SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] " સ્પષ્ટા–જેઓ પિતાના ઉપદેશથી પ્રતિબંધ પામ્યા એટલે પિતાને મળેલ પિતાના રાજ્યને ભાગ છોડીને ચારિત્ર ગ્રહણ કરીને સંયમી અથવા સાધુ બન્યા છે તે મારા નાના ભાઈઓને હું ધન્ય માનું છું. અને હું તેઓના ચરણમાં નમસ્કાર કરું છું. ખરી શાંતિ ત્યાગમાં જ રહેલી છે, કારણ કે પૈસા વગેરે સાધનોથી મેળવેલી જે શાંતિ તે ખરી શાંતિ નથી, પરંતુ માત્ર ક્ષણિક શાંતિને આભાસ અથવા દેખાવ માત્ર છે. કારણ કે તે શાંતિ કાયમ ટકતી જ નથી અને તેને કયારે નાશ થશે તે પણ જાણી કે કહી શકાતું નથી. માટે ત્યાગ ધર્મને સાધીને મેળવેલી શાંતિ તેજ ખરી શાંતિ છે. આ મુદ્દાને લક્ષ્યમાં રાખીને હું પણ તે સત્ય શાંતિજન્ય સુખ મેળવવા માટે મોહનો ત્યાગ કરીને મારા પિતાએ કહેલા માર્ગમાં જલદી વિચરીશ. આનું રહસ્ય એ છે કે-હવે હું પણ જલદી ચારિત્રને ગ્રહણ કરીશ. આવી રીતે ચારિત્રને ગ્રહણ કરવાની તીવ્ર ઇચ્છાવાળા તે ભરત ચક્રવર્તી ભાવ ચારિત્રી અથવા ભાવસાધુ બન્યા. ૧૮૦. - એહવી શુભ ભાવનામાં ક્ષેપક શ્રેણિ શરૂ કરી, * ઘાતી કર્મોને હણ અતિ થયા તે કેવલી, - શેષ આયુ દીર્ધ જાણું વેષ મુનિને ધારતા, વસુધાતલે વિચરી ઘણએ ભવ્યગણને તારતા. ૧૮૧ સ્પષ્ટાથે આ પ્રમાણે એક વીંટી વિનાની આંગળી રૂપી બાહા આલંબન પામીને તેનાથી અનિત્ય ભાવના ભાવમાં શુભ ભાવની વૃદ્ધિ થવાથી તે ભરત ચક્રવર્તીએ શપક શ્રેણી શરૂ કરી. તે ક્ષપક શ્રેણીમાં પ્રથમ તો કર્મોની જડ સમાન મોહનીય કમને સંપૂર્ણ રીતે નાશ કર્યો. આ ક્ષપક શ્રેણિમાં પ્રથમ અનંતાનુબંધી કષાયની ચેકડી એટલે ક્રોધ માન માયા અને લોભ તથા મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય એ સાત પ્રકૃતિનો ક્ષય કરે છે. આ સાત પ્રકૃતિને ક્ષય થવાથી અતિ નિર્મલ ક્ષાયિક સમકિત પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ક્ષપક શ્રેણિમાં આગળ વધતા અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય એ બે કષાયની ચેકડી એટલે આઠ કષાયને ક્ષય એકી સાથે કરે છે. ત્યાર પછી હાસ્યાદિ ષક ત્રણ વેદ અને સંજવલન કષાયની ચોકડીને સંપૂર્ણ ક્ષય કરે છે. આ મેહનીય કમને સંપૂર્ણ ક્ષય થાય ત્યારે તે ભરત ચકી બારમા ક્ષીણ મેહ વીતરાગ છદ્મસ્થ નામના ગુણસ્થાનકને પામે છે. આ બારમા ગુણઠાણાના છેલલા સમયે બાકી રહેલાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાય એ નામના ત્રણ ઘાતી કર્મોને ક્ષય કરે. ઘાતી કર્મને ક્ષય કરીને તે કેવલ જ્ઞાનને પામે છે. આ રીતે ભરત ચક્રવતીને આરિસા ભુવનમાં કેવલજ્ઞાન પ્રગટ થયું. તે વખતે “મારૂં આયુષ્ય એક લાખ પૂર્વ પ્રમાણુ બાકી છે” એવું જાણીને તે કેવલી રાજર્ષિએ મુનિ વેષને ધારણ કર્યો. ત્યાર પછી એક લાખ પૂર્વે સુધી પૃથ્વી ઉપર વિહાર કરીને આ સંસાર સમુદ્રમાં ડૂબતા ઘણા ભવ્ય જીવોને તાર્યા છે. ૧૮૧ ૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy