SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ [[ બી વિજ્યપઘસકૃિત ધર્મસ્ય ફલમિચ્છન્તિ, ધર્મ નેચ્છતિ માનવા ફલં નેસ્કૃતિ પામસ્ય, પાપં કુર્વતિ સાદરા ૧ છે અર્થ–મૂઢ મનુષ્ય ધર્મના ફલને ચાહે છે, પણ ધર્મ કરવાને ચાહતા નથી ને પાપના ફલને ઈચ્છતા નથી, પણ આરંભાદિ પાપ તે રાચી માચીને કરે છે, એ કેવી ખેદની વાત છે? ૫ લક્ષ્મીની વૃદ્ધિ ધર્મના પ્રતાપે લક્ષમીની પણ વૃદ્ધિ થાય છે. આ બાબતને સ્પષ્ટ સમજવા માટે પિથડની બીના ઉપયોગી થઈ પડશે. તે આ પ્રમાણે જાણવી – વિદ્યાપુર નગરના રહીશ પેથડ (મંત્રી) પહેલાં જ્યારે સામાન્ય સ્થિતિમાં હતા, ત્યારે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી ધર્મઘોષસૂરિજીની પાસે પરિગ્રહને નિયમ લેવા ઉત્કંઠિત થયા. તે વખતે પેથડે શ્રી ગુરુમહારાજને કહ્યું કે–“પરિગ્રહની બાબતમાં પાંચ સે ટ્રમ્પને નિયમ કરું છું તે ઉપરાંત કમાઉં તે ધર્મમાર્ગે વાપરૂં” આવી હકીકત સાંભળીને જ્ઞાની ગુરૂએ તેનું ભવિષ્ય સારું પારખીને સમજાવીને પાંચ લાખને નિયમ કરાવ્યું. તે પછી એક વખત દુકાલના પ્રસંગે પેથડ માલવદેશ તરફ ગયો ત્યારે મંડપદુર્ગ (માંડવગઢ) ની ઉપર ચઢતાં દરવાજાની ડાબી બાજુએ, સપના માથા ઉપર ચકલી બેઠેલી જોઈને આગળ જતાં પેથડ અટકી ગયે. આ બનાવ જોઈને એક જોશીએ પેથડને કહ્યું કે-ખર ડાબા વિષહર જમણુ” આ કહેવત પ્રમાણે તમને ઉત્તમ શકુન મળ્યા તેઓ તમે આગળ કેમ ન ચાલ્યા? જે તમે શકુનના વખતે આગળ ચાલ્યા હોત તો વિશેષ લાભ થાત. હજુ પણ આગળ ચાલશે તો ભવિષ્યમાં તમે મંત્રી થશે. જોશીનાં આવાં વેણ સાંભળીને પેથડ આગળ ચાલ્યા. ઉત્તમ શકુનનું ફલ એ મળ્યું કે–પૂર્વાવસ્થામાં જે પિતે લૂણ વેચતા હતા તે થોડા વખતમાં સારંગદેવ નામના રાજાના મંત્રી થયા. પેથડને પ્રથમદે (વી) નામની ગુણવંતી સ્ત્રી હતી, અને ઝંઝણ (વ) નામને પુત્ર હતું. આ પુત્રના લગ્ન પ્રસંગે સન્યાદિ પરિવારથી પરવરેલા સારંગદેવ રાજાને નર્મદા નદીના કાંઠે ઉત્તમ ભેજન જમાડી પેથડે તેમને સારે સત્કાર કર્યો. લગ્ન બાદ રાજાએ પેથડની પુત્રવધુને કંચુલિકા દાનમાં (કાપડામાં) દર વર્ષ માટે પોતાના એક લાખ ૯૨ હજાર ગામથી શેભાયમાન માલવ દેશના દરેક ગામ દીઠ એક ગદીયાણું પ્રમાણ સોનાનું દાન કર્યું. આ નિમિત્તે પેથડને ફૂર વર્ષે ૯૪૬ મણ સોનાની આવક થતી હતી. મંત્રી પેથડ તે તમામ મીલ્કત ધર્મકાર્યમાં વાપરતા હતા. તેમણે કેટ કેટિ મહાપ્રાસાદ વગેરે ૮૪ બાવન જિનાલય દેહરાસરે બંધાવ્યા. તેમજ ભરૂચ વગેરેમાં ૭ જ્ઞાન ભંડાર કરાવ્યા હતા. તથા અનંત તીર્થંકર ગણધરાદિ મહાપુરૂષ સમલંકૃત તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની ઉપર ૨૧ ધડી પ્રમાણ સેનું વાપરીને મુખ્ય પ્રસાદને સેનાની ખેલીથી સુશોભિત બનાવ્યો હતે. તેમજ અઢાર ભાર સોનું ખરચીને તે પ્રાસાદના શિખર ઉપર સોનાના દંડ કલશ ચઢાવ્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy