SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી વિજ્યપઘસરિકૃત અમનું, ૪૦ માલાએ ચઢાવવાથી ચાર ઉપવાસનું અને ૫૦ માલાએ ચઢાવવાથી પાંચ ઉપવાસનું ફલ પામે છે. આ તીર્થમાં પૂજા અને સ્નાત્ર મહત્સવ કરવાથી પણ જે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તેવું પુણ્ય બીજા તીર્થોમાં સોયા, ભૂમિ, આભૂષણ વગેરેનું દાન કરવાથી પણ બંધાતું નથી. આ તીર્થની નજીકમાં વસેલા શ્રી પાદલિપ્તપુરી (પાલીતાણું)માં શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામીના સુંદર દેવાલય શોભે છે. આ ગિરિરાજની નીચેના ભાગમાં શ્રી નેમિનાથનું વિશાળ ભવ્ય મંદિર દીપે છે. અને મહામંત્રી ઉદાયનના પુત્ર વાડ્મટ મંત્રીએ ૨ કોડ ૯૭ લાખ દ્રવ્યનો વ્યય કરી ગિરિરાજની ઉપર રહેલા શ્રી આદીશ્વર ભગવંતના મુખ્ય પ્રાસાદને ઉદ્ધાર કરાવ્યા હતા. અહીંના મૂળનાયક પ્રભુ શ્રી આદિદેવની ભવ્ય મૂર્તિના જ્યારે ભવ્ય દર્શન કરે છે, ત્યારે તેઓનાં નેત્રે જાણે અમૃતથી સિંચાયાં હોય તેવી અપૂર્વ શાંતિનો અનુભવ કરે છે. વિ. સં. ૧૦૮માં ઘણું દ્રવ્ય ખરચીને જાવડ શેઠે શ્રી રૂષભદેવનું બિંબ સ્થાપના કર્યું. તે બિંબ તેજસ્વી મમ્માણ નામના મણિશૈલમાંથી નીકળેલા તીરસ નામના રત્નનું બનાવ્યું હતું. તે જાવડ (ડિ) શેઠને ટુંકે અહેવાલ આ પ્રમાણે સમજ - આ શેઠ મધુમતી (મહુવા બંદર)ના રહીશ હતા. તેમણે શ્રીવાસ્વામીજી મહારાજની પાસે શ્રી શત્રુંજય (7) માહામ્ય સાંભળ્યું. ત્યાર બાદ તીર્થભક્તિથી અહીં આવ્યા. સુગંધિ જલથી સ્નાત્ર કરવાની ઈચ્છા થઈ, પણ મૂલનાયકનું લેપ્યમય બિંબ હતું, જેથી સ્નાત્રનું જલ પડવાથી બિંબને નુકશાન પહોંચે, આથી શેઠ નાખુશ થયા. તેમણે ચકેશ્વરીની આરાધના કરી. દેવીએ શેઠને મમ્માણ પત્થરની ખાણ દેખાડી. શેઠે ત્યાં રત્નમય મૂર્તિ તૈયાર કરાવી રથમાં પધરાવી, તીર્થાધિરાજ ઉપર લાવવા લાગ્યા. પિતાની સ્ત્રી સહિત શેઠ રથની સાથે ગિરિરાજ ઉપર, દિવસે સાંજ સુધીમાં જેટલો માર્ગ ચાલે, ત્યાં રાતે પાછો તે રથ પાછો હઠી સવારે જ્યાં હોય ત્યાં થંભાય. આ હકીકતથી શેઠ ઉદાસ થયા. કપદિયક્ષની આરાધના કરવાથી તેનું મૂળ કારણ જાણવામાં આવ્યું. ત્યાર બાદ રથને ચાલવાના રસ્તામાં સ્ત્રી સહિત શેઠ, સાહસ કરી આડા પડયા (સૂઈ રહ્યા). આવી શેઠની હિંમત જોઈને સંતુષ્ટ થયેલા અધિષ્ઠાયક દેવે બિંબ સહિત રથને ગિરિરાજના શિખર ઉપર સ્થાપન કર્યો. વ્યાજબી જ છે કે સાત્વિક પુરુષ અશકય કાર્ય પણ સહેલાઈથી સાધી શકે છે. ત્યાર બાદ મૂલ નાયકને બદલીને જાવડ શેઠે નવીન રત્નમય બિંબ સ્થાપન કર્યું. એમ આ મહાકાર્યમાં ફત્તેહમંદ નીવડવાથી સ્ત્રી સહિત શેઠે ચૈત્યના શિખર ઉપર ચઢી ઘણા ખૂશી થઈને નાચવા માંડયું. આ ઉપરાંત તેમણે શ્રીપુંડરીક ગણધરની અને કપર્દિન યક્ષની મૂર્તિઓ સ્થાપના કરી. ન્યાયે પાર્જિત લક્ષમીને સદુપયોગ કરી, નિર્મલ ધર્મારાધન કરી, સ્વર્ગની સંપદા મેળવી. આ શ્રીગિરિરાજની ઉપર ઈક્વાકુ વંશના તથા વૃષ્ણિ વંશના અસંખ્યાતી કડાકડી પ્રમાણુ ભવ્ય છ સિદ્ધિપદ પામ્યા, તેથી આનું નામ “કેટકેટી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy