SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રી વિજયપઘસરિતપ્રભાવશાલી જિન ધર્મનું માહાસ્ય દષ્ટાંત સાથે ટૂંકામાં આ પ્રમાણે જાણવું– ધર્મના માહામ્ય વિષે. જિનધર્મ સમારાષ્ય, ભૂત્વા વિભવભાજનમાં માતા સિદ્ધિસુખ યે તે, ગ્લાદ્યા મંગલકુંભવત્ છે ૧છે અર્થ:–“જિનધર્મનું આરાધન કરીને સર્વ સંપત્તિનું સ્થાન થઈ જેઓ સિદ્ધિસુખને પામ્યા છે તેઓ મંગળકળશની જેમ પ્રશંસા કરવાને ગ્ય છે.” | મંગળકુંભનું દૃષ્ટાંત ઉજજયિની નગરીમાં રિસિંહ નામે રાજા હતા. તે નગરીમાં ધનદત્ત નામે ધર્મની રુચિવાળો એક શેઠ હતો. તેને પુત્ર રહિત સત્યભામા નામની સ્ત્રી હતી. એકદા પુત્રની ચિંતાથી પ્લાન મુખવાળા શેઠને જોઈને સત્યભામાએ તેને પૂછ્યું કે “હે નાથ ! તમારે ચિંતાતુર થવાનું શું કારણ છે? તે કહો.” ત્યારે શેઠે પુત્ર ચિંતાની વાત કહી. તે સાંભળીને તે બોલી કે “હે સ્વામી! સુખને ઈચ્છનાર માણસે એવી ચિંતા શા માટે કરવી? તેણે તે આ લોકમાં તથા પરલોકમાં સુખને આપનાર ધર્મની જ સેવા કરવી.” આ પ્રમાણેને પ્રિયાને ઉપદેશ સાંભળીને તેને સત્ય માનીને હર્ષ પામેલે શ્રેષ્ઠી પુષ્પાદિકવડે દેવપૂજા કરવી વિગેરે અનેક ધર્મકાર્યો કરવા લાગ્યા. ધર્મના પ્રભાવથી તુષ્ટમાન થયેલી શાસનદેવીએ તેને ઈચ્છિત વરદાન આપ્યું, તેથી સત્યભામાએ ગર્ભ ધારણ કર્યો. અનુક્રમે સમય પૂર્ણ થતાં તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્રનું સ્વપ્રને અનુસાર મંગળકુંભ એવું નામ પાડયું. તે પુત્ર અનુક્રમે વૃદ્ધિ પામી કળાભ્યાસ કરવામાં તત્પર થયે. તેના પિતા હમેશાં દેવપૂજાને માટે પુષ્પાદિક લેવા ઉદ્યાનમાં જતા, તેને નિષેધ કરીને મંગળકુંભ હમેશાં પુષ્પો લાવીને પિતાને આપવા લાગ્યું. તે પુથી પિતા અને પુત્ર અને પૂજા કરતા હતા. આ પ્રમાણે ધર્માભ્યાસ કરતા હતા તેવામાં જે બન્યું તે સાંભળ ચંપાપુરીમાં મહાબાહ નામે રાજા હતું. તેને ગુણાવળી નામે રાણી હતી. તે રાણીથી ઉત્પન્ન થયેલી લાવણ્યના રસની જાણે પેટી હોય તેવી સ્વરુપવાન ગેલેક્યસુંદરી નામે તેને પુત્રી હતી. તે યુવાવસ્થા પામી ત્યારે રાજાએ વિચાર્યું કે “મારી પુત્રીને યોગ્ય વર કોણ મળશે?” પછી રાજાએ પિતાના સુબુદ્ધિ નામના પ્રધાનને બોલાવીને કહ્યું કે “મેં તારા પુત્રને મારી ત્રિલોક્યસુંદરી આપી છે તેમાં તારે કાંઈ પણ બોલવું નહિ.” તે સાંભળી પ્રધાને ઘેર જઈ વિચાર કર્યો કે “રાજાની પુત્રી તે સાક્ષાત્ રતિ જેવી છે, અને મારે પુત્ર તે કુણના વ્યાધિવાળે છે. તે જાણતાં છતાં હું તે બન્નેને યોગ શી રીતે કરું?” પછી પિતાની બુદ્ધિથી જ ઉપાય શોધીને પ્રધાને ગેત્રદેવીની આરાધના કરી. ત્યારે દેવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy