SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ [ શ્રી વિજયપાલરિકૃતવ્યાખ્યાન શ્રવણાદિકથી જરૂર તેવા થઈ શકાય. ખાસ પ્રયજન સિવાય શ્રાવક કદી પણ સુપાત્રને ઈતર (દોષ) આહાર આપે જ નહી. તેમજ મુનિરાજ આદિ સુપાત્ર પણ પૂછવું વગેરે સાધને દ્વારા આહારાદિ નિર્દોષ છે એમ જાણ્યા બાદ ગ્રહણ કરે. ત્યાં જે તે વસ્તુના નિર્દોષપણામાં લગાર પણ શંકા પડે તે તે પદાર્થ ગ્રહણ કરશે જ નહિ. અને વધુમાં એવા પ્રસંગે સંયમરાગી થઈ જરા પણ કચવાયા સિવાય આનંદથી એમ માને કે મને તપને લાભ થયો. વળી ઉત્તમ શ્રાવકેએ મુનિરાજને ઈતર (દોષ) આહાર દેવાના પ્રસંગે આ વાત જરૂર ધ્યાનમાં રાખવી કે ગીતાર્થ આચાર્યાદિની સલાહથી ગ્લાનાદિ સાધુની સંયમ ભાવનાના ટકાવ વગેરેમાં પિતે નિમિત્ત રૂપ થાય છે. ગ્રાહક સુપાત્ર પણ પિતાને દીવા જેવો ઉત્સર્ગ માર્ગ ન જ ભૂલે. જ્યારે શુદ્ધ ગેચરી મળતી હોય, ત્યારે તે સુપાત્ર મુનિરાજ વગેરે સંયમી આત્માઓએ પ્રમાદ રહિત થઈને અમુક સ્થલે શુદ્ધ ગોચરી ન મલી તે બીજા સ્થલે મળશે, ત્યાં કદાચ ન મલી તે ત્રીજા સ્થલે મળશે, એ પ્રમાણે માધુકરી ભિક્ષાને વ્યવહાર યાદ કરી વહેરવા જવામાં લગાર પણ આળસ ન કરવી જોઈએ. એ પ્રમાણે વર્તવામાં જ એષણ સમિતિ જળવાય છે. વળી અજાણ શ્રાવક ન કલ્પે તે પદાર્થ આપે તે તેને શાંતિપૂર્વક કહેવું કે આ પદાર્થ અકલ્પ્ય હોવાથી અમે ન લઈ શકીએ અને તમારે પણ ન દેવે જોઈએ, એમ સવિસ્તર સમજાવે, પણ તેના ઉપર જરા પણુ ગુસ્સે ન થાય. આ રીતે કહેવાનું ખરૂં તાત્પર્ય એ છે કે નિર્મલ શીલ વ્રતની આરાધના કે જેમાં ગમે તેવા વિકટ કારણે પણ અપવાદ પ્રવૃત્તિ હોઈ શકે જ નહિ, તે ( શીલની આરાધના ) સિવાયની મહાવ્રતાદિની આરાધનામાં અધિક લાભની અપેક્ષાએ યથાર્થ ગીતાર્થ ભાવાચાર્યાદિક પૂજ્ય પુરૂષેની યોગ્ય સૂચનાથી શ્રાવક સુપાત્રની ભક્તિ કરતાં “આ મારા ઔષધાદિથી મુનિને દેહ ટકશે. અને તેથી આ હજારે જીવોના ઉદ્ધારક મહાપુરૂષ સંયમ સાધી બીજાને સધાવશે,” એમ ભાવના રાખવાથી જરૂર વિશેષ લાભ મેળવે છે. અપવાદ સેવનાર સાધુ મહાત્માની પણ ઉત્સર્ગ માર્ગ તરફ જ દષ્ટિ હેવી જોઈએ. જેથી તે એમ વિચારે કે-“મેં અપવાદ સે તે ઠીક નહિ, સાજો થઈશ ત્યારે અવસરે શ્રી ગુરૂમહારાજની પાસે તેનું (ઈતર ગ્રહણનું ) યેગ્ય પ્રાયશ્ચિત્ત જરૂર લઈશ ને નિર્મલ બનીશ.” અહીં એ ધ્યાનમાં રાખવું કે આજ્ઞા આપનાર ગુરૂવર્યાદિ ગીતાર્થ મહાપુરૂષ દીર્ધદષ્ટિવાળા હોય છે. સ્વછંદપણે અપવાદ સેવનારને આરાધકપણું નથી જ હેતું, કેમકે ઉત્સર્ગ માર્ગને ટકાવવા માટે જ આપવાદિક પ્રવૃત્તિ સંભવે છે. એટલે કે સુપાત્ર મુનિરાજ વગેરે મહાપુરૂષોએ ઉત્સર્ગ માર્ગ તરફ જરૂર દઢ આદરભાવ રાખવો ૧. અહીં ખાસ પ્રયજન શબ્દથી સાધુ મુનિરાજ ગ્લાન, બાલ, વૃદ્ધ, નવદીક્ષિત વગેરે હોય તેવાં કારણે લઈ શકાય. તેમાં પણ અનુભવી વૈઘાદિક અને ગીતાર્થ આચાર્ય વગેરે ગુરૂવર્યોની અંતરંગ સત્ય સંમતિ જરૂર હોવી જ જોઈએ. કારણસર થતી પ્રવૃત્તિમાં પણ સ્વેચ્છાને ઉપયોગ કરાય જ નહિ. આ બધી બીના વિશિષ્ટ મુરૂગમથી ઉત્તમ શ્રાવકે જરૂર જાણવી જોઈએ. અને જે શ્રાવક તેમ કરે તો જ સાધના સંયમની આરાધનામાં શ્રાવકો ખરી રીતે મદદગાર કહી શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy