SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૯૦ દેશનાચિંતામણ ] ૧૭* શકાય છે, તેમ સ્યાદ્વાદિ જ્ઞાન વડે પણ છવાજીવાદિ તો જાણી શકાય છે અથવા તેમનું સ્વરૂપ સમજી શકાય છે. વળી પૂર્વે જે કર્મો બાંધ્યા હોય તે સઘળાં કર્મો શુદ્ધ તપ કરવાથી નાશ પામે છે. કારણ કે જે નિકાચિત કર્મો બાંધ્યા હોય તેને પણ નાશ કરનાર નિર્મલ તપશ્ચર્યાજ છે. તથા સંયમ એટલે ચારિત્રના પ્રભાવથી નવા કર્મો બંધાતા નથી એટલે સંયમથી આવતાં (નવાં બંધાતાં) કર્મો રકાય છે. આ રીતે જ્ઞાન, તપ અને સંયમની એકઠી આરાધના કરવાથી મોક્ષપદને જરૂર મેળવી શકાય છે. ૧૮૯ અથવા સુદર્શને જ્ઞાન ચરણે મેક્ષ જિનશાસન વિષે, જ્ઞાન ક્રિયાથી મેક્ષ અથવા ઈમ અપેક્ષા બહુ દીસે, દેવ તીર્થકર સમા વાણી અપૂરવ તેમની, શ્રેષ્ઠ શાસન તેમનું પામ્યા નિશાની પુણ્યની. સ્પષ્ટાર્થ—અથવા બીજી રીતે સુદર્શન એટલે સમકિત, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ સાધનોની સમુદિત આરાધના કરવાથી મોક્ષના સુખ મળે, એમ શ્રી જિનેશ્વર દેવે કહ્યું છે. જુઓ “જ્ઞાનદશનચારિત્રાણ માક્ષમાર્ગ.” જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અથવા અપેક્ષાએ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, એમ પણ કહી શકાય. જુઓ “જ્ઞાનક્રિયાલ્યાં અહીં ક્રિયામાં ચારિત્રને સમાવેશ થઈ જાય છે અને જ્ઞાનમાં દર્શનનો સમાવેશ થઈ જાય છે. આ પ્રમાણે મોક્ષ માર્ગને જણાવનારા વાકયો અર્થની દષ્ટિએ એકજ અર્થને જણાવનારાં છે એમ સમજવું. વળી હે ભવ્ય જી ! તમે ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ જેવા દેવા પામ્યા છે, અને તેમની વાણી સાંભળવાનો પણ અપૂર્વ અવસર પામ્યા છે. વળી તેમના શાસનને (તેમણે કહેલા ધમને) પણ પામ્યા છે, એ તમારા પ્રબલ પુણ્યોદયની નિશાની સમજવી. કારણ કે પ્રબલ પુણ્યનો ઉદય હોય તેજ આવા દેવ, વાણી અને ધર્મની પ્રાપ્તિ થાય છે. અને તેમાં પણ જ્ઞાનાદિક આત્મિક ધર્મોની આરાધના કરવાને શુભ અવસર તે મહાપુને ઉદય વત્તતે હોય તે જ પ્રાપ્ત થાય છે અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જિન ધર્મની પરમ ઉ૯લાસથી આરાધના કરતાં આરોગ્યાદિ સહિત શુભ ગતિના આયુષ્યની વૃદ્ધિ એટલે લાંબું આયુષ્ય મળે અને યશ પ્રજ્ઞા સુખ લક્ષમી ધર્મ તથા સંતાનાદિની પણ વૃદ્ધિ થાય છે એટલે આયુષ્યાદિ સાત પદાર્થોની વૃદ્ધિ થવામાં અસાધારણ કારણ શ્રી જિન ધર્મજ છે. આ પ્રસંગે આ સાત પદાર્થોની વૃદ્ધિનું સ્વરૂપ વિસ્તારથી જણાવવું, એ હાલના ભવ્ય છની ધર્મની શ્રદ્ધાને જરૂર બહુજ વધારનાર છે. આ મુદ્દાથી હું બીજા ગ્રંથમાંથી શ્રી ચારૂગણધરના સમયથી પછી બનેલી કેટલીક હકીકત સાથે તે સાત પ્રકારની વૃદ્ધિનું સ્વરૂપ આ રીતે જણાવું છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy