SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સના ચિંતામણિ ] ત્યારે જ તે વ્રતને યોગ્ય સ્વભાવ ( આત્મભાવ ) પ્રગટ થાય છે.” પછી રાજાએ તે ભારવાહકેના નાયકને કહ્યું કે “સમસ્ત મુદ્દગલની આશા રહિત એવું મુનિપણું અતૃપ્ત જીને એક દિવસ પણ ફરસી શકતું નથી.” પંચાખ્ય બે કે “હે રાજા ! તે મુનિએ યૌવન અવસ્થા છતાં પણ પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલું કાંચન, કામિની અને રાજ્યનું સુખ તૃણ માત્રની જેમ છોડી દઈને જીવન પર્યત સંયમને ભાર વહન કરવાનું સ્વીકાર્યું છે, અને તેજ પ્રમાણે તે છેલ્લા શ્વાસોચ્છસ સુધી પાલન કરશે. મેં પણ શ્રી મુમુક્ષુ (તીર્થંકર) ભાષિત સ્યાદ્વાદયુક્ત આગમનાં વચનોને સાંભળીને મહાવ્રત ગ્રહણ કર્યા હતાં, પરંતુ હું તે તેમાં નપુંસક બળદ જે થઈ ગયો. હાથીને ભાર તે હાથીજ ઉપાડી શકે, ગધેડે ઉપાડી શકે નહી. વળી વિશ્વમાં આ સમગ્ર પૃથ્વી, સમુદ્ર, પર્વત અને વૃક્ષો વિગેરેને ભાર ઉપાડવામાં સમર્થ એવા કેટલાક પુરુષોને સાંભળીએ છીએ, પણ આ મહાવ્રતના ભાર વહન કરવામાં તે તે ક્ષમાવાન મુનિજ સમર્થ છે એમ હું માનું છું; તે માટેજ હે રાજન! હું માર્ગમાં તેમને વિનયથી નમ્પ છું, તથા તેમની પ્રશંસા પણ તેટલા માટેજ કરી છે.” આ પ્રમાણે પંચાખ્યનાં વચન સાંભળીને રાજા વિગેરે તમામ ભવ્ય જીવ જન મુનિનો વિનય કરવામાં તત્પર થયા, અને પંચાખની આવી બુદ્ધિથી રંજિત થયેલા રાજાએ તેને પિતાને હાર સેવક કરીને રાખ્યો અને તેની પાસે નિરંતર ધર્મકથા શ્રવણ કરવા લાગ્યા. આ ભારવાહકે જો કે દુખે ધારણ કરી શકાય તેવા ચારિત્રના ગુણેને ત્યાગ કર્યો હત, તો પણ તેણે રાજાદિકને ધર્મના રાગી કર્યા. તેનું કારણ એ કે સર્વ ગુણના મોટા ભાઈ જેવા વિનય ગુણને તેણે છોડયો નહતો અને તેજ ગુણથી તે પરિણામે સર્વોત્તમપણું પામશે.” હવે વિનય ગુણના ભેદ પ્રદાદિનું સ્વરૂપ ટૂંકામાં દષ્ટાંત સાથે આ રીતે જાણવું– બાહ્યાભ્યન્તરભેદાભ્યાં, દ્વિવિધ વિનય મૃતઃ તદેકૈકેડપિ દ્વિભેદ, લોકલેકે રાત્મક છે ૧ અર્થ–“બાહ્ય તથા અભ્યન્તર ભેદવડે વિનય બે પ્રકારને કહે છે. તે બાહા તથા અભ્યન્તરના પણ લૌકિક અને લેત્તર એવા બે બે ભેદ છે.” વંદન કરવું, વચનથી સ્તુતિ કરવી, ઉભા થવું, સન્મુખ જવું, એ વિગેરે બાહા વિનય કહેવાય છે અને અન્તઃકરણથી વંદનાદિક કરવું, તે અભ્યન્તર વિનય કહેવાય છે. આ બે પ્રકારના વિનયના ચાર ભાંગા થઈ શકે છે. તે આ પ્રમાણે--- કેઈક પ્રાણી માત્ર બાહ્ય વિનય દેખાડે છે, પણ તેને અન્યત્ર વિનય હેતો નથી. શીતળાચાર્યની જેમ. (૧). કેઈ પ્રાણુ અભ્યન્તર વિનય કરે છે, પણ બાહ્ય વિનય કરતું નથી, સાતમા દેવલેકના દેવતાની જેમ. તે વિષે પાંચમા અંગમાં કહ્યું છે કે–સાતમા દેવકના દેએ શ્રી મહાવીરસ્વામીને ભાવથી વંદન કરીને મનવડે જ પ્રશ્ન કર્યો, તેથી પ્રભુએ પણ “મારા ૨૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy