SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિતામણ ૨૨૭ દુઃખી થયેલા તેને બીજા સાધુઓએ બે ત્રણ દિવસ સુધી તે આહાર લાવી આપે. પછી તેઓએ અહંકને કહ્યું કે હવે તું પિતેજ ભિક્ષા માટે અટન કર. (લેવાને જા) તારા પિતાની જેમ હવે હમેશાં કઈ લાવીને તેને આહાર આપશે નહી.” આ પ્રમાણે કર્ણમાં સીસું રેડયા જેવું વચન સાંભળીને અહંક ખેદયુક્ત થઈ બીજા મુનિઓની સાથે ભિક્ષા માટે ચાલ્યા. પૂર્વે કોઈ પણ વખત તેણે જરા પણ શ્રમ લીધે નહોતું, અને શરીર અત્યંત સુકુમાર હતું, તેથી ગ્રીષ્મ ઋતુના સૂર્યનાં ઉગ્ર કિરણથી તપેલી ધૂળમાં ચાલવાથી તેના પગ દાઝવા લાગ્યા, માથું પણ સૂર્યનાં કિરણોથી તપી ગયું, અને તરસ લાગવાથી મુખ પણ સૂકાઈ ગયું. તેવી રીતે ચાલતાં તે અહંક મુનિ બીજા સાધુઓથી પાછળ રહી ગયા, એટલે વિસામે લેવા માટે કઈ એક ગૃહસ્થના મહેલની છાયામાં ઉભા રહ્યા. ત્યાં ઉભા રહેલા કામદેવ સમાન આકૃતિવાળા તેને ચંદ્રના જેવા મુખવાળી અને જેનો પતિ પરદેશ ગયેલ હતો એવી તે ઘરની માલેક સ્ત્રીએ દીઠા. તે બાળ મુનિને જોઈને તેણે વિચાર્યું કે “અહો ! શું આનું અપૂર્વ સૌન્દર્ય છે કે જે જેવા માત્રથી જ મારા મનનું આકર્ષણ કરે છે ! માટે આ યુવાનની સાથે વિલાસ કરીને મારું યૌવન સફળ કરું.” એમ વિચારીને તેણે તે સાધુને બોલાવવા માટે દાસીને મોકલી. દાસીએ તેને બેલાવ્યા, એટલે તે પણ તેના ઘરમાં ગયા. તેને આવતાં જોઈને હર્ષ પ્રકટવાથી જેના કુચકુંભ પ્રફલ્લિત થયા છે એવી તે સ્ત્રી તેની સામે આવી, અને હાસ્યથી મિશ્રિત થયેલા દાંતનાં કિરણોથી અધરોષ્ઠને તેજસ્વી કરતી તથા નેત્રને નીચાં રાખીને વાંકી દષ્ટિથી કટાક્ષ કરતી તે સ્ત્રીએ તેને પૂછ્યું કે “હે પ્રાણના જીવન સમાન ! તમે શું માગે છે ?” ત્યારે અહંન્નક મુનિ બોલ્યા કે “હે સારા લેશનવાળી કામદેવની પ્રિયા ! હું ભિક્ષા માગું છું.” તે સાંભળીને તેણે વિચાર્યું કે “આ સાધુને હું કામદેવને ઉદ્દીપન કરનારાં ઔષધોથી મિશ્રિત, સ્ત્રિગ્ધ, મધુર અને જેવા માત્રથીજ વિકાર ઉત્પન્ન કરે તે આહાર આપીને વશ કરું.” એમ વિચારીને તેણે મનોહર એવા ઘણા મોદક તે મુનિને આપ્યા. તે પણ પર્યટન કરવાથી ગ્લાનિ પામ્યા હતા, તેથી આવા સુંદર મેદિક મળવાથી ઘણે હર્ષ પામ્યા. પછી તે સ્ત્રીએ સ્નેહયુક્ત દષ્ટિથી જોતાં જોતાં તેને પૂછ્યું કે “હે યુવાન ! મારા અંગમાં વ્યાપેલા કામવિકારના તાપસમૂહનું નિવારણ કરવામાં સમર્થ તથા કદલીના સ્તંભ જેવી કેમળ જઘાવાળી અને માખણના જેવા સુકુમાર અંગવાળી કમનીય કામિનીઓએ સ્પૃહા કરવા યંગ્ય એવું આ યૌવન પામીને શા માટે પરીષહ રુપી કુઠાર વડે વૃક્ષની જેમ આ પ્રફુલ્લ ચૌવનરૂપી વાડીનું ઉમૂલન કરે છે ? વ્રત ગ્રહણ કરવાનો આ સમય નથી. કેટલાએક સ્ત્રીસુખની લાલસાવાળા જીવે ક્ષુધા તૃષાદિક કષ્ટ સહન કરે છે, તો પણ તેઓને સ્વને પણ તેવા સુખની પ્રાપ્તિ દુર્લભ જણાય છે. તમને તો તેવું સુખ અત્યારે અનાયાસે પ્રાપ્ત થયું છે, માટે આટલા દિવસ પાલન કરેલા વ્રતનું આ ફલ પ્રાપ્ત થયું છે એમ જાણે. વળી, કુરૂપસ્થિસ્થવિરકર્કશાંગજનચિતામાં ઈમાં કષ્ટકિયાં મુંચ, સુધા સ્વ વંચસ્વ મા છે ૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy