SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ માનચિંતામણી ] તેની પાસે યાચના કરી હોય ને ખરા સ્વામી પાસે યાચના ન કરી હોય તે પરસ્પર વિરોધાદિક દોષો પ્રાપ્ત થાય છે (૨). પછી તે આજ્ઞા લીધેલા અવગ્રહમાં તૃણાદિક ગ્રહણ કરવા માટે મતિમાન સાધુ ચેષ્ટા એટલે યત્ન કરે, અર્થાત્ અવગ્રહ આપનારનું આજ્ઞાવચન સાંભળીને તૃણદિક પણ વાપરે, આજ્ઞા વિના વાપરે તે અદત્તનું ગ્રહણ કર્યું કહેવાય (૨). તથા સાધુ સર્વદા અવગ્રહની સ્પષ્ટ મર્યાદા પૂર્વક યાચના કરે, અર્થાત્ સ્વામીએ એકવાર અવગ્રહ આપ્યા છતાં પણ વારંવાર માત્રુ વિગેરે પરઠવવાના કાર્યમાં અવગ્રહની યાચના કરે (૩). ગુરુ વિગેરેની આજ્ઞા લઈને પાન ભેજન વિગેરે વાપરે, અર્થાત્ જે કાંઈ ચીજ વાપરવી તે સર્વ ગુરુની આજ્ઞા પૂર્વકજ વાપરવી જોઈએ, નહીં તો અદત્ત ભેગવ્યાને દોષ લાગે છે (૪). સરખા ધર્મનું જે આચરણ કરે તે સાધર્મિક કહેવાય છે, અર્થાત્ એકજ શાસનમાં વતનારા સંવેગી સાધુઓએ પ્રથમથી તે સ્થાન યાચનાપૂર્વક ગ્રહણ કરેલું હોય તે તેમની પાસેથી માસ વિગેરે અવધિનું તથા પંચકોશાદિ ક્ષેત્રનું માન કરીને રહેવા માટે માગી લેવું, તેમની આજ્ઞાથીજ ઉપાશ્રય વિગેરે સર્વ ગ્રહણ કરવું, નહીં તે અદત્તને ભાગે લાગે છે. (૫) હવે ચેથા બ્રહ્મચર્ય વ્રતની ભાવના આ પ્રમાણે છે – આહારગુત્તે અવિભૂસિયપ્પાઇસ્થિ ન નિઝાય ન સંથક્યા છે બુદ્ધ મુણી ખુદ્દકીં ન મુજજા, ધમ્માણુપેહી બંભર સંધએ કે આ અર્થ– “આહારની ગુપ્તિ કરે, પિતાના દેહને અવિભૂષિત રાખે. સ્ત્રીને જુએ નહી, સ્ત્રીની પ્રશંસા અથવા પરિચય કરે નહી, અને બુદ્ધિમાન મુનિ કથા (ચાર વિકથા વગેરે) કરે નહી, તે તે ધર્માનુપ્રેક્ષી મુનિ બ્રહ્મચર્યને બરાબર ધારણ કરે છે એમ જાણવું.” વિશેષાર્થ આહારની ગમિ રાખવી, એટલે સ્નિગ્ધ ભોજન કરવું નહી, તેમજ અતિમાત્ર ભોજન કરવું નહી; કેમકે તેથી ધાતુ પુષ્ટ થવાથી વેદને ઉદય થાય અને તેથી કરીને કદાચ બ્રહ્મચર્યનું ખંડન પણ થાય. (૧) અવિભૂષિતાત્મા એટલે શરીરને સ્નાન વિલેપન વિગેરે વિવિધ પ્રકારની વિભૂષાથી રહિત રાખવું (૨) સ્ત્રીને અને તેને અંગેપગેને પણ જેવાં નહી (૩) સ્ત્રીની પ્રશંસા કરવી નહી, તથા તેને પરિચય પણ કરે નહી (૪) તથા બુદ્ધિમાન એટલે તત્વને જાણનાર મુનિએ શુદ્ર એટલે અપ્રશસ્ય એવી સ્ત્રીકથા કરવી નહી (૫) આ પાંચ ભાવનાથી જેનું અંતઃકરણ ભાવિત થયું છે, એ ધર્માનુપ્રેક્ષી એટલે ધર્મના આસેવનમાં તત્પર સાધુ બ્રહ્મચર્યને ધારણ કરે છે, અર્થાત્ તે વ્રતને પુષ્ટ કરે છે. પાંચમા મહાવ્રતની ભાવના આ પ્રમાણે છે : જે સદવરસગધમાય, ફાસે ય સં૫૫મણુણપાવએ ગેહી ઉસં ન કરેન્જ પંડિએ, સે ઈદતે વિરએ અકિંચણે છે પા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy