SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ દશના ચિંતામણિ ] ૨૯૭ ધાર્મિક કાર્યો અવિલંબે પૂરાં કરજે. તીર્થાધિરાજ શ્રીસિદ્ધગિરિ ભગવંતની પરમ શીતલ છાયામાં અંતિમ સમયે સમાધિમરણ સાધનારા પુણ્યશાળી ભવ્ય જીવો જરૂર આસન સિદ્ધિક હોવાથી થોડા કાળમાં પરમ પદના સાત્વિક, આત્યંતિક, એકાંતિક સુખને પામી શકે છે.” આ શીખામણ આપ્યા બાદ શ્રીગુરૂ મહારાજ અપૂર્વ સમાધિ મરણને સાધી ઉત્તમ સ્વર્ગની સંપદા પામ્યા. ત્યાર બાદ મંત્રીજીએ પણ ગુરૂ શિક્ષાને અનુસરે જલદી સાવધાન થઈને તીર્થયાત્રા, જીર્ણોદ્ધાર, નવીન મંદિર બંધાવવા, અંજનશલાકા, ઉપાશ્રય, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા, જ્ઞાનભંડાર વગેરે ધર્મ કાર્યો લગભગ પ્રાયે વિ. સં. ૧૨૯૭ની સાલ સુધીમાં પૂર્ણ કરી લીધાં. મંત્રીશ્વર વસ્તુપાલને ૧૨૯૮ના ભાદરવા સુદમાં તાવ આવ્યો, ત્યારે તેમણે ગુરૂવચન યાદ કરી અંતિમ સમય જાણી લઈને શ્રીસિદ્ધગિરિની છાયામાં જવા માટે લઘુ બાંધવ શ્રીતેજપાલને ઈચ્છા જણાવી. ભાઈએ તે પ્રમાણે તૈયારી કરી પ્રયાણ કર્યું. અનુક્રમે સિદ્ધગિરિની નજીકમાં રહેલ અંકેવાળિયા ગામમાં વિશેષ માંદગી થવાથી તેમણે જાણ્યું કે ઠેઠ પહોંચાય તેટલે સમય નથી. તેથી ગિરિરાજની સન્મુખ હાથ જોડી ચાર શરણને અંગીકાર કરીને, દુષ્કૃતની ગહ અને સુકૃતની અનુમોદના કરીને આત્મભાવના ભાવી, આત્મસ્વરૂપની હરઘડી વિચારણા કરી, સર્વ જી ને ખમાવી અને ચતુર્વિધ સંઘને વિશેષે ખમાવી ગિરિરાજના નિશ્ચલ ધ્યાનમાં મંત્રી વસ્તુપાલ સ્વર્ગના દિવ્ય સુખ પામ્યા. સમાધિમરણના અભિલાષી ભવ્ય જીવોએ ઉપર જણાવેલ મંત્રીની બીના જરૂર યાદ રાખવી અને મંત્રી વસ્તુપાલ વગેરેની માફક, ચતુર્વિધ સંઘ સહિત વિધિપૂર્વક ઉલ્લાસથી સંઘપતિ થઈને શ્રીગિરિરાજની યાત્રા કરી જન્મ સફળ કરે. ૨-શિવપુર. દુર્લભ પંચકમાં બીજું “શિવપુર” કહ્યું તેનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું -જ્યાં ગયા પછી નિરંજન શુદ્ધસ્વરૂપી ભવ્યાત્માઓને થોડા અંશે પણ ઉપદ્રવની પીડા હોય જ નહિ તે શિવપુર કહેવાય. તેનાં મુક્તિ, મોક્ષ, નિર્વાણ, પરમપદ, શિવ, સિદ્ધિ, સિદ્ધસ્થાન, સિદ્ધશિલા વગેરે અનેક નામો જુદા જુદા ગ્રંથમાં જણાવ્યાં છે. અહીં દેખાતાં નગર જેમ ઉપદ્રવવાળા હોય છે, ચલ હોય છે, અને જ્યાં રેગથી હેરાન થવું પડતું હોય તેવા પણ હોય છે તથા આબાદી વસ્તી વગેરેની અપેક્ષાએ નાશવાળાં હોય છે, અને અમુક કાળે નાશ પામવાના સ્વભાવવાળાં હોય છે, તેવું આ નગર નથી, પણ તેથી ઉલટું (આ શિવપુર) છે. એટલે શિવ અચલ અરેગ અનંત અક્ષય સ્વરૂપવાળું શિવપુર છે. ગળાકાર વિસ્તારની અપેક્ષાએ ૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે, તેટલું જ શિવપુર છે, કારણ કે મનુષ્ય ક્ષેત્રમાંથીજ મેક્ષ ગમન થાય છે. સિદ્ધિસ્થાનને એકદેશીય પુરની ઉપમા આપવાને મુદ્દો એ છે, કે-પુરમાં જેમ મનુષ્યાદિ સંસારી જ હોય છે, તેમ અહીં મુક્ત છે ઉપરના એક જનના છઠ્ઠા ભાગમાં અથવા એક ગાઉના ચાવીશમા ભાગમાં રહે છે. વગેરે અમુક અમુક સરખામણી રહી છે. પણ સર્વીશે પુર (નગર) ના ગુણે ન ઘટી શકે. આ શિવપુરમાં સહજાનંદી શ્રી સિદ્ધ ભગવંતે રહે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy