SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ દશના ચિંતામણિ ] ૧૫૭ જી ! તમે ખૂબ વિચાર કરજે. વળી ધનને મદ કરનારા યુવાનને ઉદ્દેશીને ફરી પણ કહે છે કે ઘણા પ્રકારનાં કલેશથી એટલે કોને સહન કરીને જે ધન એકઠું કર્યું તેને કદાપિ વાપર્યું નહિ એટલે તેનો ધર્મકાર્યાદિમાં ઉપયોગ કર્યો નહિ અને ઘણી કાળજી રાખીને તેને સાચવી રાખવામાં આવ્યું. તે ધન પણ પુણ્યોદય નાશ પામે ત્યારે ક્ષણ વારમાં નાશ પામી જાય છે. આ વાત તે આપણે હાલમાં પ્રત્યક્ષ નજરે જોઈએ છીએ. કારણ કે જીવ બચાવવાને પિતાનું ઘરબાર, માલ મિલકત તમામ છોડીને જેઓ પહેરે લુગડે નાશી છૂટયા છે એવા હજારો નિરાધાર બનેલા જીવને આપણે નજરે જોઈએ છીએ. જેઓ હાલ લક્ષાધિપતિ મટીને તદ્દન ભીખારી જેવા દેખાય છે અને પોતાની આજીવિકા પણ મહા મુસીબતે ચલાવે છે. આવી દશા થવામાં મુખ્ય કારણ પુણ્યદયને નાશ જાણ. માટે જુવાનીયાને મદોન્મત્ત બનાવનારી લક્ષ્મી પણ ક્ષણ વારમાં નાશ પામી જાય છે એમ કહેવામાં જરા પણ ખોટું નથી. ૧૬૭ ધન તથા સ્વજનાદિનો સંગ પણ નાશવંત છે તે જણાવે છે – ધનવાનનું ધન નાશ પામે એમ નજરે જોઈએ, માટે જ તે ધન ફીણ પરપોટા વિજળી સમ માનીએ; મેળાપ સંબંધિ જનેને ક્ષણિક મિત્રાદિક તણે, જરૂર હોય વિગ નાશાદિક થતાં એકાદિને. ૧૬૮ સ્પષ્ટાર્થ –ઉપર કહ્યા પ્રમાણે જેઓ ધનવાળા છે તેઓનું ધન પણ પુણ્યોદય બંધ પડે ત્યારે ક્ષણ વારમાં નાશ પામે છે એ નજરે પ્રત્યક્ષ જણાતું હોવાથી સમજુ પુરૂષ તે ધનને ફીણના જેવું અથવા પાણીના પરપોટા જેવું કે વિજળી જેવું (ક્ષણમાં નાશ પામનારૂં) માને છે. વળી સગા સંબંધીઓને તેમજ મિત્ર વગેરેનો જે સંબંધ (મેળો) છે તે પણ ક્ષણિક એટલે ક્ષણવારમાં નાશ પામે તેવો છે. કારણ કે તે સગાં સંબંધિઓમાંથી અથવા મિત્રાદિકમાંથી જ્યારે એક બે વગેરે જેને મરણાદિ કારણથી નાશ થાય છે ત્યારે તેમને જરૂર વિયોગ થાય છે. આ વાત પણ પ્રત્યક્ષ જણાય છે. માટે બધા પર પદાર્થોના સંબંધ પણ નાશવંત જાણવા. ૧૬૮ ઈષ્ટ પદાર્થોના સંગમાં પુણ્યાઈ કારણ છે તે જણાવે છે – ઈષ્ટના સંગમાં પુણ્યાઈ તાસ વિયોગમાં, પાપ કારણે માનીએ ઈમ ખૂબ વિચારે ચિત્તમાં આ ભાવનાના વેગથી સમજુ અને પુત્રાદિના, વિરહમાં પણ શેક ન કરે બેધથી જિન વચનના. ૧૬૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy