SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૨૧૭ એ પ્રમાણે ચાર પ્રકારના ગ્રાહકના ક્રમ પ્રમાણે ફલમાં પણ તરતમતા પડે છે. એટલે પ્રથમ નંબરના શ્રી તીર્થંકરને દાન દેતાં સર્વોત્તમ અધિક લાભ થાય. આ સ્થળે યાદ રાખવું કે–ભવ્ય જીવોને જ આ દાનનો પ્રસંગ મળી શકે છે. કારણ કે આત્મપ્રબંધી અનેક ગ્રંથમાં કહ્યું છે કે અભવ્ય જીવોને સુપાત્રદાન, ઇંદ્રપણું વગેરે સાડત્રીસ પ્રકારના લાભ મળી શકતા નથી. આવું દાન દેનાર મેડામાં મેડા ત્રીજે ભવે અને વહેલામાં વહેલાં શ્રેયાંસકુમાર વગેરેની જેમ તે જ ભાવમાં પણ મુક્તિ પદ પામે છે. મુનિરાજ વગેરેને દાન દેતાં તેથી ઉતરતું ફલ જાણવું. સમ્યકત્વધારી જીવોને દાન દેતાં જે લાભ થાય, તેથી વ્રતધારી શ્રાવકને દાન દેવામાં વધારે લાભ થાય. અને તેથી અનુક્રમે મુનિરાજ અને શ્રી તીર્થંકર દેવને વહેરાવવામાં અધિક લાભ જાણો. દાયક( શ્રાવક)ના ગુણ. સુપાત્ર દાનના દેનારા ભવ્ય જીએ સુપાત્રના ગુણેમાં અને દાનના ગુણોમાં બહુમાન ધારણ કરવું જોઈએ. અને “દાન દેવાથી મને ધન પુત્રાદિ સાંસારિક પદાર્થો મળે” એવું નિયાણું ન જ કરવું જોઈએ. અને આ સિવાયના બીજા ગુણેએ કરીને સહિત થઈને મુનિને દોષ રહિત અશન પાનાદિ વહોરાવવું જોઈએ. શાસ્ત્રકારોએ દાયક અને ગ્રાહકના જાણપણ અને અજાણપણાના સંબંધમાં ચઉભંગી (ચાર ભાંગા) આ પ્રમાણે કહેલ છે– ૧ દાયક અને ગ્રાહક બંને દેવા કે લેવા લાયક પદાર્થનું સ્વરૂપ જાણતા હોય. (આ ભાંગે ઉત્તમ જાણે.) ૨ ગ્રાહક જાણકાર હોય પણ દાયક જાણકાર ન હોય. ૩ ગ્રાહક અજાણ હોય અને દાયક જાણુ હોય. (આ બે ભાંગા મધ્યમ છે,) ૪ ગ્રાહક અને દાયક બંને અજાણ. ( આ ભાંગ નિષિદ્ધ છે.) સુપાત્ર દાનનું ફળ. જે ભવ્ય જીવે સુપાત્રને શુદ્ધ દાન આપે છે તેમનાં કર્મોની એકાંતે નિર્જરા (ધીમે ધીમે કર્મોને ક્ષય) થાય છે. એટલે તેવું દાન બંનેને લાભદાયી છે. અને (૧) ઉનાળો હોય, (૨) વિશાલ અટવી આદિના પ્રસંગે ગોચરીની દુર્લભતા (મુશ્કેલી) હોય અને (૩) દુકાળ જે પ્રસંગ હોય, આ ત્રણમાંના કેઈ પણ કારણથી ઉત્તમ શ્રાવકે (તીર્થકર, મુનિરાજદિ) સુપાત્રના ધર્માધાર શરીરના ટકાવ વગેરે ઇરાદાથી ઇતર (કાંઈક સદેષ) આપે તે પણ ઘણી નિર્જરાને લાભ પામે. જો કે અહીં સુપાત્રના નિમિત્ત થતા આરંભાદિના કારણે શ્રાવકને કિંચિત્ દેષ લાગે, તે પણ ઘણા લાભની અપેક્ષાએ તે શા હિસાબમાં કહ્યું છે કે–ચાણં વઘં સુgિs ઢાદાદા વાળિયો . આ વિચાર સર્વાનુ ગમય પંચમાંગ શ્રી ભગવતી સૂત્રના આધારે વર્ણવ્યો છે. આ બીના શ્રાવકાદિ દાયકેને એમ પણ સમજાવે છે કે શ્રાવકેએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના જાણકાર થવું જોઈએ. ૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy