SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ શનાચિંતામણિ ] કરીને પહેલા દેવલોકમાં સામાનિક દેવતા થશે. ત્યાંથી ચ્યવોને તે ભરતક્ષેત્રમાં વાસુદેવ થશે, ત્યાંથી સાતમી નરકે જઈને હાથી થશે, ત્યાંથી અનન્તકામાં ઉત્પન્ન થશે. ઈત્યાદિ બહુ કાળ સુધી ભમીને અને તે સિદ્ધપદને પામશે.” આ સુસઢની કથા નિશીથ સૂત્રમાં કહેલી છે, તે અહીં ટુંકામાં પ્રસંગે કહેવામાં આવી છે. ઉત્તમ જીવે આલોચના લેતી વખતે નિરંતર કુટિલપણાનો અવશ્ય ત્યાગ કરે. આગમના અર્થને જાણનાર પુરુષોએ આલોચના દેવી તેમજ લેવી, કેમકે આલોચનાની ઈચ્છા માત્ર પણ શુભ ફલદાયક છે.” આ હકીકતને લક્ષ્યમાં રાખીને જયણા વગેરે સાધન સહિત ધર્મની આરાધના કરનાર સરલ ભવ્યાત્માઓ જરૂર શિવપુર (મોક્ષ) ના અવ્યાબાધ સુખને પામે છે. અહીં મોક્ષનગરનું બીજું નામ શિવપુર પણ કહ્યું છે. જેમ શ્રીતીર્થંકર દેવેએ મનુષ્ય ભવાદિની દુર્લભતા કહી છે, તેમ પાંચ “શકારની’ પણ દુર્લભતા જણાવી છે. તેમાં શિવપુરને પણ ગયું છે. તે પાંચ શિકારની બીના શ્રીગણધરે કહેલી નથી છતાં ભવ્ય જીવોને બહુજ હિત કરનારી છે. તેથી ટૂંકામાં આ પ્રમાણે જણાવું છું છે દુર્લભ પંચક (૧) શ્રી શત્રુંજ્ય મહા તીર્થ, (૨) શિવપુર–મેક્ષ, (૩) શેત્રુંજી નદી, (૪) શાંતિનાથ જિન અને (૫) શનિદાન–મુનિદાનનું વિવરણ. શત્રુંજય શિવપુર, નદી શત્રુંજ્યાભિધા છે શ્રી શાંતિ શમિનાં દાન, શિકારા પંચ દુર્લભાય છે ? પરમ તારક પૂજ્ય શ્રીતીર્થંકર દેએ આરંભ સમારંભમય વિવિધ પ્રવૃત્તિઓથી ભરેલા પ્રવૃત્તિમય જીવન કરતાં નિવૃત્તિમય જીવનને મુક્તિપદ મેળવવાનાં અનેક સાધનમાં ઉત્તમ સાધન તરીકે ફરમાવ્યું છે. એ તો અનુભવ સિદ્ધ છે કે પ્રવૃત્તિનાં લોભાદિ સાધનેને દૂર કરીએ અને પરમ પ્રભાવશાલી શ્રીતીર્થ સેવાદિ ઉત્તમ સાધને સેવીએ તે જ નિવૃત્તિમય જીવન પામી શકાય. આવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી પૂર્વાચાર્ય ભગવંતએ જેમ દશ દષ્ટતે મનુષ્ય ભવની અને તેમાં પણ અનુક્રમે-ધર્મશ્રવણ, શ્રદ્ધા, સંયમ, અને તેની સાધનામાં આમિક વિર્ય ફેરવવું–આ ચારની દુર્લભતા જણાવી છે, તેવી જ રીતે પાંચ શિકાર ( જે પદાર્થ વાચક શબ્દની શરૂઆતમાં “શ” આવે તેવા પાંચ પદાર્થો)ની દુલભતા જણાવી છે. સમજવાનું એમ છે કે-મહાભાગ્યોદયે કાયમની નિવૃત્તિને આપનાર આ પાંચ મળી શકે છે. તે પાંચ અને તેમનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું – ૧ શત્રુંજય, ૨ શિવપુર-મેક્ષ, ૩ શત્રુંજયા નદી, ૪ શાંતિનાથ પ્રભુનું પૂજન અને ૫ શમિઓને–મુનીઓને દાન. ૧-શત્રુંજય તીર્થ–જે દ્વારા સંસાર સમુદ્ર તરી શકાય તે તીર્થ કહેવાય. તેના ચાર ભેદ આ પ્રમાણે સમજવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy