SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ( શ્રી વિજ્યપધસકૃિતસરણની ઋદ્ધિ જોઈને ત્યાં જ કઈ રીતે ઉત્તમ ભાવના ભાવી કેવલી થઈ મુક્તિપદ પામ્યા? -આ હકીકત જણાવવાને મુદ્દો હતો. આત્મિક વિકલાસ વધારનાર, પરમ પ્રભાવક આ તીર્થની ભૂમિમાં બે કરોડ મુનિવરોની સાથે વિદ્યાધર રાજર્ષિ–શ્રી નમિ અને વિનમિ મુનિરાજ તથા દ્રવિડ અને વારિખિલી (લ) મુનિવરે દશ કરોડ મુનિરાજના પરિવારથી પરિવરીને સિદ્ધિપદ પામ્યા. શ્રી નારદ મુનિરાજ અહીં ૯૧ લાખ મુનિવરેના સાથે અને સાડી ત્રણ કરોડ મુનિવરના પરિવાર સાથે શ્રી શાંબ અને પ્રશ્ન મુનિરાજ વગેરે ભવ્ય જીવે અહીં સિદ્ધિપદ પામ્યા. આ જ ગિરિરાજની આરાધના કરીને શ્રી ઋષભદેવ પ્રભુના વંશના સૂર્યયશાથી માંડીને સગર ચકવતી સુધીના ઘણાએ રાજા વગેરે આંતરે આંતરે સર્વાર્થસિદ્ધિમાં જાય, એ ક્રમે સિદ્ધિપદ પામ્યા હતા. તેમજ શુકરાજા વગેરે અસંખ્યાતી કડાકોડી પ્રમાણ ભવ્ય જીવે પણ આ જ તીર્થની સાધનાથી પરમપદ પામ્યા હતા. શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુ અહીં ચોમાસું રહ્યા હતા. પ્રભુ શ્રી નેમિનાથના વચનથી શ્રી નંદિષેણ નામના મુનીશ્વર યાત્રા કરવા અહીં આવ્યા હતા. તેમણે મહાભયંકર રોગની પીડાને હરનાર શ્રી અજિતશાંતિ નામનું પ્રાકૃત સ્તંત્ર બનાવ્યું હતું. અહીં શ્રી ભરત મહારાજાએ નાના તળાવના સ્થળે અને ગુફાઓમાં પધરાવેલી મહાપ્રભાવશાળી પ્રતિમાઓને નમસ્કાર કરનારા ભવ્ય છે એકાવતારી બને છે. - આ શ્રી શત્રુંજય તીર્થને તીર્થનુરાગથી શ્રી સંપ્રતિ, વિક્રમાદિત્ય, સાલવાહન રાજા, વાડ્મટ મંત્રી, પાદલિપ્ત, આમરાજા વગેરે ઘણું પુણ્યશાલી જીઓ ઉદ્ધાર કર્યો છે. શકેન્દ્ર શ્રી કાલિકાચાર્ય મહારાજની આગળ કહ્યું હતું કે-શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં પણ સમ્યગ્દષ્ટિ છે આ શ્રી શત્રુંજયનું સ્મરણ કરે છે. તેમજ કલિકરાજાને પ્રપૌત્ર મેઘઘોષ નામને રાજા ભવિષ્યમાં અહીં રહેલા શ્રી મરૂદેવી પ્રાસાદને અને શ્રી શાંતિનાથના પ્રાસાદને ઉદ્ધાર કરાવશે, અને છેલ્લે ઉદ્ધાર શ્રીદુષ્પસહ સૂરિજીના ઉપદેશથી રાજા વિમલવાહન કરાવશે અને તીર્થના વિચ્છેદ કાલમાં પણ ભાવી શ્રી પદ્મનાથ પ્રભુના તીર્થ સુધી દેવતાઓ આની પૂજા કરશે. આ તીર્થના પ્રભાવે પુણ્યશાલી એવાં વિર્ય પણ સદ્ગતિ પામ્યા છે પામે છે અને પામશે. તેમજ ચિત્તની એકાગ્રતાથી આ તીર્થનું ધ્યાન કરવાથી સિંહ, અગ્નિ, સમુદ્ર, સર્પ, વાઘ, રાજા, ઝેર, યુદ્ધ, ચેર, શત્રુ, મરકી આદિને ભય જરૂર નાશ પામે. વળી બીજા સ્થલે કરેલા, ઉગ્ર તપ અને ઉગ્ર બ્રહ્મચર્યથી જે લાભ થાય, તે લાભ અહીં વિધિપૂર્વક ચોમાસું, નવાણું યાત્રા વગેરે નિમિત્તે રહેવાથી મળી શકે એ ૧-રામાયણમાં કહ્યું છે કે રાવણ આ મુનિ ઉપર દ્વેષ રાખતો હતો “અષ્ટાપદની નીચે પસી પર્વત સહિત આ મુનિને સમુદ્રમાં ફેંકુ” આ ઈરાદાથી રાવણ નીચે ગયો. મુનિને ખબર પડતાં ચમત્કાર બતાવ્યું એટલે અંગુઠાથી પર્વતને દબાવ્યો, ત્યારે રાડ પાડી તેથી તેનું રાવણ નામ પ્રસિદ્ધ થયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy