SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ દશના ચિંતામણિ ] સ્પષ્ટાર્થ--તમારું શરીર વિનશ્વર એટલે નાશવંત અથવા નાશ પામનારૂં છે. તમે તે તેનાથી વિપરીત છે એટલે નાશ નહિ પામવાના સ્વભાવવાળા છે. કારણ કે સંસારી છે અનેક પ્રકારની ગતિમાં કર્મોના ઉદયને અનુસારે ભમે છે ખરા, પરંતુ તેમના આત્મતત્વનો (આત્મપણન) નાશ કદાપિ થતો નથી. સત્ય પરિસ્થિતિ આવી જ છે, છતાં પણ તમે શરીરના મેહને લીધે ઘણું (આત્મહિત) બગાડે છે એટલે પિતાના આત્મ સ્વરૂપને ભૂલીને અનેક પ્રકારની ઉપાધિમાં પડે છે, માટે આ શરીર ઉપરની આસક્તિ એટલે આ શરીર મારું છે અથવા હુંજ આ શરીર રૂ૫ છું એવી ભાવના જ્યારે કર થશે ત્યારે તમે મોક્ષમાર્ગને આરાધીને જરૂર સિદ્ધ સ્વરૂપ થશે એટલે કર્મ રહિત બનીને સિદ્ધપણાને પામશે. આવી સિદ્ધ દશાને પામવાને માટે તમે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્ર શ્રી ભરત ચક્રવર્તીના જેવી અનિત્ય ભાવના ભાવજે. ૧૭૪ ભરત ચક્રવતીએ ભાવેલી અનિત્ય ભાવવાની બીના ૬ શ્લેકમાં જણાવે છેધન્ય એ શ્રીભરત ચકી પુત્ર આદિ જિનેશના, * આરિસા ભુવને નિરખતાં રૂપને પિતા તણાં વીંટી વગરની આંગળી નિસ્તેજ દેખી ભાવના, આજ પહેલી ભાવતા હે જીવ! રાગી દેહના. ૧૭૫ જેમ વિરહ વીંટીના નિસ્તેજ લાગે આંગળી, શેષ અગપાંગ વિરહ ભૂષણોના તિમ વળી; પરથી જ શોભા દેહની નૈસર્ગિકી શેભા નહી, કાઢયા નકામાં પૂર્વ વ્યાશી લાખ મેં મેહે સહી. ૧૭૬ સ્પષ્ટથ–આદિ જિનેશ્વર એટલે આ વર્તમાન ચોવીસીના પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામીના પુત્ર શ્રીભરત ચક્રવર્તીને ધન્ય છે. કારણ કે તેમણે પિતાના આરીસા ભુવનમાં પોતાનું રૂપ જોતાં (પોતાના) શરીરના બધા અવયે આભૂષણેથી શણગારેલા હોવાથી સારાં લાગતાં હતાં. આ અવસરે એક આંગળી જે વીંટી નીચે પડી જવાથી વીંટી વગરની હતી તે નિસ્તેજ એટલે તેજ વિનાની જઈને તેમણે આ પહેલી અનિત્ય ભાવના ભાવવા માંડી. તે આ પ્રમાણે - હે શરીર વગેરેની ઉપર તીવરાગી બનેલા જીવ ! જેમ આ આંગળી વીંટીના વિરહે એટલે વીંટી નીકળી જવાથી તેજ વિનાની શોભા રહિત લાગે છે તેવી જ રીતે બાકીના અંગોપાંગ એટલે કાંડુ, ભુજા, મસ્તક, કાન વિગેરે પણ આભૂષણ વિનાના હોય ત્યારે શોભા વિનાના લાગે છે. માટે આ શરીરની શોભા પર પદાર્થો એટલે આભૂષણ વગેરેને લઈને જ છે, પરંતુ તે બધા પદાર્થોમાં નૈસર્ગિકી એટલે સ્વાભાવિક શોભા તે દેખાતી જ નથી. માટે આવી કૃત્રિમ શોભા આત્મકલ્યાણના માર્ગમાં ૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy