SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ [ શ્રી વિજયપઘસરિત વાને આશય એ છે કે-કઈ વખત એમ લેવામાં આવે છે કે બારીના બારણું આદિની વચમાં ગિરેલીની પૂંછડી આવતાં કપાઈને, અલગ પડે, અમુક ટાઈમ સુધી તરફડે, પછી ન હાલે. ત્યારે અહીં શું સમજવું? આવો કેટલીકવાર પ્રશ્ન થાય છે. તેને ખુલાસે એ છે કે પૂંછડી અલગ પડયા બાદ જે પૂંછડી સિવાયના શરીરની બાજુ આત્મપ્રદેશો વધારે પ્રમાણમાં રહેલા છે તેઓને અને પૂંછડીના નાના અસંખ્યાત પ્રમાણ પ્રદેશને સાંકળની કડીઓના જે સંબંધ રહેલ છે. જ્યાં સુધી પૂંછડીના આત્મપ્રદેશને શેષ શરીરના આત્મપ્રદેશ ખેંચી રહે નહિ, ત્યાં સુધી તે હાલે છે, એમ અનંતજ્ઞાની ભગવંતે કહ્યું છે. આવા આવા અનેક ખાસ કારણને લઈને એક પદાર્થમાં આત્માને ઘણુ કાલ સુધી સ્થિર (ચાલુ) ઉપગ રહેતું નથી. આ પ્રસંગે જરૂર યાદ રાખવું કે–તમામ સંસારી જીને આત્મા કાકીડાની ડોકની જેમ ચપેલ છે. તેથી બીજા બીજા પદાર્થમાં તેને ઉપયોગ બદલાયા કરે છે. એક પદાર્થમાં આત્માને ઉપયોગ વધારેમાં વધારે અંતમુહૂર્ત સુધી જ રહે છે. ત્યાર બાદ સ્વભાવથી તે ઉપગ રહેતો નથી. હવે આત્મા તમામ પદાર્થોને કેમ જાણતા નથી ? આ પ્રશ્નને ખુલાસે આ પ્રમાણે છે. જેમ સૂર્યને પ્રકાશ એ સ્વાભાવિક ગુણ છે, તેમ આત્માના જ્ઞાનાદિ ગુણે સ્વાભાવિક છે. જેમ સૂર્યની આડા વધારે પ્રમાણમાં વાદળાં આવવાથી તે જગતમાં પૂર્ણ પ્રકાશ ફેંકી શકતો નથી, તેમ આત્માની આડા ઘણાં કર્મો (રૂપી વાદળાં) પડેલા હેવાથી તે સંપૂર્ણ જ્ઞાનપ્રકાશ ફેંકી શકતો નથી, એટલે તમામ પદાર્થોનું જ્ઞાન મેળવી શકતો નથી. જેમ પવનના ઝપાટાથી વાદળાં વિખરાય, ત્યારે સૂરજ સંપૂર્ણ પ્રકાશે છે, તેમ સંસારી આત્મા નિર્મલ દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના રૂપી પવનના ઝપાટાથી સર્વ કર્મો રૂપી વાદળાંને વિખેરે ત્યારે કેવલજ્ઞાન પામે, અને તમામ પદાર્થોની પૂરેપૂરી બીન જાણે. અન–ત્યારે જીવને સંશયાદિ ચાર વાનાં કેમ થાય છે? ઉત્તર–કને ક્ષપશમર જુદા જુદા નિમિત્તને લઈને જુદી જુદી જાતને થાય છે અને તેથી જુદા જુદા પ્રકારનું જ્ઞાન થાય એમાં નવાઈ શી? માટે જ સંશયાદિ (સંશય, અવ્યક્ત બેધ, અધ, વિપરીત બેધ) ચાર વાનાં થઈ શકે. તેમ જ એ પણ યાદ રાખવું કે–આત્મિક વીર્ય બે પ્રકારનું છે-૧ અભિસંધિજ વીર્ય, ૨ અનભિસંધિજ વીર્ય. તેમાં જે વિચાર પૂર્વક પ્રવૃત્તિમાં વપરાય તે અભિસંધિજ (આગિક) વીર્ય કહેવાય અને વિ. ચારશન્ય પ્રવૃત્તિમાં વપરાય તે અનભિસંધિ જ (અનાગિક) વીર્ય કહેવાય. સંજ્ઞી જેને ૧ કાકીડ–એ પંચેન્દ્રિય ભૂજ પરિ સર્પ છવ છે, તે ઘણી વાર શરીરને રંગ પલટાવે છે. તેની ડોક હરઘડી ઉંચી નીચી થયા કરે છે. આને કાચંડ પણ કહે છે. ૨ ઉદયમાં આવેલા કર્મદલિને ભોગવી ક્ષય કરે, અને તે સિવાયના ( ઉદયમાં નહિ આવેલા ) કર્મ દલિકને જે દબાવવા (ભવિષ્યમાં હુમલે કરી, પામેલા ગુણને ન બગાડે તેવી સ્થિતિવાળા કરવા ) તે ક્ષપશમ કહેવાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy