SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ નાચિંતામણિ ] ૩. બુદ્ધિની વૃદ્ધિ-જે દ્વારા પદાર્થ તત્વને ખરો જણાય તે બુદ્ધિ કહેવાય. આવી વિશાલ નિર્મલ બુદ્ધિ ધર્મારાધનથી મળી શકે છે. ભલે ને મેટ રાજા હોય, તે પણ જે તેનામાં વિદ્યા-બુદ્ધિની ખામી હોય તે તે હાંસી પાત્ર બને છે. આ બાબતમાં જુઓ એક દષ્ટાંત – પ્રતિષ્ઠાનપુર નગરમાં શાલિવાહન રાજા રાજય કરતો હતો. તેને ચંદ્રલેખા વગેરે પાંચ સો રાણીઓ હતી. તમામ રાણીએ સંસ્કૃતાદિ છએ ભાષાની જાણકાર હતી, પણ રાજા વ્યાકરણ ભર્યો ન હતો. ભાષા શુદ્ધિને માટે અને પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજવાને માટે વ્યાકરણ ભણવાની ખાસ આવશ્યક્તા છે. એક વખત ગ્રીષ્મ ઋતુમાં રાજાએ રાણીએની સાથે જલક્રીડા શરૂ કરી. ચંદ્રલેખા રાણી શરીર કેમળ હોવાથી, ઠંડી સહન કરી શકતી ન હતી. અને રાજા તે પહેલાંની માફક પાણી છાંટયા જ કરતો હતો. આ બાબતને નિષેધ કરવા રાણીએ સંસ્કૃત ભાષામાં રાજાને કહ્યું કે –“ ! માં નોઃ વિન” ( આને અર્થ આ છે કે હે રાજન મને પાણી છાંટો નહિ “મા–ઉદ =નહિઉદક વડે. અહીં વ્યાકરણના નિયમ પ્રમાણે આ+ઉ ને “ ” થાય) એમ વારંવાર રાણીએ કહ્યું તે પણ વ્યાકરણને બંધ ન હોવાથી રાજા શાલિવાહન રાણીને કહેવાને મુદ્દો સમજી શકો નહી. એ તે “મોદક” આ શબ્દ સાંભળીને ઉલટું એમ સમજે કે રાણી લાડવા માગે છે. જેથી દાસીને લાડવાની છાબડી લાવવા ફરમાવ્યું. દાસી તે લાવી. આ બનાવ જોઈને રાણી હસી પડી. અને વિચારવા લાગી કે “રાજા આવી બીના પણ સમજતો નથી. હસતી એવી રાણીને જોઈને રાજાએ હસવાનું કારણ પૂછ્યું, ત્યારે રાણીએ કહ્યું કે-હું કહું છું કંઈ ને તમે સમજે છે કંઈ, તેથી મને હસવું આવ્યું. રાણીનાં આ વચન સાંભળીને રાજા શરમાઈ ગયો. પછી તેણે વિદ્યા (બુદ્ધિ) મેળવવા માટે ત્રણ ઉપવાસ કરીને સરસ્વતી દેવીની આરાધના કરી. દેવીએ પ્રત્યક્ષ દર્શન દઈને વરદાન દીધું. જેથી રાજા કાવ્ય રચનામાં કુશળ કવિ થયો. અને તેણે સારસ્વત નામનું વ્યાકરણ પણ બનાવ્યું. ધર્મના પસાયે પ્રજ્ઞા (વિદ્યા)નો વધારો થઈ શકે છે. આ ત્રીજી વૃદ્ધિ જણાવી. ૪. સુખની વૃદ્ધિ–કહ્યું છે કે વધારે પ્રમાણમાં ધર્મારાધન કરવાથી મન ગમતાં ભજન, સુખ સાહિબી, દાન દેવાનું સામર્થ્ય વગેરે મળે છે. યાદ રાખવું કે સુખનું ખરૂં સાધન ધર્મારાધન છે. જેમ જેમ પુદગલરમણતા ઓછી થાય તેમ તેમ ધર્મક્રિયા તરફ લક્ષ્ય જરૂર રહે છે. મહ રાજાના પંઝામાં સપડાયેલા છે પિતાની ફરજ સાધવામાં જરૂર મુંઝાય છે. ૧–ત્રણ ઉપવાસ એ અટ્ટમ કહેવાય, આ તપને પ્રભાવ એ અલૌકિક છે કે જેથી કઠિન એવાં કાર્યો પણ હેલ બને છે છ ખંડ સાધતી વખતે ચક્રવતીઓ પણ જુદા જુદા સ્થલે ૧૩ અઠ્ઠમ કરે છે ર–બાપભદિસરિ હેમચંદ્રસૂરિ વગેરે મહાપુરૂષોએ પણ સરસ્વતીની આરાધના કરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy