SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ નાયિતામણિ ] વિગેરે કામ કરવાથી શુદ્ર કહેવાય છે. આ પ્રમાણે પોતપોતાને ચગ્ય કર્મ ન કરે તે તે બ્રાહણાદિ જાતિથી ને તેવી સંજ્ઞાથી પણ ભ્રષ્ટ થયેલા જાણવા. અહિંસાદિક ગુણેથી યુક્ત એવા શ્રેષ્ઠ બ્રાહ્મણેજ તરવા અને તારવામાં સમર્થ હોય છે. આ આપણે તે મુનિનાં ધર્મવાક સાંભળીને વિજયષ સંશય રહિત થઈ “જરૂર આ મુનિ મારા ભાઈ છે.” એમ જાણીને પ્રસન્ન થઈ બેલ્યો કે-“ હે મુનિ ! તમે જ ખરા ભેદને જાણનારા છે. હે યથાસ્થિત વસ્તુતત્વને જાણનાર ! તમેજ યજ્ઞ કરનારા છો. ભાવયજ્ઞ કરીને તમેજ પિતાને અને પરને તારવાને સમર્થ છે. માટે તે ઉત્તમ ભિક્ષુ ! આ ભિક્ષા ગ્રહણ કરીને તમે મારાપર અનુગ્રહ કરે.” મુનિ બોલ્યા કે “હે બ્રાહ્મણ ! મારે ભિક્ષાની કાંઈ જરૂર નથી, પરંતુ જલદીથી તું આ કૃત્યથી નિવૃત્તિ પામી પ્રવજ્યા ગ્રહણ કર. ભયના આવર્તાવાળા આ સંસારસાગરમાં ભટક નહિ. જેમ એક લીલો તથા એક સૂકે એવા માટીના બે ગોળાને ભીંતપર ફેંકીએ, તે આ ગોળ ભીંત સાથે ચોટી જશે અને સૂકે ગળે નીચે પડશે, અર્થાત્ તે ચોંટશે નહીં, તેમ જે દુબુદ્ધિ માણસ કામની લાલસાવાળા હોય છે તેઓ જ સંસારમાં લીન થાય છે, અને જે તે લાલસાથી વિરક્ત છે તેઓ લીન થતા નથી.” કહ્યું છે કે એવં લ—તિ દસ્નેહા, જે નરા કામલાલસા વિરત્તા ઉ ન લગ્ગતિ, જહા સુકકે ઉ ગેલએ છે ૧ છે ( આ ગાથાને અર્થ ઉપર આવી ગયેલ છે.) ઈત્યાદિ ઉપદેશ સાંભળીને તે વિજયષે સર્વ સંગ તજીને દીક્ષા ગ્રહણ કરી. પછી બન્ને ભાઈઓ અનુક્રમે પૂર્વ કર્મને ક્ષય કરીને મોક્ષસુખને પામ્યા. કલ્પના રહિત અને આત્મગુણ સાધન કરવામાં તત્પર એવી વાસ્તવિક પૂર્ણતા તે જ્ઞાનદષ્ટિ રૂપ પોતાની જ કાંતિ છે. માટે હે જીવ! તું તેને અનુસરનારી (તારી) ચેતના કરજે. આ રીતે શ્રીભરતચકી વિચાર કરતાં આગળ કઈ ભાવના ભાવે છે? તે ૧૭૮માં શ્લેકમાં જણાવે છે. ૧૭૭. ભોગ તૃષ્ણાનાજ પાપે ભવ અશુચિગર્તા વિષે, ભુંડની જિમ હું રહ્યો તે ઉચિત રજ ન મને દસેક ભૂલ્યા તિહાં અટકી જઈ તે ભૂલ વિબુધ સુધારતા, માર્ગને આરાધતા પરમાત્મપદને પામતા. ૧૭૮ સ્પાર્થ –ભગ તૃષ્ણા એટલે ઈન્દ્રિયોના વિષયને સેવવાની ઈચ્છાને લીધે આ સંસારરુપી અપવિત્ર વિષ્ટાદિથી ભરેલા ખાડાને વિષે હું ભૂંડની જેમ પડી રહ્યો તે મને જરા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy