SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] જોઈએ. કારણ કે ગીતાર્થ ગુરૂવગે જણાવેલ જે અપવાદ માર્ગ તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ને ભાવને આધીન છે. એટલે–દ્રવ્યથી જે સાધુ માંદા હોય, ક્ષેત્રથી જે ક્ષેત્રમાં શુદ્ધ ગોચરી મળી શકતી ન હોય, કાલથી ઉનાળે દુકાળ વગેરે પ્રસંગ હોય, અને ભાવથી દાયક (વહરાવનાર)ના ઓછા ભાવ વગેરે હોય. આ કારણે એ ગીતાર્થની આજ્ઞાનુસાર અપવાદ માર્ગ કહ્યો છે. એવું ગૂઢ રહસ્ય ગીતાર્થ જ જાણું શકે. માટે જ જે મુનિઓ ગીતાર્થ છે, તથા ગીતાર્થની નિશ્રામાં રહેનારા છે, તે બંનેને જ પવિત્ર આગમમાં આરાધક કહ્યા છે. તે સિવાયના અગીતાર્થ–મરજી મુજબ સ્વચ્છેદે વર્તનારા છ આરાધક કેટમાં દાખલ થઈ શકે જ નહિ. પ્રશ્ન–ગુરૂ તરીકે માનીને અપાત્રને દાન દેવામાં લાભ ખરે કે નહિ ? ઉત્તર–જે શ્રાવક અપાત્ર ( લાયકાત વિનાના)ને ગુરૂ બુદ્ધિથી દાન આપે, તે એકાંત પાપને બાંધનારે થાય છે. કારણ કે તેણે અપાત્રને તેવી રીતે આપેલું તે દાન તેને અપાત્રપણાને પિષે છે અને તેથી તે (દેનાર) શ્રાવકને લગાર પણ નિર્જરાને લાભ મળતો નથી. માટે શ્રાવકે ગુરૂબુદ્ધિથી સુપાત્ર દાન દેતી વખતે પાત્ર–અપાત્રને જરૂર વિચાર કરે જઈએ. બાકી અનુકંપા દાનમાં આ વિચાર કરે જરૂરી નથી. પ્રશ્ન–સુપાત્ર અને કુપાત્ર કોને કહીએ ઉત્તર–ઉત્તમ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, ક્ષમા વગેરે ગુણેને ધારણ કરે તે સુપાત્ર કહેવાય. આવા ઉત્તમ ગુણોના નિધાન મહાત્માઓ જ ખરી રીતે સંસાર સમુદ્રને તરેલા અથવા તરવા માટે પ્રયત્ન કરનારા કહી શકાય. અને તેઓ જ પાપથી બચીને બીજા ભવ્ય જીને પાપથી બચાવે છે. પાત્ર શબ્દને અર્થ કરતાં કહ્યું છે કે પાકારેણચતે પાપં, ત્રકારસ્ત્રાણવાચકો અક્ષરદ્રયસંગે, પાત્રમાહુર્મનીષિણો ૧ છે આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે મેક્ષમાર્ગે ચાલનારા મહાત્માઓ સુપાત્ર કહેવાય. આ પ્રમાણે દાચક વગેરેની બીના ધ્યાનમાં રાખીને ભવ્ય જીએ મુનિવરોને નિર્દોષ દાન દઈને માનવ ભવ સફલ કરવો. હે ભવ્ય જ! તમે આ રીતે આ દુર્લભપંચકનું સ્વરુપ પિતાના જીવનમાં ઉતારી તીર્થ સેવા દાનાદિ ધર્મને સાધીને મુક્તિના સુખને પામો તથા શ્રીચારૂ ગણધરે જે વિનયગુણને જિન ધર્મના મૂળભૂત જણાવ્યો, તે અપ્રતિપાતી વિનય ગુણનું સ્વરૂપ દષ્ટાંત સાથે ટૂંકામાં આ પ્રમાણે જાણવું – ચતુર્ધા વિનય પ્રતા, સમ્યજ્ઞાનાદિભેદતો ધર્મકાર્યો નર સેક્કે, વિનયાખ્યગુણાસ્તિ ૧u Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy