SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ = = શચિંતામણિ ] લેપાય છે, એટલે અન્ય પુગલોના ભળવાથી ઉપચય(વૃદ્ધિ)ને પામે છે, પરંતુ હું નિર્મળ ચિત્ સ્વરૂપ આત્મા પુગલના આશ્લેષવાળ નથી. વાસ્તવિક રીતે જીવને અને પુદગલને તાદામ્ય સંબંધ છેજ નહી, માત્ર સંગ સંબંધ છે, તે પણ ઉપાધિજન્ય છે. જેમ આકાશ વિચિત્ર અંજનથી લેપ્યા છતાં પણ લપાતું નથી, તેમ અમૂત આત્મસ્વભાવવાળો હું એક ક્ષેત્રમાં રહેલા પગલેથી પણ પાસે નથી. આ પ્રમાણે ધ્યાન કરતે જીવ કદાપિ લેપતે નથી.” જે આત્મસ્વભાવને જાણનાર આત્મા આત્મવીર્યની શક્તિને આત્મામાં વાપરે છે, તે નવાં કર્મોથી લપાતો નથી, કેમકે જ્યાં સુધી આત્મશક્તિ પરાનુયાયિની-વિભાવને અનુસરનારી હોય છે ત્યાં સુધી આશ્રવ થાય છે, અને જ્યારે આત્મશક્તિ સ્વરૂપાનુયાયિની (નિજગુણ રમણતાને અનુસરનાર) થાય છે ત્યારે સંવર થાય છે. કહ્યું છે કે તપકૃતાદિના મત્તા, ક્રિયાવાનપિ લિખતે ભાવનાજ્ઞાનસંપન્નો, નિક્રિયેાડપિ ન લિખતે ૨ અર્થ–“ તપ અને કૃતાદિકથી અભિમાની થયેલે મનુષ્ય ક્રિયાવાન હોય તે પણ તે લેપાય છે, અને ભાવનાજ્ઞાનથી યુક્ત મનુષ્ય ક્રિયા ન કરે તે પણ પોતે નથી.” - જિનકલ્પી સાધુ વિગેરેના જેવી ક્રિયાને અભ્યાસી છતાં પણ તપ અને કૃતાદિકને અભિમાની હોય છે તે તે નવાં કર્મ ગ્રહણ કરવાવડે લેપાય છે, કેમકે આહારાદિકની લાલચથી ધર્મના અભ્યાસમાં જે પ્રવૃત્તિ કરવી તે ધર્મ નથી, તેમાં શુભ ભાવનાની અપેક્ષા છે. તેથી જ તેવા શુભ ભાવનાજ્ઞાનથી સંપન્ન મનુષ્ય ક્રિયા ન કરે તેપણ કર્મથી પાતે નથી. કહ્યું છે કે – ન કમ્મુણા કમ્મ અવંતિ બાલા, અકસ્મૃણા કમ્મ અવંતિ વીરા મેહવિણ લેભમયાવતીતા, સંતસિણો ને પકરંતિ પાવં ૧ સ્પષ્ટાર્થ—અજ્ઞાની માણસો કમેં કરીને (શુભ ક્યિા કરવા વડે કરીને પણ) કર્મને ખપાવતા ભાવનાજ્ઞાનવાળા નથી. વીર પુરુષ કર્મ (શુભ ક્રિયા ) નહી કર્યા છતાં પણ કમને ખપાવે છે. બુદ્ધિવાળા માણસો લાભ ને મદથી રહિત હોય છે, તેવા સંતોષી છે પાપકર્મ કરતાજ નથી.” જહા કુમ્મ અંગાઈ, સએ દેહે સમાહરે એવં પાવાઇ મેહાવી, અઝપેણ સમાહરે છે ર છે અર્થ_“જેમ કાચબો પિતાના અંગોને પિતાના દેહમાંજ સંકેચી લે છે, તેમ બુદ્ધિશાળી માણસો શુભ અધ્યાત્મવડે પાપને સંહાર (નાશ) કરે છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy