SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ( વિજ્યપદ્મચરિકૃતઅર્થ–“જે સાધુ મનેશ ને અમનેશ એવા આંગતુક શબ્દ, રુપ, રસ અને ગબ્ધ એ ચાર તથા સ્પર્શ મળી પાંચ પ્રકારના ઈન્દ્રિયના વિષયને પામીને તેના પર આસક્તિ કે પ્રષ કરે નહી તે પંડિત, જિતેન્દ્રિય ને સર્વ સાવધ કર્મથી વિરક્ત એ સાધુ અકિચન એટલે પરિગ્રહ રહિત કહેવાય છે.” વિશેષાર્થ–“જે સાધુ મનેશ (ઈષ્ટ) શબ્દ, રૂપ, રસ, ગંધ એ ચાર પ્રકારના ભાવતા એવા ઈન્દ્રિયના વિષે પ્રત્યે તેમજ સ્પર્શ પ્રત્યે એટલે મને અને અમને જ્ઞ ( ઈષ્ટ અને અનિષ્ટ) એવા વિષયને પામીને અનુક્રમે તેના પર ગૃદ્ધિ તે મૂછ અને પ્રષ એટલે દ્વેષ અનુક્રમે ન કરે, એટલે ઈષ્ટ વિષયને પામીને ગૃદ્ધિ ન કરે અને અનિષ્ટ વિષયને પામીને પ ન કરે તે મુનિ દાંત, જિતેન્દ્રિય, સર્વ સાવદ્ય ભેગથી વિરત અને અકિંચનનિપરિગ્રહી થાય છે. પાંચ પ્રકારના વિષય સંબંધી રાગ અને દ્વેષ તજી દે એ પાંચમા વ્રતની પાંચ ભાવના જાણવી. આ પ્રમાણે દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ મળીને પચીશ ભાવના જાણવી. ઈત્યાદિ અનેક યુક્તિથી મહાવતને ભાર ઉપાડે દુષ્કર છે. પંચાખ્ય નામના મજુર પાસેથી આ પ્રમાણેની હકીકત સાંભળીને રાજા બોલ્યા કે “હે પંચાખ્ય! તું મહા પરાક્રમી છે. આટલે પાંચ કળશીને મોટે ભાર વહન કરે છે, મહાકષ્ટને અનુભવ કરે છે, છતાં તે પંચમહાવ્રતને ત્યાગ શા માટે કર્યો? કેમકે તેમાં કાંઈ ભાર નથી, આ મહાવ્રતો તો સુખેથી નિર્વાહ થઈ શકે ( પાળી શકાય ) તેવાં છે, મને તે તેમાં કાંઈ પણ દુષ્કર જણાતું નથી.” તે સાંભળીને પંચાડે છે કે “હે સ્વામી ! આપે ઘણીવાર ઈન્દ્રિયોને એવા વિષયો ભેગવ્યા છે, હવે આપના પુત્રને રાજ્ય સેંપીને મુનિને યેાગ્ય એવું સંયમ એક જ દિવસને માટે અંગીકાર કરે, અને તેને યેગ્ય ક્રિયાનુષ્ઠાન કરે.” આ પ્રમાણેનાં પંચાખ્યના વચનથી તે અભિમાની રાજા વ્રતને માટે ઉદ્યમી થયા. તે વાત જાણીને તેની રાણીઓ બેલી કે “હે પ્રાણનાથ ! અમે તમારૂં પડખું એક ક્ષણ પણ છોડશું નહી, તમારા વિના અમે કઈ પણ વસ્તુથી રતિ (હર્ષ પામશું નહીં. વળી મનહર-રમણિક કામિનીના ભેગને યોગ્ય એવું આ તમારું શરીર અંત, પ્રાંત અને તુચ્છ આહારદિક બાવીશ પ્રકારના પરિષહો સેવવાથી નાશ પામશે. તે વખતે પછી તમને નિરંતર પશ્ચાત્તાપ થશે; કેમકે દુઃખ ભેગવવું તે સહેલું નથી. હે નાથ! જો કે હમણાં તમે નિસ્પૃહ અને હંમેશાં પરવસ્તુને નહી ઈચ્છનારા એવા મુનિના ગુણેને તિરસ્કાર કરવા માટે અહંકારને લીધે આ કાર્ય કરવા ઈચ્છે છે, પણ તે વ્યાજબી નથી; કેમકે તે કાર્ય તો સમગ્ર પ્રકારના દર્પ, દંભ અને ગર્વથી રહિત એવા પુરુષેજ કરી શકે છે.” ઈત્યાદિ સાંભળીને રાજા બોલ્યા કે “અહો ! આ અતિ દુષ્કર કાર્ય મેં અજ્ઞાનથી જ ચિંતવ્યું, કેમકે જ્યારે સર્વથા નિરાશાભાવ પ્રાપ્ત થાય છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy