SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપધરિકૃતજીવમાં જતા નથી અથવા બીજા કેઈનથી લઈ શકાતા નથી. માટે જે તમારા ગુણ છે તે કદાપિ પણ બીજાના થતા નથી એવું જાણુને વિભાવ દશા એટલે પુગલ રમણતાને ત્યાગ કરીને નિજ સ્વભાવમાં મગ્ન રહેજે એટલે પોતાના જ્ઞાનાદિ ગુણોની વિચારણા કરવામાં લીન બનજો, ૧૭૨. દુખ આપનાર રાગ દ્વેષ છે તે જણાવે છે – અંતરાત્મ દશા લહી પરમાત્મ ભાવે થીર થશે, કર્મને આધીન સર્વે ત્યાં ન અચરિજ માનજે; દુઃખને દેનાર રાગ દ્વેષ એ ના ભૂલજે, ભાવ બંધન એહ છડી શાંતિ સુખમાં મહાલ. ૧૭૩ સ્પાઈ–વળી હે ભવ્ય છે ! તમે અંતરાત્મ દશા પામીને છેવટે પરમાત્મ ભાવમાં સ્થિરતા કરજે. આત્માની ત્રણ પ્રકારની દશા કહેલી છે–૧ પહેલી બહિરાત્મ દશા એટલે આત્માથી જુદા જે ધન, શરીર વગેરે પદાર્થોને (તે પદાર્થોની ઉપરના) મેહ ભાવને લીધે પિતાના માની તેમાં આસક્તિ રાખવી તે બહિરાભદશા કહેવાય. ૨ બીજી અંતરાત્મ દશા એટલે બાહ્ય ભાવેને ત્યાગ કરીને આત્માના સ્વરૂપની વિચારણા કરવી તે અંતરાત્મદશા કહેવાય. ૩ ત્રીજી પરમાત્મ દશા એટલે આ મારે નિર્મલ આત્મા તેિજ પરમાત્મા છે, હાલ આ જણાતું સ્વરૂપ તે કર્મની ઉપાધિથી થએલું છે એમ નિશ્ચય પૂર્વક આત્માને ઓળખીને કેવલજ્ઞાની થઈ સ્વપતારક બનવું તે પરમાત્મદશા કહેવાય. આ ત્રીજી દશાને પામનારા કેવલી ભગવંતે મોક્ષના શાશ્વતા સુખોને જરૂર મેળવે છે. વળી તમે જરૂર વિચાર કરો કે આ સંસારના સર્વે જીવો કર્મોને આધીન છે માટે તેમના દેખાતા વિચિત્ર સ્વભાવાદિમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. જીવોને ભયંકર દુઃખ આપનાર રાગ અને દ્વેષ છે. કારણ કે રાગદ્વેષને લીધે જ નિરંતર ઘણાં નવાં નવાં ચીકણાં કર્મો બાંધે છે. અને બાંધેલા કર્મોના ઉદયને અનુસરે સુખ દુઃખ પામે છે. તેથી જ રાગ દ્વેષને ભાવ બંધન કહેવામાં આવે છે. આ રીતે જીવના ખરા શત્રુ રૂપ રાગ દ્વેષને ત્યાગ કરીને શાંતિ સુખમાં હાલ એટલે ખરા શાંતિના સુખને મેળવજે ૧૭૩. - શરીરને મોહ તજી અનિત્ય ભાવના ભાવવાનું જણાવે છે – તન વિનશ્વર છે તમારૂં તેહથી વિપરીત તમે, તે છતાં તનનાજ મેહે બહુ બગાડે છેતમે આસક્તિ તનની દૂર થતાં સિદ્ધસ્વરૂપ થશે તમે, આ પ્રસંગે ભરત કેરી ભાવના ભાવો તમે. ૧૭૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy