આગળ આવીને ઉભું રહે છે. હવે તું દાનાદિક ધર્મક્રિયામાં તત્પર થઈને માર ઘરમાંજ રહે.” પનીએ તે વાત કબુલ કરી, અને પિતાના કહેવા પ્રમાણે ધર્મક્રિયા કરવા માંડી. એકદા ત્યાં કેઈ સાધુઓ આવ્યા, તેમને વંદના કરીને ધનીએ પૂછયું કે હે ગુરુ ! એ કે ઈ મંત્ર, જંત્ર કે તંત્ર છે કે જેથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય, અને હું યુવાન પુરુષને સ્પૃહા કરવા લાયક થાઉં?” મુનિએ જવાબ આપ્યો કે “અમે કાંઈ જાણતા નથી, પણ પુષ્પાકર ઉદ્યાનમાં અમારા ગુરુ શીલાકર નામના આચાર્ય પધાર્યા છે તે બધું જાણે છે.” તે સાંભળીને ધની આચાર્ય મહારાજા પાસે ગઈ, અને વંદના કરીને તેમને પણ પ્રથમની જેમ સૌભાગ્યમંત્રાદિ માટે પૂછયું. આચાર્ય બાલ્યા કે– તિલુક્વસીકરણે, સમથમણચિંતિથ્થસંજણ જિણપત્રો ધમ્મ, સે ચેવ ન અન્નો ને ૧ જેહિ વિહિઓ ન ધમ્મ, પુવુિં તે ઇથ દુખિયા જીવા છે કિં પસરઈ દારિદ્ધ, ચિંતારયણે વિ સંપત્તિ છે જે છે “અર્થ—ત્રણે લોકને વશ કરનાર અને સમગ્ર મનમાં ચાહેલા પદાર્થને આપનાર એ એક જિનેશ્વરકથિત ધર્મ રૂપી મંત્ર જ શ્રેષ્ઠ છે બીજે કઈ મંત્ર તે નથી. જેણે પૂર્વ જન્મમાં ધર્મનું અનુષ્ઠાન કર્યું નથી તેઓ જ આ જન્મમાં દુઃખી થાય છે, બાકી જેને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું હોય તેની પાસે શું દારિદ્રય રહી શકે?” તે સાંભળીને ગોવર્ધન શેઠે પૂછયું કે “હે ગુરૂ! આ મારી પુત્રીએ પૂર્વ જન્મમાં કેવું પાપકર્મ કર્યું છે કે જેથી આ ભવમાં આવા દુર્ભાગ્યથી કલંકિત થઈ?” આચાર્ય બોલ્યા કે “આ તારી પુત્રીએ પ્રથમ રેહિણીના ભવમાં ગુરૂની અવજ્ઞા કરી હતી, તેથી અસંખ્ય જન્મમાં અનેક દુઃખે અનુભવીને આ ભવે તારી પુત્રી થઈ છે. પૂર્વભવનું કર્મ ભોગવવું કાંઈક બાકી રહ્યું છે, તેથી આ જન્મમાં પણ તેને આવું દુર્ભાગ્ય પ્રાપ્ત થયું છે.” આ પ્રમાણે સાંભળતાંજ ધનને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું, તેથી તેણે પોતાને પૂર્વભવ દીઠા એટલે તે બોલી કે “હે પૂજ્ય ગુરૂ! આપનું કહેવું સત્ય છે.” ગુરૂ બોલ્યા કે – ઈહલેઇએ વિ કાજે, સુગુરૂં પણમતિ માણવા નિર્ચા - કિં પુણ પરલોઅપહેઘમ્માયરિએ પવિરામ છે ? ભાવાર્થ—મનુષ્ય આ લેકનાં વ્યાવહારિક કાર્યોમાં પણ સદગુરૂને હંમેશાં નમે છે, તે પછી પરલોકના માર્ગમાં પ્રદીપ સમાન આચાર્યને નમવું તેમાં તે શું કહેવું?” ( આ પ્રમાણે સાંભળીને ધની પૂર્વે કરેલાં પાપની આલોચના કરીને ગુરૂ પાસે બાર અગ્રત રૂ૫ ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરી ધર્મક્રિયામાં તત્પર થઈ તીવ્ર તપ કરવા લાગી. પારણાને દિવસેવા, અન્ન, પાત્ર, શયા વિગેરે જે જે જેને અનુકુળ હોય તે તેમને ( સાધુઓને) Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy