SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ]. તે સર્ષ પિલા શબ્દ કરતા દેડકાને તેડી તેડીને ખાતો હતો. આ પ્રમાણે પરસ્પર ભક્ષણ કરતા તે પ્રાણુઓને જોઈને જયઘોષે વિચાર્યું કે “અહો ! સંસારનું સ્વરુપ કેવું છે” ? હિ ધર્મ પ્રભવતિ, રસતે ત સ માનવત્ | ન તુ ગેપથતિ સ્વીયશક્તિ કડપિ ન દીનવત છે ૧ | ભાવાર્થ—“જે જેના કરતાં વધારે સમર્થ છે, તે તેને મત્સ્યની પેઠે ગ્રસન કરે છે. કોઈ પણ દીનની જેમ પિતાની શક્તિને ગાવતા નથી.” અને કૃતાન્તસ્તુ મહાશક્તિરિતિ સ ગ્રસતે ખિલા તદસાડત્ર સંસારે, કા નામા સ્થા મનીષિણામૂ છે ૨ | ભાવાર્થ–“યમરાજ તો મહાશક્તિમાન છે, તેથી તે સમગ્ર પ્રાણીને ગળી જાય છે; તે આવા અસાર સંસારમાં બુદ્ધિમાન પુરુષોની કેમ આસ્થા હોય ? ન જ હોય.” પરંતુ આ સંસારમાં માત્ર એક ધર્મજ યમરાજાની શક્તિને કુંઠિત કરવા સમર્થ છે, તેથી હું તેને જ આશ્રય કરું. આ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને તે ગંગાનદીને સામે તીર ગયો. ત્યાં તેણે પૂર્વે કહેલા પૂર્ણતા ગુણથી યુક્ત એવા સાધુઓને જોયા. એટલે તેમની વાણીથી જૈનધર્મનું રહસ્ય જાણીને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી પૃથ્વી પર વિહાર કરવા લાગ્યો. અનુક્રમે વિહાર કરતાં તે જયઘોષ મુનિ વાણારસી નગરીના ઉદ્યાનમાં આવ્યા. તે પુરીમાં વિજય યજ્ઞ કરવા માંડે હતા, ત્યાં જયશેષ મુનિ માસક્ષપણને પારણે ભિક્ષા માટે ગયા. તેને યજ્ઞ કરનાર વિજયઘોષે ઓળખ્યા નહી, તેથી તેિજ તેને ભિક્ષાને નિષેધ કરી કહ્યું કે “હે ભિક્ષુક ! તને હું ભિક્ષા આપીશ નહી, બીજે ઠેકાણે યાચના કરે; કેમકે વેદ જાણનારા બ્રાહ્મણે જ યજ્ઞમંડપમાં નિષ્પન્ન થયેલું અન્ન ખાવાને યોગ્ય છે.” આ પ્રમાણે તે યાજકે (યજ્ઞ કરનારાઓ) નિષેધ કર્યા છતાં પણ તે મુનિ સમતા ધારણ કરીને રહ્યા. પછી અન્નની ઈચ્છાથી નહી, પણ તેને તારવાની બુદ્ધિથી તે બોલ્યા કે “હે બ્રાહ્મણ ! વેદમુખ એટલે વેદમાં મુખ્ય ધર્મ શું કહ્યો છે? યજ્ઞમુખ એટલે મુખ્ય યજ્ઞ કર્યો છે? નક્ષત્રમુખ એટલે નક્ષત્રમાં મુખ્ય કેણ છે? અને ધર્મ મુખ એટલે ધર્મને શરુ કરનાર કોણ છે? તે તું કાંઈ પણ જાણતા નથી.” તે સાંભળીને યાજક બોલ્યો કે “ત્યારે તમેજ તે સર્વ કહો.” મુનિ બોલ્યા કે “વેદમાં અહિંસા ધર્મ જ સર્વ ધર્મમાં મુખ્ય કહે છે. સર્વ યજ્ઞોમાં ભાવયજ્ઞ મુખ્ય છે. નક્ષત્રોમાં મુખ્ય ચંદ્રમા છે અને ધર્મમુખ કાશ્યપગેત્રી ઋષભદેવ જ છે. કેમકે તેમણે જ ધર્મને પ્રથમ ઉપદેશ કરેલો છે અને તેમણે પ્રરુપેલા ધર્મનું આરાધન કરનારાજ બ્રાહ્મણ કહેવાય છે.” તે વિષે શ્રી ઉત્તરાધ્યયનના પશ્ચીશમા અધ્યયનમાં કહ્યું છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy