SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪. [ શ્રી વિજયપરિકૃતરમાં વસતે છતે (કવડે) લેપાય છે, પણ જ્ઞાનથી સિદ્ધ થયેલે ( યથાર્થ તત્વજ્ઞાની ) મનુષ્ય પાત નથી.” રાગાદિક પાપસ્થાનક રૂપ કાજળના ગૃહમાં અને તે રાગાદિકના નિમિત્તભૂત ધન સ્વજનાદિકને ગ્રહણ કરવારૂપ (પિતાના માનવારૂપ) સંસારમાં વસવાથી અહંકારાદિક સ્વાર્થમાં સજજ (તત્પર) થયેલો માણસ કર્મોથી લેપાય છે, પણ હેય અને ઉપાદેયની પરીક્ષાએ કરીને વસ્તુસ્વરૂપને જાણનારે જ્ઞાની પાસે નથી. આ સંબંધમાં ગુણસુંદરીની કથા ટૂંકામાં આ પ્રમાણે જાણવી– ગુણસુંદરીની કથા, ચાથી પરહિતની પુત્રી જે ગુણસુંદરી હતી, તેને શ્રાવસ્તી નગરીના રાજાના પુરોહિતને પુત્ર પરણ્યો હતો. તે ગુણસુંદરી ઉપર સાકેતપુરનો રહેવાસી કેઈ બ્રાહ્મણ મેહ પામ્યું હતું તેથી તે બ્રાહ્મણે ભિલ્લની પલ્લીમાં જઈને પલ્લી પતિને કહ્યું કે “તમે શ્રાવસ્તી નગરીમાં લૂંટ કરો, હું તમને મદદ કરીશ, તેમાં જેટલું ધન આવે તે બધું ધન તમારે રાખવું અને એક ગુણસુંદરીને મને આપવી.” એમ કહીને તે બ્રાહ્મણ પલ્લી પતિને તેના અનુચરે સહિત શ્રાવસ્તી લઈ ગયો. ત્યાં લૂંટ કરી, તેમાંથી તે બ્રાહ્મણ ગુણસુંદરીને લઈને કેઈક નગરમાં ગયો. ત્યાં તેણે ગુણસુંદરીને પિતાની સ્ત્રી થવા કહ્યું. ત્યારે તે બેલી કે “હાલ મારે નિયમ છે.” એમ કહીને કેટલાક દિવસો વીતાવ્યા. પછી ઔષધના પ્રયોગથી તે તદ્દન અશુચિ શરીર રાખવા લાગી. તેનું તેવું દુગન્ધયુક્ત શરીર જોઈને બ્રાહ્મણને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે જાણીને ગુણસુંદરીએ તેને કહ્યું કે “ મને મારા પિતાને ઘેર લઈ જા.” ત્યારે તે બ્રાહ્મણે તેને તેના પિતાને ઘેર પહોંચાડી. એકદા તે બ્રાહ્મણને સર્પ ડ. તે વખતે ગુણસુંદરીએ તેને સજજ કર્યો. પછી તેને ગુરુ પાસે લઈ જઈને ધર્મદેશના સંભળાવી. ગુરુ બોલ્યા કે “નિર્લેપ ગુણ યુક્ત એ જીવ અનેક ગુણોને પામે છે. ચૈતન્યનું સમગ્ર પરભાવના સંગના અભાવે કરીને સ્વભાવમાં અવસ્થિત રહેવાપણું તે નિર્લેપ ગુણ કહેવાય છે. કહ્યું છે કે – લિખતે પુદ્ગલસ્ક, ન લિએ પુદગલૈરહમા ચિત્રવ્યમાંજર્નનૈવ, ધ્યાયન્નિતિ નલિયતે છે ! અર્થ:–“પુદ્ગલથી સ્કંધો લેપાય છે, પણ જેમ વિચિત્ર પ્રકારના અંજનીવડે પણ આકાશ લેવાતું નથી તેમ હું લેપતે નથી. આ પ્રમાણે વિચારનાર પ્રાણી (કર્મથી) લેપ નથી.” સ્પષ્ટાર્થ–પરસ્પર એકઠા મળવાથી આશ્લેષ અને સંક્રમાદિવડે પુગલના સ્ક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy