SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનચિંતામણી ] જહ કોલંધણમણુયલ્સ, રેગિણ સહં ગુણાય ભવે આલેયણા વિસુદ્ધસ્ટ, ધમ્મકર્મો તહ સહેલું છે જે છે અર્થ—“જેમ શુદ્ધ કરેલી ભીંત ઉપર ચિત્રેલું ચિત્ર રમણીય લાગે છે, તેવી જ રીતે અતિચાર રહિત શુદ્ધ જીવને વિષે રહેલું સમકિત અધિક ગુણકારી (લાભદાયક) થાય છે. જેમ લંઘન કરેલા રેગીને ઔષધ ગુણકારી થાય છે, તેમ આલયણ સ્પી બંધનથી વિશુદ્ધ થયેલા જીવને સર્વ ધર્મકાર્ય ગુણકારી થાય છે.” તે સાંભળીને રોહિણીએ સર્વ પાપની આલોચના લીધી, પણ પેલા દષ્ટિવિકારની આલેચના લીધી નહી. ત્યારે ગુરુ બેલ્યા કે “હે પુણ્યશાલિ! તે દિવસે હું તારે ઘેર આહાર લેવા આવ્યો હતો, તે વખતે મેં તારે દષ્ટિવિકાર સાક્ષાત્ જોયો હતે, તેની આલોચના કેમ કરતી નથી ?” રાહિણીએ જવાબ આપે કે “તે વણિકપુત્રની સામું મેં માત્ર સ્વભાવે જ (રાગ વિના) જોયું હતું; પણ રાગથી જોયું નહોતું. તે સાંભળીને ગુરુએ તેને લમણુ આર્યાનું દષ્ટાંત આપીને ઘણું સમજાવી તે પણ તેણે માન્યું નહી, અને કહેવા લાગી કે “વારંવાર કહીને ખોટું દૂષણજ શા માટે બતાવે છે? જે આપને ખેડું દૂષણજ આપવું હોય તે મારે ચારિત્રજ લેવું નથી.” એમ બેલીને સમ્યકત્વ ગ્રહણ કરેલી તે ગુરુ ઉપર દ્વેષ કરીને પિતાને ઘેર ચાલી ગઈ. પછી પ્રતિસમયે ઉભરાતા દ્વેષથી તે નિરંતર ગુરુની નિંદા કરવા લાગી. અનુક્રમે તેવાજ દુર્થોનમાં મૃત્યુ પામીને તે કુતરી થઈ, ઋતુ વખતે તેના ગુહાસ્થાનમાં અનેક કૃમિ ઉત્પન્ન થયા, તેની વ્યથાથી મરણ પામીને સર્પિણી (સાપણુ) થઈ. ત્યાં દાવાનળથી બળી મરીને નરકે ગઈ. ત્યાંથી નીકળીને વાઘણ થઈ, ત્યાં પારધિના બાણથી મૃત્યુ પામીને પાછી નરકે ગઈ. વિગેરે પ્રકારે તિર્યંચ તથા નરકમાં અસંખ્ય વાર ઉત્પન્ન થઈને અત્યંત દુસહ દુઃખ પામી. પછી મનુષ્યપણામાં બહુ વખત સ્ત્રીપણું પામીને દુર્ભાગ્ય, દારિદ્ર, વ્યાધિ, શક, પતિવિયોગ વિગેરે અનેક પ્રકારનાં દુઃખ ભોગવીને અસંખ્ય કાળે ધન્ય નામના પુરમાં ગોવર્ધન શેઠની ધની નામે પુત્રી થઈ. તે યુવાવસ્થા પામી એટલે તેને નગરશેઠના પુત્રે જઈ, અને તેના સ્વરૂપથી મોહિત થઈ તેની માગણી કરીને તેને પરણ્યો. પછી શયનગૃહમાં સુવા ગયે. તે વખતે તેના અંગને સ્પર્શ થતાંજ તેને એ તાપ લાગ્યો કે જાણે જાજ્વલ્યમાન અગ્નિના તાપમાં પડ હોય. આ તાપ સહન નહી થવાથી તે (પુત્ર) રાત્રિમાંજ જતો રહ્યો. પ્રાતઃકાળે પુત્રીને રુદન કરતી જોઈને તેના પિતાએ તેને ધીરજ આપી. પછી પિતાના ઘરના ગેવાળને ઘરજમાઈ કરીને તેની સાથે પરણાવી. તે ગોવાળ પણ તેના સ્પર્શથી તાપ પામીને તેને મૂકીને નાસી ગયો. પછી શોકાતુર થયેલી પુત્રીને તેના પિતાએ કહ્યું કે “હે પુત્રી ! આપણા કુળને અયોગ્ય એ તારે પુનર્વિવાહ પણ મેં કર્યો, પણ તારા પૂર્વ કર્મના પ્રભાવથી દુર્ભાગ્ય જ આગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy