SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] સહિત શીલની ગુપ્તિએ મુનિધર્મ આરંભાદિથી, રહિત જ્યાં મુનિ દેહને નિવહ ભિક્ષાવૃત્તિથી કુક્ષિસંબલ શુદ્ધ ધર્મો દીસતી ગુણગ્રાહિતા, નિવૃત્તિ લક્ષણ નિર્વિકારી ધર્મમાં અવિરેાધિતા. ૧૯૨ સ્પષ્ટાથે આ જિનેશ્વર ભગવંતે કહેલ ધર્મ અનાદિ કાલને છે. કારણ કે અનાદિ કાલથી અનંતી ચોવીસીઓ થઈ ગઈ. તેમાં દરેક તીર્થંકર પિતાના તીર્થની સ્થાપના કરે ત્યારે પ્રરૂપણા તો ત્રિપદીની જ કરે છે એટલે દરેક તીર્થકર એક જ પ્રકારના ધર્મની પ્રરૂપણા કરે છે. તે ધર્મને મૂલ પાયો અહિંસા (સંયમ અને તપ) છે. કારણ કે આ ધર્મનું મૂલ અહિંસા કહેવાય છે. અથવા પાંચ મહાવ્રત રૂપ આ ધર્મમાં પહેલું મહાવ્રત સર્વ પ્રકારે પ્રાણાતિપાત વિરમણ વ્રત કહેવાય છે. અને બાકીના મહાવ્રતો તેને જ ટકાવનારા ક્ષેત્રની વાડ જેવા) છે. માટે આ ધર્મ અહિંસા રૂપી લક્ષણથી ઉપલય એટલે ઓળખવા લાયક છે. તથા આ ધર્મમાં વિનયની મુખ્યતા હોવાથી તે ધર્મ વિનયમૂલ પણ કહેવાય છે. વળી સત્ય દયાદિ તના પાયા ઉપર આ ધર્મરૂપી મહેલનું મંડાણ છે. તેમાં ખંતી એટલે ક્ષમા ધર્મની મુખ્યતા છે. અહીં ક્રોધના અભાવ રૂપ ક્ષમા જાણવી. અથવા કોઈએ પિતાને અપરાધ કર્યો હોય તે છતાં પણ તેના ઉપર ક્રોધ ન કરતાં આ સંસારી જીવે કર્મને વશ પડેલા છે માટે ભૂલને પાત્ર છે એમ જાણી તેના ઉપર રેષ કરે નહિ. આ રીતે ક્ષમા ગુણને ધારણ કરવાનું અહીં કહેલું છે. વળી આ ધર્મમાં કંચનાદિકને ત્યાગ કરવાનો કહ્યો છે. એટલે કેઈ પણ જાતનો પરિગ્રહ રાખવાનો નિષેધ છે. તેમજ આ ધર્મ ઉપશમ છે પ્રભવ (નિમિત્ત કારણ) જેમાં એવે છે, એટલે ઉપશમ ભાવથી પ્રકટ થવાના સ્વભાવવાળો આ ધર્મ કહેલો છેઆ પ્રમાણે પ્રભુશ્રી તીર્થંકર દેએ કહ્યું છે. વળી અહીં કહ્યું છે કે-નવ પ્રકારની શીયલ વ્રતની ગુપ્તિ અથવા વાડ સાચવવા પૂર્વક મુનિ ધર્મનું પાલન થાય છે. વળી આ મુનિ ધર્મ આરંભાદિકથી રહિત છે એટલે આ મુનિ ધર્મમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ છ પ્રકારની કાયને જેમાં ઘાત થાય તેવા કાર્યોને આરંભ કહેવાય છે, તે આરંભ વગેરેને ત્યાગ કરવાનું કહ્યું છે. વળી આ ધર્મમાં કહ્યું છે કે મુનિ સિક્ષાવૃત્તિથી શરીરને નિર્વાહ ચલાવે છે. એટલે માધુકરી વૃત્તિના સ્વરૂપને જાણનાર મુનિ ઘેર ઘેર ફરીને નિર્દોષ અને એષણીય આહાર લાવીને શરીર ટકાવવાને માટે વાપરે છે, પણ તેમાં આસક્તિ રાખતા નથી. તેથી જ આ મુનિ ધર્મને કુક્ષિ સંબલ કહે છે એટલે પેટને ભરવાને માટે નહિ પરંતુ મુનિવરે સંયમ ધર્મની સાધના કરી શકાય તે મુદ્દાથી આહાર ગ્રહણ કરે છે, વળી આ શુદ્ધ ધર્મમાં ગુણગ્રાહિતા એટલે ગુણને ગ્રહણ કરવાપણું જણાય છે. આ ધર્મ નિવૃત્તિ લક્ષણ એટલે જેમાં શાંતિ અથવા પાપ કાર્યોથી પાછા ફરવું તે રૂપ લક્ષણવાળે છે, તેમજ નિર્વિકારી એટલે વિકાર રહિત આ ધર્મમાં કઈ પણ પ્રકારને વિરોધ નથી. આવા મહા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy