SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ (શ્રી વિજયપારિતછે શ્રી જિન ધર્મના પ્રભાવે થતી સાત પ્રકારની વૃદ્ધિ આયુર્વાદ્વિર્યશોદ્ગદ્ધિ પ્રજ્ઞાસુખશિયામુ ધર્મસંતાનવૃદ્ધિ, ધર્માત્ સપ્તાપિ વૃદ્ધયા છે ૧ છે આ જીવ અનાદિ કાલને છે એટલે તેને બનાવનાર કંઈ છે જ નહિ અને જેમ ઘટ વગેરે પદાર્થો અમુક કાલે ઉપજ્યા એમ કહેવાય છે, તેમ જીવ પણ અમુક વખતે ઉપજ એમ ન કહી શકાય. આવા અનાદિ જીવને નારક તિર્યંચ મનુષ્ય દેવ ગતિરૂપ સંસારમાં જે ભટકવું પડે છે તે પણ અનાદિ કાલથી. એટલે પહેલાં આ જીવને રખડપટ્ટી હતી નહિ અને અમુક કાલે તે શરૂ થઈ એમ નથી. આ સંસારને શાસ્ત્રકાર ભગવંતે બીજા કે શબ્દથી ન ઓળખાવતાં “ભાવ” શબ્દથી સ્પષ્ટ ઓળખાવ્યા છે, તેનું રહસ્ય એ છે કે જેમાં દેવરૂપે, મનુષ્યરૂપે, તિર્યંચરૂપે અથવા નરક રૂપે ઉપજે તે ભવ કહેવાય. આ ભવ (સંસાર) દુઃખ સ્વરૂપ છે. એમાં આસક્તિ રાખનાર જીવને દુઃખ સિવાય બીજુ ફળ મલતું જ નથી અને જ્યાં સુધી એને છોડવાનો પ્રયત્ન ન કરે ત્યાં સુધી દુઃખની જ પરંપરા વેઠવી પડે છે. આવા સંસારના નાશનો ઉપાય એ છે કે નિયાણાને ત્યાગ કરીને વિધિ પૂર્વક પરમ ઉલ્લાસથી નિર્મલ ધર્મની આરાધના કરવી. એમ કરાય તે સંસારને નાશ જરૂર થઈ શકે. આ ધર્મની આરાધના કરવાથી સાત પ્રકારની વૃદ્ધિ થાય છે, તે આ પ્રમાણે – ૧. આયુષ્યની વૃદ્ધિ શ્રી જિનેશ્વર દેવે કહેલ પવિત્ર ધર્મની આરાધના કરવાથી લાંબું આયુષ્ય મળે છે. જુઓ આ ચાલુ ચોવીસીમાં થયેલા પહેલા તીર્થંકર શ્રી આદીશ્વર ભગવંતને ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય મળ્યું હતું એ ધર્મને જ પ્રતાપ હતો. આ લાંબા આયુષ્યની સાથે સાથે નીરોગી જીવન હોય તે જ તે લાંબુ આયુષ્ય મળ્યું વ્યાજબી ગણાય. પ્રભુ સષભદેવને ધર્મારાધનથી મળેલા એટલા લાંબા આઉખામાં પ્રબલ પુણ્યના પ્રતાપે કઈ પણ રેગાદિની પણ પીડા ભેગવવી પડી ન હતી. વળી સામાન્ય નિયમ પ્રમાણે તપના પારણે હલકે પદાર્થ પચી શકે છતાં શ્રી ઋષભદેવે સાંવત્સરિક જેવા લાંબા તપના પારણાના પ્રસંગે ઈષ્ફરસને પચાવ્યું. એ પણ ધર્મારાધનથી પેદા કરેલા પુણ્યના પ્રભાવથી જ થઈ શકે. ૨. યશની વૃદ્ધિદશરથ રાજાના વિનીત પુત્ર શ્રી રામચંદ્રજી કે જે ન્યાયનિષ્ઠ હતા તેમણે પિતાની આજ્ઞાને શિરસાવંઘ ગણીને વનવાસ પણ પસંદ કર્યો હતો. તેમને થઈ ગયે અત્યાર સુધીમાં ૧૧ લાખ વર્ષો થઈ ગયાં તે પણ તેમણે જે રીતે ન્યાયધર્મથી રાજયનું પાલન કર્યું, અને પ્રજાને પ્રેમ પણ મેળવ્યો, એથી તેમની ફેલાયેલી કીર્તિ હજુ સુધી પણ જાણે નવી જ હોય તેવી લોકમાં ગવાય છે. આ પણ ધર્મને જ પ્રભાવ સમજ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy