SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણી ] ૧૫૦ વારમાં ન જણાય એવા સ્વભાવવાળા જે પદાર્થો હોય તે અનિત્ય કહેવાય, આવું અનિત્યતાનું રહસ્ય જાણજે. અને પરિગ્રહાદિક એટલે દ્રવ્યાદિકની ઉપરના મૂછ ભાવને તજીને નિર્વાણ પદની એટલે મેક્ષ પદને મેળવવાની ચાહના રાખજો. આ મેક્ષપદ એવું છે કે જે નિત્ય સુખથી ભરેલું છે. અહીં સમજવાનું છે કે જે સુખ કાયમ રહેનારું હોય તે નિત્ય સુખ કહેવાય. સંસારી જીએ માનેલાં સુખ સદા કાયમ રહેતા નથી માટે તે અનિત્ય જાણવાં. ફક્ત આ મેક્ષનું સુખ જ એવું છે કે જે હંમેશાં કાયમ રહે છે. આ મોક્ષ સુખ મેક્ષના માર્ગે જનારા છને મળે છે. આ રીતે કહેવાને ભાવાર્થ એ છે કે મોક્ષ સુખ મેળવવાની ઈચ્છા રાખનાર ભવ્ય જીએ મોક્ષના માર્ગની આરાધના જરૂર કરવી જોઈએ. જ્ઞાન, દર્શન અને ચારિત્રની જે સમુદિત (એકઠી) આરાધના કરવી તે મોક્ષ માગ કહેવાય છે. કારણ કે આ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવાથી મોક્ષના નિત્ય સુખને પામી શકાય છે. આ રીતે મોક્ષને પામેલા ભવ્ય જીવનું ભવ ભ્રમણ ટળી જાય છે એટલે તેમને આ સંસારમાં રખડપટ્ટી કરવી પડતી નથી. આ પ્રભુદેવના વચનેનું રહસ્ય એ છે કે–આ મેક્ષ સ્થાન મેળવનાર જીવને ફરીને સંસારમાં આવવું પડતું નથી. કારણ કે તે જીવે સંસારમાં લાવનાર રાગ દ્વેષાદિકને જ્ઞાન, દર્શન ચારિત્રની આરાધના કરીને નાશ કરે છે. ૧૭૧. અનિત્ય પદાર્થોને મોહ તજીને તમારું શું છે? તેને વિચાર કરવાને હિત શિક્ષા આપે છે – અનિત્ય ભાવોમાં મુંઝાઈ છે ગુમાયું બહુ તમે, આત્મતત્ત્વ વિવેકને ભૂલી ગયા છો પણ તમે; જે તમારૂં તે તમારી પાસ ના બીજા કને, મગ્ન રહેજે નિજ સ્વભાવે છડજોજ વિભાવને. ૧૭૨ સ્પષ્ટાર્થ –વળી હે ભવ્ય જતમે અનિત્ય ભાવોમાં એટલે નાશવંત પદાર્થોમાં મુંઝાઈને ઘણું ગુમાવ્યું છે. કારણ કે તે નાશવંત પદાર્થોને મેળવીને તેમાં રાગ કરવાથી તમે ઘણું ચીકણું કર્મો બાંધ્યા છે. અને તે અનિત્ય પદાર્થો નાશ પામવાના સ્વભાવવાળા હોવાથી જ્યારે નાશ પામે છે, ત્યારે તેની પાછળ શોક, રૂદન વગેરે કરીને પણ તમે કર્મ બંધ કર્યા છે. એમ તે પદાર્થો મેળવીને તેમજ ગુમાવીને બંને રીતે તમે અશુભ કર્મોને બાંધ્યા છે. અને તેથી કરીને આત્મ તત્ત્વ વિવેક એટલે આત્માના જ્ઞાનાદિ શુદ્ધ સ્વરૂપને વિચાર તમે ભૂલી ગયા છે. હું કોણ છું ? કયાંથી આવ્યો છું? ક્યાં જવાને છું ? મારામાં કયા ગુણો રહેલા છે ? આ બાહ્ય પદાર્થો મારાથી જુદા છે, તે મારા નથી. આ બાબતને તમે જરા પણ વિચાર કર્યો નથી. યાદ રાખજે કે-જે તમારૂં છે તે તમારી પાસે જ છે, કારણ કે આ આત્માના પિતાના, તમારા) જ્ઞાન દર્શનાદિ ગુણે બીજા કેઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy