SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ 1 શ્રી વિજ્યપારિકૃતઅર્થ–નિમલ જ્ઞાન વિનયાદિ ભેદે કરીને ચાર પ્રકારનો વિનયધર્મ કહે છે. તે વિનયને ધારણ કરનાર પુરૂષ ધર્મકાર્યને લાયક કહ્યો છે. જ્ઞાનાદિ ભેદે કરીને ચાર પ્રકારને વિનય જાણવે. તેમાં બહુમાન પૂર્વક ન પાઠ લે, અભ્યાસ સ્મરણાદિ કરવું વગેરે જ્ઞાન વિનય કહેવાય. તથા આહારાદિ કરતાં મૌન રહેવું, તે પણ જ્ઞાન વિનય કહેવાય છે. (૧) સામાયિકાદિ સકળ પ્રવચન જિનભાષિત હોવાથી તેમાં કોઈ પણ જાતનો વિસંવાદ નથી, તેથી યથાર્થ વસ્તુતત્ત્વની પ્રતીતિમાં નિઃશંક થવું તે દર્શનવિનય કહેવાય છે. (૨) ચારિત્રનું શ્રદ્ધાન કરવું, તેનું સમ્યક પ્રકારે આરાધન કરવું, અન્યની પાસે ચારિત્રના ગુણોની સ્તવના કરવી અને ચારિત્રનું સ્વરુપ કહી બતાવવું, એ વિગેરે ચારિત્રવિનય કહેવાય છે. (૩) આચાર્ય વિગેરે ગુરુનું પ્રત્યક્ષ દર્શન થાય એટલે તરતજ ઉભા થવું, તેમની સન્મુખ જવું, હાથ જોડવા વિગેરે વિનય કરે અને તેમની ગેરહાજરી હોય ત્યારે પણ મન વચન અને કાયાના યોગે કરીને તેમના ગુણનું કીર્તન તથા વારંવાર સ્મરણાદિ કરવું તે ઉપચારવિનય કહેવાય છે (૪). આ સંબંધમાં પાંચ કળશી ભારવાહકની કથા છે, તે આ પ્રમાણે પંચાખ્ય ભારવાહક કથા. કોઈ એક ગામમાં ભાર વહન કરનારા પાંચસે મજુર રહેતા હતા. તેમાં એક મુખ્ય હતું, તે પાંચ કળશી અનાજને ભાર ઉપાડતો હતો. તેનામાં એ લકત્તર ગુણ જોઈને રાજાએ તેના પર કૃપા કરીને વર આપ્યો કે “જ્યારે તું ભાર ઉપાડીને માગમાં ચાલે ત્યારે તારી સામે જે રથ, ઘોડા, ગાડાં, સૈન્ય અને હાથી વિગેરે આવતાં હોય તો તેને જોઈને તારે સ્વીકાર કરેલો માર્ગ છોડીને આવું પાછું જવું નહી, કેમકે ભારથી પીડાયેલા પ્રાણીને ચાલતે માર્ગ છેડે અતિ દુષ્કર છે. હું પણ તને દૂરથી જોઈને માર્ગ આપીશ, તેથી તારે મારે પણ ભય રાખવે નહી, તે પછી બીજાને ભય તે શા માટે જ હોય? આ મારી આજ્ઞાને કેઈ લોપ કરશે તેને હું શિક્ષા કરીશ.” આ પ્રમાણે આજ્ઞા મળવાથી તે મજુર ઈચ્છા મુજબ માર્ગમાં ચાલતો હતો. તેને આવતે જોઈને સર્વ કેઈ તેને માર્ગ આપતા હતા, પણ તેના પર કઈ રષ કરતું નહતું. એકદા તે ભાર ઉપાડીને માર્ગમાં જતો હતો, તેવામાં તેની સામે કઈ સાધુને આવતાં તેણે જેયા. તેને જોઈને તે મજુરે વિચાર કર્યો કે “મારે ભાર તે ગમે તેટલે પણ પરિમિત છે, અને આ મુનિએ ધારણ કરેલ પાંચ મહાવ્રત રુપી ભાર તે અપરિમિત છે, તે કેઈનાથી કળી શકાતો નથી; તેટલો બધે ભાર ઉપાડીને તે ચાલે છે, તેથી એમની પાસે મારું પરાક્રમ નિરર્થક છે.” એમ વિચારીને તેણે મુનિને રસ્તે આપ્યો. તે આ ખસે એટલે તેની પાછળના સર્વ મજુરને પણ ખસવું પડયું, તેથી તેઓ રોષ પામીને બે કે “તે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું.” પછી તેઓએ રાજાને જાહેર કર્યું. રાજાએ તેને બેલાવીને પૂછયું, ત્યારે તે બોલ્યો કે “હે દેવ! મેં આપની આજ્ઞા જરા પણ ખંડિત કરી નથી.” રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તે ફરીથી બે કે “હે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy