SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ || શ્રી વિજયપારિકૃતપણ ઉચિત લાગતું નથી. આ રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ ભૂંડ કાદવ કીચડથી ભરેલા અશુચિ દુધવાળા અપવિત્ર ખાડામાં સુખ માનીને પડી રહે છે, તેમ આ જીવ પણ કાદવ કીચડ સરખા અશુચિ વિષયમાં સુખ માનતે સંસાર રુપી ખાડામાં પડ રહે છે. પરંતુ આ પ્રમાણે આ સંસારમાં આસક્ત થઈને પડયા રહેવું, એ મારા જેવાને લગાર પણ ગ્ય નથી. વળી જેમ વિબુધ એટલે ડાહ્યા પુરુષે પિતાની ભૂલ જાણે ત્યારે ત્યાં અટકી જાય છે અને તે પિતાની ભૂલને સુધારે છે. અને મોક્ષ માર્ગનું આરાધન કરીને પરમાત્મપદ એટલે મોક્ષને પણ પામે છે. આ રીતે મારે પણ હવે ચેતીને મેક્ષમાર્ગને આરાધવામાં તત્પર થવું, એ જ વ્યાજબી છે. ૧૭૮ બાહ્ય ચકે બાહ્ય રિપુને જીતતા ચકી ઘણાં, ભાવ ચકે ભાવ શિપુને વિરલ જીતનારા જના; એમ આંતર શત્રવિજયી સત્યચક્રી શુભગતિ, મેક્ષને કે દેવગતિને પામતા ચરણે રતિ. ૧૭૯ સ્પષ્ટાર્થ ––ઘણાએ ચકવતાએ બાહ્ય ચક્ર વડે બાહ્ય શત્રુઓને જિત્યા છે. કહેવાને સાર એ છે કે ચક્રવતી ઓ ચકની સહાય વડે બાહ્ય શત્રુઓ એટલે દુશમન રાજાદિકને જીતે એ કાંઈ મહાભારત કામ નથી. પરંતુ જેઓ ભાવરિપુ એટલે અનાદિ કાલથી આત્માની સાથે જ રહેલા રાગ દ્વેષાદિ કે ખરા શત્રુઓને ભાવચક્ર વડે એટલે શીલ, સમતા, સંયમ, સરલતા, સાદાઈ વગેરે રૂપી ચક વડે જીતે છે તેવા પુરૂષે તે વિરલા જ હોય છે અથવા ભાવ શત્રુઓને જીતવાનું કાર્ય કરનારા ભવ્ય જીવો ચાવતી કરતાં ઘણું ચઢિયાતા બળવાળા કહેવાય છે. આ રીતે આ આંતર શત્રુ રૂપી રાગદ્વેષને જય કરનારા જ સાચા ચક્રવતી જાણવા માટે જેઓને ચરણે એટલે ચારિત્રને વિષે પ્રીતિ હોય છે તેજ સાચા ચકવર્તીએ દેવાદિક શુભ ગતિને અથવા પરમાનંદ રૂપ મોક્ષ પદને જરૂર પામે છે. બીજા સંસારમાં આસક્તિવાળા કહેવાતા ચક્રવતીઓ તો મરીને નરકમાં જાય છે અને ત્યાં આગળ અનેક પ્રકારની વેદના ભેગવતા અતિદુઃખી થાય છે. માટે સમતાદિક ગુણ રૂપી ઉત્તમ ચક્રથી ભાવ શત્રુઓને જીતીને વિજયવંત સાચા ચકવત્તી થવું એમાંજ ખરી હાદુરી કહી શકાય. આ રીતે ભાવના ભાવીને આગળ ભરતચકી શું વિચારે છે? તે હવે પછીના ૧૦૦મા શ્લોકમાં જણાવે છે. ૧૭૯. તાતના ઉપદેશથી પ્રતિબંધ પામી સંયમી, મુજ બાંધવાદિક ધન્ય માનું તેમના ચરણે નમી; ત્યાગમાંજ ખરી જ શાંતિ સત્ય સુખ ત્યાગ કરી, સંચરીશ હું એજ માર્ગે મેહને ઝટ પરિહરી. ૧૮૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy