SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રી વિજ્યપારિકતજીવો લગારે પાપ ન કરે જરૂર મરણભયે કરી, માટેજ બહુ ફલ અભયદાને હોય જિનવાણ ખરી. ૧૬૧ સ્પષ્ટાર્થ –આ શરીર યમરાજને વશ છે. એટલે આ શરીરને ક્યારે નાશ થશે તે આપણે જાણી શક્તા નથી. આ વાતને જેઓ બરાબર સમજે છે તેઓને ખાવું પણ બરાબર ભાવતું નથી. અને જે જીવ આવા જિનવચનના રહસ્યને વિચાર કરે છે તેઓ જરા પણ પાપ કરતા નથી, કારણ કે તેઓને મરણને ભય રહેલો છે. આ જ કારણથી અભયદાનનું એટલે જીવને મરણમાંથી બચાવવામાં મોટું ફલ રહેલું છે એવી જિનેશ્વરની વાણી સાચી જ છે. ૧૬૧. પાપ કરતાં પૂર્વ કાલે જરૂર એમ વિચારજે, મરવું જરૂર તે પાપ કોને કાજ એ ના ભૂલ, પાપ કરનારાજ ફલ તસ ભોગવે બીજા નહી, આત્મતનું સંબંધને જ વિગ તેહ મરણ સહી. ૧૬૨ સ્પષ્ટાર્થ – હે ભવ્ય છે ! તમે પાપ કરતાં પહેલાં જરૂર આ બાબતને વિચાર કરજે કે હું જેના માટે પાપ કરું છું. જ્યારે મરવાનું નકકી છે તે કોના માટે પાપ કરવું એ વાત ભૂલશે નહિ. અથવા પાપ કરીને જે ધનાદિક ભેગું કર્યું હશે તેને ભોગવનારા બીજા થશે અને પિતે તે તેને ત્યાગ કરીને ચાલ્યા જશે એ વાત ભૂલવી નહિ. જેઓ પાપ કરનારા છે તેઓ તે પાપનું ફલ ભેગવે છે. પરંતુ તે પાપના ફલને બીજા છે ભેગવતા નથી. આ વાતને દીર્ઘ દૃષ્ટિથી બહુજ વિચાર કરીને જીવેએ પાપ કાર્ય કરતાં અવશ્ય વિચાર કરે જોઈએ. અહીં મરણની બાબતમાં સમજી લેવું કે આત્મા અને શરીરને જે વિગ થાય તે મરણ કહેવાય છે. કારણ કે આત્મા દ્રવ્ય રૂપે નિત્ય હોવાથી તેને દ્રવ્યાર્થિક નયના વિચારે નાશ કદાપિ થતું નથી. અથવા આત્મા મરણ પામતે જ નથી. ૧૬૨. હવે સર્વ સંસારી જીવને કાળચકને ભય એક સરખો રહેલે છે, વગેરે બીના બે શ્લેકમાં જણાવે છે – જેમ જલમાં બુદબુદ ઉપજે અને વિણસે અહીં, તેમ ભવિના દેહ ઉપજે ને જરૂર વિણસે સહી, નિર્ધન અને ધનિકાદિ ઉપરે દૃષ્ટિ સરખી જેહની, સર્વને સંહારતે તે કાળ વાણી જિનતણું. ૧૬૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy