SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] તિલક” કહેવાય છે. અહીં સિદ્ધિપદ પામેલા પાંચે પાંડવોની અને કુંતી માતાની લેખ્યમય મૂર્તિઓ તથા રાયણ વૃક્ષ દીપી રહ્યાં છે. અહીં રહેલી શ્રી ઋષભદેવની પાદુકાઓને મેરવાઘણ આદિ ઘણાં તિર્યો પણ નમીને અણસણ કરીને દેવઋદ્ધિ પામ્યાં છે. અહીં મૂલ પ્રાસાદની ડાબી બાજુએ સત્યપુરાવતાર નામને પ્રાસાદ અને જમણી બાજુએ એટલે શકુની ચિત્યની પાછળના ભાગમાં અષ્ટાપદ નામને પ્રાસાદ આવ્યો છે. શ્રીનંદીશ્વરાદિ અવતાર નામના ભવ્ય પ્રાસાદ પણ દર્શક ભવ્ય જીવોને અપૂર્વ આનંદ આપે છે. અહીં શ્રીસ્વર્ગારોહણ નામના ચેત્યમાં, આજુબાજુ નમિ-વિનમિ જેની સેવા કરી રહ્યા હોય, એવી શ્રી ઋષભદેવ પ્રભુની દિવ્ય પ્રતિમા ઝગમગી રહી છે. આ ગિરિરાજના બીજા ઉંચા શિખરની ઉપરના ભાગમાં પ્રયાસ કુમાર, શ્રી શાંતિનાથ તથા નેમિનાથ અને બીજા પણ શ્રીઋષભદેવ મરૂદેવી અને શ્રીમહાવીરસ્વામી આદિનાં સુંદર બિંબ રહેલાં છે. અહીં યક્ષરાજ કપર્દિની પ્રતિમા છે. તે નમનાર ભવ્ય જીવોના અને યાત્રિક સંઘનાં વિવિધ વિદનેને જરૂર દૂર કરે છે. શ્રીનેમિનાથ પ્રભુના કહેવા પ્રમાણે કૃષ્ણ વાસુદેવે અહીં રહીને આઠ ઉપવાસ કરી કપર્દિયક્ષની આરાધના કરી, જેથી યક્ષાધિરાજે પર્વતની ગુફાની અંદર રહેલી શકેન્દ્રથી પૂજાયેલી ત્રણ પ્રતિમાઓ બતાવી, તે ગુપ્ત રાખી. સંભળાય છે કે હાલ પણ તે સ્થલે શકેન્દ્ર ઘણી વાર આવે છે. પાંડવોએ થાપેલ શ્રી ઋષભદેવના બિંબની ઉત્તર દિશામાં ઠેઠ સુલક તલાવડી સુધી લાંબી તે ગુફા આવેલી છે. આ યક્ષની આરાધના કરનાર ભવ્ય જી પ્રતિમાનાં દર્શન પામે છે. ત્યાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ચોમાસું રહ્યા હતા. અહીં મરૂદેવી પ્રાસાદની નજીકમાં શ્રી શાંતિનાથને ભવ્ય પ્રાસાદ આવ્યો છે. તે દર્શન કરનારા ભવ્ય જીને અપૂર્વ આનંદદાયક-સંસારના તાપને ઠારનારે માલુમ પડે છે. શ્રી શાંતિનાથના ચિત્યની આગળ છેડેક છેટે સોનાની અને રૂપાની એ ખાણ આવેલ છે, ત્યાંથી સો હાથ દૂર જતાં પૂર્વ દિશાએ આઠ હાથ નીચે સિદ્ધરસથી ભરેલી રસકૂપિકા (કુઈ) રહેલી છે. અને શ્રી ઋષભદેવની પ્રતિમાની નીચે ઋષભકૂટથી આગળ ત્રીશ ધનુષ પ્રમાણે ભૂમિ વલોટીએ ત્યારે એક (બારણાં જેવી) શિલા આવે છે, ત્યાં જે ભવ્ય જીવ ત્રણ ઉપવાસ કરવા પૂર્વક બલિ વિધાન કરે, તેને વૈરાટયાદેવી દર્શન દે છે. તે દેવીના કહેવા પ્રમાણે શિલાને ઉઘાડી રાતે જે પુણ્યશાલી પુરૂષ અંદર દાખલ થાય, અને એક ઉપવાસથી આરાધના કરે તેમને વિશિષ્ટવિવિધ પ્રકારની ઘણી સિદ્ધિઓ મળે છે. તે સ્થલે પ્રભુ શ્રી આદિદેવના બિંબને ભાવથી વિધિ પૂર્વક નમસ્કાર કરનારા ઉત્તમ જ ચતુર્વિધ સંસારની કર્મભનિત ઘણું રખડપટ્ટી ટાલીને એક છેલ્લો મનુષ્ય ભવ પામી જરૂર મુક્તિના સુખ પામે છે. ત્યાંથી આગળ પાંચ ધનુષ્ય (પ્રમાણુ ભૂમિ) વળોટીએ ત્યારે એક ભવ્ય પાષાણ (મય) કુંડિકા (કુંડી) આવે છે. તેથી આગળ સાત ડગલા જઈને જે પુણ્યશાલી સમજુ ભવ્ય છ બલિ (બલિ બાકળા)ને વિધિ જાળવી શિલા ઉઘાડી અંદર જઈ બે ઉપવાસથી આરાધના કરે, તેમને હાથમાં રહેલા આમળાની માફક રસકૂપિકાનું દર્શન થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy