SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ [ શ્રી વિજયપરિકૃતસ્પષ્ટાર્થ ––તથા હે ભવ્ય ! પિતાને મનપસંદ જે જે વસ્તુઓ હેય તેને સંગ થવામાં અથવા તે તે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવામાં તે જીવને પૂર્વ ભવની પુણ્યાઈ અથવા પૂર્વે બાંધેલા પુણ્ય કમને ઉદય કારણ રૂપ જાણો. તેમજ મળેલી ઈષ્ટ વસ્તુને વિયેગ થવામાં અથવા તે વસ્તુઓ નહિ પ્રાપ્ત થવામાં પાપને ઉદય કારણ રૂપ છે એમ સમજજે. આ વાતને તમારા મનમાં ખૂબ વિચાર કરજો. આવા પ્રકારની ભાવનાના વેગથી એટલે આ અનિત્ય ભાવનાને બરાબર સમજનાર સમજુ માણસો પુત્રાદિકના એટલે પોતાના પ્રિય દીકરા સગાં વહાલાં વગેરેને વિરહ પ્રાપ્ત થાય તે પણ શેક કરતા નથી. કારણ કે તેઓ જિનેશ્વરના વચનને બરાબર સમજતા હોય છે. વ્યાજબીજ છે કે પુત્રાદિકના સંગ કે વિયેગ કર્માધીન છે માટે તેમાં હર્ષ કે શોક કરે નકામે છે. ૧૬૯ અનિત્ય પદાર્થોમાં નિત્યતાને મેહ રાખનાર જેને અંતે શેક થાય છે – અજ્ઞાનથી જે સર્વ માને નિત્ય તે મહીજને, જીર્ણ ભીંત પડી જતાં પણ ખેદ મન ધારી ઘણ; રૂદન કરતાં જિનવચનથી તે જને પણ સમજતા, દેહાદિની જેવા પદાર્થો સર્વ જગમાં દીસતા. ૧૭૦ સ્પદાર્થ –અજ્ઞાનને લીધે જે મેહીજને એટલે સંસારના નાશવંત પદાર્થો ઉપર પણ મમત્વ રાખનારા છ સર્વ પદાર્થોને નિત્ય માને છે એટલે સદાકાળ રહેનારા અથવા નાશ ન પામનાર માને છે તેઓ એક જીર્ણ ભીંત એટલે જુની પડું પડું થઈ રહેલી ભીંતને પડી ગએલી જેઈને પણ મનમાં ઘણો ખેદ પામે છે. અને તેની પાછળ રૂદન કરે છે એટલે રડવા માંડે છે. આવા મનુષ્યો પણ જ્યારે જિનેશ્વર ભગવંતની હિતશિક્ષાનું રહસ્ય સમજે છે ત્યારે તેઓને પણ આ જગતના તમામ પદાર્થો દેહાદિની જેવા જ જણાય છે એટલે શરીર વગેરે જેમ નાશ પામે છે તેમ આ ભીંત વગેરે પદાર્થો પણ નાશ પામવાના સ્વભાવવાળા છે એમ સમજે છે અને તે પ્રમાણે માને છે. આ રીતે આ જગતના પદાર્થો નાશ પામનારા છે એમ તેઓને ખાત્રી થાય છે. ૧૭૦ નિત્ય સુખ કયાં છે? અને તે કેવું છે? તે જણાવે છે – એહ તત્ત્વ અનિત્યતાનું ટૂંકમાં અવધારો, પરિગ્રહાદિકને તજી નિર્વાણ પદને ચાહજે; નિત્યસુખથી તે ભરેલું મેક્ષમાર્ગે તે મળે, જ્ઞાન દર્શન ચરણ સાધે ભવભ્રમણ જેથી ટળે. ૧૭૧ સ્પષ્ટાર્થ ––હે ભવ્ય ! તમે ટૂંકામાં આ પ્રમાણે ક્ષણવાર જણાય અને ક્ષણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy