SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ [ શ્રી વિજયપધરિકૃતસાત શિષ્યો મેક્ષ પામશે” એ ઉત્તર આપ્યો. તે વખતે સંદેહ ઉત્પન્ન થવાથી ગૌતમ વિગેરે મુનિઓએ સ્વામીને પૂછયું કે “હે ભગવન્ ! આ દેએ બાહ્ય વિનય કેમ ન કર્યો?” ત્યારે પ્રભુએ આન્તર ભક્તિથી પૂછેલા પ્રશ્નાદિકનું સર્વ વૃત્તાન્ત કહ્યું, તે સાંભળીને તેઓ વિસ્મય પામ્યા (૨) કેઈક પ્રાણી અતિમુક્ત ઋષિની જેમ બન્ને પ્રકારને વિનય કરે છે (૩). તથા કઈ પ્રાણી ગોછામાહિલ અને મખલીપુત્ર વિગેરેની જેમ બેમાંથી એક પ્રકારને વિનય કરતા નથી (૪). આ બન્ને પ્રકારના વિનય લૌકિક તથા લકત્તર ભેદે કરીને બે બે પ્રકારના છે. તેમાં પિતા વિગેરેને વિષે પ્રણામ વિગેરે બાહ્ય વિનય કરે તે લૌકિક બાહ્ય વિનય કહેવાય છે, અને તે પિતા વિગેરેને વિષે આંતર પ્રીતિથી વંદન, અભ્યસ્થાનાદિક કરવાં તે લૌકિક અભ્યન્તર વિનય કહેવાય છે. લોકેત્તર એવા જૈન માર્ગમાં રહેલા આચાર્યાદિકને અભ્યત્થાનાદિક બાહ્ય વિનય કરે, તે કેત્તર બાહ્ય વિનય કહેવાય છે, તથા તે આચાર્યાદિકની અંતરંગ પ્રીતિથી વિધિ વંદનાદિકવડે ભક્તિ કરવી, તે લોકોત્તર અત્યંતર વિનય કહેવાય છે. બીજા સર્વ ગુણોથી ભ્રષ્ટ થયા છતાં પણ જે વિનયવાળો હોય તે તે શ્રી જિન ધમને પામી શકે છે. કહ્યું છે કે અચૅર્ગણ પ્રભ્રોડપિ, યતિ વિનયે દયા ભૂ ગુણાનવામોતિ, અહંન્નકનિદર્શનમ્ છે અર્થ_“બીજા ગુણોથી ભ્રષ્ટ થયા છતાં પણ જે વિનય ગુણ દઢ રહ્યો હોય તો તે ફરીથી પણ અહંકની જેમ ગુણને પામે છે.” છે આ અહંન્નક (અરણિક) મુનિની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી છે તગરા નામની નગરીમાં દત્ત નામે શ્રાવક રહેતો હતો. તેને ભદ્રા નામની પત્ની સાથે પાંચ ઈન્દ્રિય સંબંધી સુખ ભોગવતાં અન્નક નામને પુત્ર થયો. એકદા અઈન્મિત્ર નામના સૂરિ પાસે શ્રીજિનધર્મનું સ્વરૂપ મહિમા વગેરે ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પામેલા દત્તે પિતાની સ્ત્રી અને પુત્ર સહિત દીક્ષા ગ્રહણ કરી. દત્ત મુનિ સારી રીતે ક્રિયાયુક્ત છતાં પણ “આગળ જતાં મારે પુત્ર સંયમનું પાલન કરશે” એમ ધારીને તથા પુત્ર ઉપરના વાત્સલ્યને લીધે ઉત્તમ ભેજન લાવી લાવીને પુત્રનું પિષણ કરતા હતા, કે ઈપણ વખત પુત્રને ભિક્ષા લેવા મોકલતા નહી. તે જોઈને બીજા સાધુઓ “આ બાળ સાધુ સમર્થ છતાં પણ તેની પાસે શા માટે ભિક્ષા મંગાવતા નથી?” ઈત્યાદિક મનમાં વિચાર કરતા, પણ તેને કાંઈ પણ કહી શકતા નહી. કેમકે પિતા પુત્રનું પાલન કરે તેમાં કોણ નિષેધ કરી શકે? પછી કેટલેક કાળે દત્ત મુનિ ઉન્હાળાના સમયમાં સમાધિથી મરણ પામ્યા. તેના વિયોગથી અહંન્નક સાધુને મહા દુઃખ પ્રાપ્ત થયું. પિતાના વિરહથી Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy