SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ રાના ચિંતામણી ] [ ૨૧૧ જ પહેલું વીર્ય હેય. અને અનભિસંધિજ વીર્ય તમામ જીને હેય છે. આવા વીર્ય વાળા આત્માને જ્યારે કર્મદલિકને ક્ષપશમ થાય, ત્યારે લબ્ધિ એટલે શપશમ અને કરણ (ઇંદ્રિ)ને અનુસારે જ્ઞાન પ્રકટે છે. જ્યારે જ્યારે તે વીર્યને (ઓછા વધતા પ્રમાણમાં) નાશ (ઘટાડે) થાય, ત્યારે તે જ કર્મ પુદગલે ફરી આત્માને ઢાંકે છે. જેમ દૂર કરેલો સેવાળનો જત્થો પાણીને ઢાંકે, અને સ્વચ્છ ચાટલાને કાદવ ઢાંકે, (મલિન કરે) તેમ અહીં આત્માના સંબંધમાં પણ સમજી લેવું. આવા અનેક કારણોને લઈને સંશય વગેરે થાય છે. પ્રશ્ન-જીવને શિવપુર કઈ રીતે મલે? ઉત્તર–ણગારજ્ઞાનાગિનિ ક્ષમા (સરવા રૂઝ) પૂર્વે કહ્યા મુજબ અનાદિ જીવ અનાદિ કર્મોથી વીંટાયેલ હોય છે. જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિ કારણને લઈને અનંતાનુબંધી કષાય વગેરે સાત પ્રકૃતિના ક્ષપશમ કરે ત્યારે સમ્યગૂ (નિર્મલ) દર્શન ગુણ પામે છે. એથી તેને એવી ખાત્રી થાય છે કે શ્રી જિનેશ્વર ભગવંતે કહેલું પદાર્થોનું સ્વરૂપ સાચું છે. અને શ્રી જિનધર્મ એ જ મહાકલ્યાણકારી વસ્તુ છે. બીજા સાંસારિક પદાર્થો દુઃખદાયી છે. ત્યાર બાદ જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થવાથી નિર્મલ જ્ઞાન ગુણ પ્રકટ થાય છે. એથી એમ સમજે છે કે હિંસા વગેરે ત્યાગ કરવા લાયક છે. અને જીવાદિ પદાર્થો જાણવા લાયક છે. તથા પવિત્ર ચારિત્રાદિ ગ્રહણ કરવા લાયક છે. પછી “જાણ્યું તો તે તો ખરું કે મેહે નવિ લેપાય” આવી ભાવનાથી ચારિત્ર મહિના ક્ષપશમે જ્ઞાનનું ફલ વિરતિ ગુણ અંગીકારે. એમ નિર્મલ દર્શનાદિ ત્રણેની મદદથી આ જીવ શિવપુર પામે છે. ત્રણમાંથી એકલા દર્શનથી શિવપુર ન મલી શકે. જો તેમ થતું હોય તે સમ્યગ્દષ્ટિ દેવાદિની મુક્તિ થવી જોઈએ. તથા એ જ કારણથી એકલા જ્ઞાનથી તેમજ એકલા ચારિત્રથી પણ મુક્તિ થઈ શકે નહિ. માટે જ ત્રણેની ભેગી આરાધના કરનાર મનુષ્ય આઠે કર્મ દૂર કરી શિવપુર પામે. સિદ્ધ પરમાત્મા જ્ઞાનાદિ ભાવ પ્રાણેને ધારણ કરે છે. અને તેમને નિજ ગુણેમાં સ્થિરતા રૂ૫ ચારિત્ર હોય છે. તથા સકલ કર્મના અભાવે તેમને શરીર વગેરે હોય નહિ. ભેજન વગેરે દ્વારા ક્ષણિક શાંતિ મળે છે. સિદ્ધ ભગવંતને સાદિ અનંત ભાંગે કાયમ શાંતિ હોય છે. સિદ્ધના પંદર ભેદ વગેરે વિશાલ સ્વરૂપ લોકપ્રકાશ વગેરે ગ્રંથેથી જાણવું. પ્રબલ પુણ્યવંતને જ આ શિવપુરને લાભ થાય, માટે તેને દુર્લભ કહ્યું છે. એ પ્રમાણે બીજા શિકાર (શિવપુર) નું ટુંકામાં સ્વરૂપ જણાવ્યું. ૩ શત્રુંજયનદી–મહાપ્રભાવક તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની નજીક રહેલી પરમપાવન આ નદી છે. તેમાં સ્નાન કરવાને અપૂર્વ મહિમા શ્રી શત્રુંજય માહાભ્યાદિમાં વર્ણન બે છે. ઘણું ભવ્ય જીના આ નદીના સ્પર્શથી વિકટ રેગો નાશ પામ્યા છે. અહીં આવનારા છ અપૂર્વ શાંતિનો અનુભવ કરી કર્મનિજેરાને વિશેષ લાભ મેળવે છે. તેમ જ અલ્પ સંસારી ભવ્ય જીવો જ શત્રુંજી નદીની સ્પર્શના કરી શકે છે. માટે ત્રીજો શકાર શત્રુંજય નદી દુર્લભ કહી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy