SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ [વિજ્યપરિકૃતઆ પ્રમાણે શીલસન્નાહ મુનિએ કહેલો વૃત્તાંત સાંભળ્યા છતાં પણ રુપી સાધ્વી બેલી કે “હે ગુરુ ! મારામાં કાંઈ પણ શલ્ય નથી.” આ પ્રમાણે કહેવાથી તેણે માયાવડે કરીને પણ સ્ત્રીપણું ઉપાર્જન કર્યું. ગુરુએ તેને અયોગ્ય જાણીને સંલેખના ન કરાવી અને પિતે એક માસની સંખના કરી, કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા. રુપી સાધ્વી વિરાધક ભાવે મૃત્યુ પામી વિવુકુમાર નીકાયમાં દેવી થઈ, ત્યાંથી ચવીને શ્યામ અંગવાળી અને કામવાસનાથી વિહંળ એવી કેઈ બ્રાહ્મણની પુત્રી થઈ, ત્યાંથી નરકમાં ગઈ ત્યાંથી નીકળી તિર્યંચ થઈ. એવી રીતે ત્રણે ઉણું લાખ ભવ સુધી પરિભ્રમણ કરીને મનુષ્ય ભવ પામી પ્રવ્રજ્યા ગ્રહણ કરી સાધુપણાના ગુણને પામી, પરંતુ પૂર્વની માયાને લીધે ત્યાંથી કાળ કરીને ઈન્દ્રની અગ્રમહિષી (ઈંદ્રાણી) થઈ, ત્યાંથી ચ્યવીને ગેવિંદની સ્ત્રી થઈ, અને આ ભવમાં ચારિત્ર પામીને મેક્ષે ગઈ.” ઈતિ રુપી શ્રમણી સંબંધ. - હવે પેલી સુજસિરિ ગોવિંદના ઘરમાં રહેતી, ત્યાંથી તેને લોભ પમાડીને એક આભીરી પિતાને ઘેર લઈ ગઈ. ત્યાં દૂધ દહીં વિગેરે ખાઈને તે મનહર રુપવાળી થઈ. તેને પિતા જે સુજજશિવ હતો તે મનુષ્ય અને પશુને કય વિક્રય કરવાવડે પાંચ મહેર મેળવી ફરતે ફરતે એકદા રાત્રિ રહેવા માટે આભીરીને ઘેર આવ્યું. ત્યાં પિતાની પુત્રી સુજજસિરિના રુપથી મેહ પામીને ઘણાં દ્રવ્યને વ્યય કરી તેને પરણ્યા. એકદા બે સાધુને જઈને સુજજસિરિનાં નેત્રમાં જલ ભરાયું. તેનું કારણ તેના પતિએ પૂછ્યું ત્યારે તે બેલી કે “મારા સ્વામી વિંદની પત્ની આવા ઘણા સાધુઓને પ્રતિભાભીને પંચાંગ નમસ્કાર કરતી હતી, તેનું સ્મરણ થવાથી મને શેક થાય છે.” તે સાંભળીને સુજજશિવે તેને પિતાની પુત્રી તરીકે ઓળખી અને તેણે પણ પિતાના પિતા તરીકે સુજજશિવને ઓળખે; તેથી તે બને લજિજત થયા. પછી તે બને અગ્નિમાં બળી મરવાનો નિશ્ચય કરી ચિતા ખડકીને તેમાં પેઠા, પણ કાષ્ટ નિર્વાહક જાતિનાં હેવાથી અગ્નિ પણ બુઝાઈ ગયે. લેકેએ તેમને અત્યંત તિરસ્કાર કર્યો, એટલે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. અનુક્રમે એક મુનિ મળ્યા, એટલે તેમની પાસે સુજજશિવે દીક્ષા લીધી. સુજજસિરિ ગર્ભવતી હતી, તેથી તેને દીક્ષા આપી નહી. પછી તે ગર્ભના દુઃખથી વિચાર કરવા લાગી કે “આ ગર્ભને વિવિધ પ્રકારના ક્ષારાદિકના ઉપાયથી પાડી નાખું.” ઈત્યાદિ રૌદ્રધ્યાન કરતી સતી પ્રસવની વેદનાથી મરણ પામીને છઠ્ઠી નરકે ગઈ. તેના ગર્ભથી નવા જન્મેલા પુત્રને કઈ કૂતરાએ મુખમાં લઈને એક કુંભારના ચક્ર ઉપર મૂકો. કુંભારે તેને પુત્ર તરીકે રાખે. તેનું નામ સુસઢ પાડયું. અનુક્રમે તે યુવાવસ્થા પાપે. એકદા તે સુસઢ મુનિના ઉપદેશથી બેધ પામી દીક્ષા ગ્રહણ કરી; પરંતુ તપશ્ચર્યાદિમાં તેમજ વ્રતનું આચરણ કરવામાં ને ક્રિયામાં તે શિથિલાચારી થ. ગુરુએ તેને ઘણે ઉપદેશ આપે, તે પણ તેણે શિથિલપણું છોડયું નહી. છેવટે તે કાળ * બળ–સળગે નહી એવી જાતનાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy