SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ [[ શ્રી વિજ્યપધસરિતએમ સંભળાય છે, માટે મનને નિયમમાં રાખવું એ ચોથી ભાવના. તેવીજ રીતે વાણી પણ દૂષણ રહિત બોલવી કે જેથી હિંસા થાય નહી તે પાંચમી ભાવના. બીજા અસત્યવિરમણ વ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે– અહસ્સ સચ્ચે અણુવીય ભાસએ, જે કઈલેહં ભયમેવ વજ્જએ સે દીહરાયું સમુહિયા સયા, મુણી હુ મેસં પરિવજએ સિયા. ૨ અર્થ–“જે હાસ્ય રહિત સત્ય બોલે, વિચારીને બેલે તથા ક્રોધ લોભ અને ભયને ત્યાગ કરે તે મુનિ દઈરાત્રને સદા જુએ છે, માટે મુનિએ સવદા અસત્યને ત્યાગ કરે.” વિશેષાથ– હાસ્યનો ત્યાગ કરીને સત્ય વાણી બોલવી, કેમકે હાસ્યથી કદાચ અસત્ય પણ બોલાય છે તે પહેલી ભાવના. ૧. વિચારીને એટલે સમ્યગ જ્ઞાનપૂર્વક વિચાર કરીને બાલવું; વગર વિચારે બાલનાર કેઈ વાર અસત્ય પણ બોલી જાય છે અને તેથી પિતાને વૈર, પીડા વિગેરે પ્રાપ્ત થાય છે, તથા જીવહિંસા પણ થાય છે તે બીજી ભાવના. ૨. તથા જે ક્રોધ, લોભ અને ભયને ત્યાગ કરે તે મુનિ દીર્ધરાત્ર એટલે મેક્ષને પોતાની સમીપે જુએ છે, માટે હંમેશાં અસત્યને ત્યાગ કરે. ક્રોધાદિક ત્યાગ કરવાનું તાત્પર્ય એ છે કે-ક્રોધને આધીન થયેલો માણસ જ્યારે બોલે છે ત્યારે તેને સ્વપરની અપેક્ષા (પરવા) રહેતી નથી, તેથી તે જેમ તેમ બોલતાં અસત્ય પણ બોલે છે, માટે તેને ત્યાગ કર શ્રેષ્ઠ છે. ૩ લોભને આધીન થયેલો માણસ પણ ધનના અત્યંત લોભથી ખાટી સાક્ષી પૂરવી વિગેરે અસત્ય બોલે છે, માટે તેને ત્યાગ કરવો. ૪. તથા ભયભીત માણસ પિતાના પ્રાણાદિકનું રક્ષણ કરવા ઈચ્છાથી સત્યવાદીપણાને ત્યાગ કરે છે, માટે મુનિવરે નિર્ભય થઈને મોક્ષમાર્ગને આરાધે છે. પ. ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે સયમેવ ઉગ્ગહ જાયએ ઘડે, મઈમં નિસન્મ સ ભિખ ઉષ્મહં. અણુન્નવિય ભુજિય પાણયણ, જાઈત્તા સાëમિયાણ ઉષ્મહં ૩ છે અર્થ_“સાધુ પિતાની જાતે જ અવગ્રહની યાચના કરે, પછી મતિમાન એવો તે સાધુ [ ગ્ય] ચેષ્ટા (પ્રયત્નો કરે, અવગ્રહની આજ્ઞા સાંભળીને તેમાં રહે, પાન અને ભજન આજ્ઞા લઈને કરે, તથા સાધાર્મિક પાસે અવગ્રહની યાચના કરીને નિવાસ કરે.” વિશેષાર્થ–બીજાની સાથે કહેવડાવ્યા વિના સાધુ પોતેજ) ભગવંતની આજ્ઞા પ્રમાણે ઈન્દ્ર, રાજા, ગૃહપતિ, શય્યાતર અને સાધમિકના ભેદવાળા પાંચ પ્રકારના અવગ્રહની યાચના કરે; અન્ય માણસ પાસે યાચના ન કરાવે, કારણકે જે સ્વામી ન હોય ૧ કેર્ધાદિકના ત્યાગની ત્રણ ભાવને મળીને પાંચ થાય છે. - ૨ ઉપાશ્રય વગેરેની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy